વૈષ્ણવ સમાજમાં શોકનું મોજું છવાયું, પૂજ્ય વૈષ્ણવાચાર્ય વ્રજેશ કુમારજીનું નિધન થયું

Vadodara news: પરમ પૂજ્ય ગોસ્વામી તૃતીય પિઠાધીશ્વર કાંકરોલી નરેશ વૃજેશકુમાર મહોદય ચાર વેદ, સંસ્કુત વ્યાકરણ સહિત પુષ્ટિમાર્ગમાં અત્યંત વિદ્વાન તરીકે જાણીતા હતા
 

વૈષ્ણવ સમાજમાં શોકનું મોજું છવાયું, પૂજ્ય વૈષ્ણવાચાર્ય વ્રજેશ કુમારજીનું નિધન થયું

Vaishnav Samaj : વડોદરા વૈષ્ણવ સંપ્રદાય તૃતીયા પીઠધિસ્વર કાકરોલી નરેશ પૂજ્ય શ્રી વ્રજેશ કુમારજીનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાય સમયlથી બીમાર હતા, અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે સવારે 11.45એ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી તમામ વૈષ્ણવ સંપ્રદાયમાં દુઃખની લાગણી છવાઈ છે. બપોરે 2 કલાકે પાર્થિવ દેહને દર્શન માટે બેઠક મંદિર કેવડાબાગ મુકાશે. 

પરમ પૂજ્ય ગોસ્વામી તૃતીય પિઠાધીશ્વર કાંકરોલી નરેશ વૃજેશકુમાર મહોદય ચાર વેદ, સંસ્કુત વ્યાકરણ સહિત પુષ્ટિમાર્ગમાં અત્યંત વિદ્વાન તરીકે જાણીતા હતા. તેમજ તેઓએ કાંકરોલી પુષ્ટિમાર્ગ માટે ચારસો જેટલા સ્ત્રોતની રચના કરી છે. તેઓ રાજસ્થાની મ્યુરલ પેઈન્ટીંગના નિષ્ણાત છે. ત્યારે તેમના નિધનથી વૈષ્ણવ સંપ્રદાયમા શોકનું મોજુ ફરી વળ્યું છે. 

સરકારશ્રીના હુલામણા નામથી ઓળખાતા 
સનાતન હિંદુ ધર્મ તથા પુષ્ટિ સંપ્રદાયના ચમકતા સુર્ય સમાન ઋષિતુલ્ય બ્રહ્મર્ષિ તૃતીય પીઠાધીશ કાંકરોલી નરેશ પુ. પા. ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીએ નિત્યલીલામાં પ્રવેશ કર્યો. પુષ્ટિ સંપ્રદાય માટે તો એક યુગ આથમી ગયો. તેઓ સરકારશ્રીના હુલામણા નામથી ભક્તોમાં પ્રિય હતા. 

આ પણ વાંચો : 

વૈદિક અને ભક્તિ પરંપરાના અગાધ જ્ઞાનના મહાસાગર એવા પુ. સરકારશ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીની ચારે વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્રો, પુરાણો, શ્રીમદ ભાગવત જેવા સનાતન હિંદુ ધર્મના મૂળ ગ્રંથો પર અતુલનીય મેધાવી પકડ હતી. પુ. સરકારશ્રીએ સંસ્કૃત ભાષામાં અગણિત સ્તોત્રની રચના કરીને પુષ્ટિ સંપ્રદાય માટે ઐતિહાસિક વારસો છોડીને ગયા છે. સંસ્કૃત ભાષામાં હજારો શ્લોકની રચના કરીને તથા પુષ્ટિ સંપ્રદાયના અનેક ગ્રંથો પર ભાષ્ય અને ટીકાઓ કરીને સંપ્રદાયના જ્ઞાનના વારસાને સમૃદ્ધ કર્યો છે. તમામ ધર્મો અને સંપ્રદાયો પર તેમનું જ્ઞાન અનોખું હતું.  

વૈદિક અને ભક્તિ પરંપરાના ગ્રંથોમાં જ્ઞાન-પ્રચુર કરવામાં પુ. સરકારશ્રીનો ફાળો અદ્વિતીય રહ્યો છે. શ્રીમદ ભાગવત પુરાણ પર તેમનું જ્ઞાન અગાધ મહાસાગર જેવું હતું.  

132 મંદિર તેમના તાબામાં હતા
રાજ્સ્થાન સ્થિત કાંકરોલી મંદિર ઉપરાંત મથુરા, ગોકુળ, જતીપુરા, અમદાવાદના રાયપુરનું, આંણદનું તેમજ વડોદરા ખાતે આવેલ બેઠક મંદિર અને સુખધામ હવેલી સહિતના 132 જેટલાં મંદિર તેમના તાબા હેઠળ છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news