બે શક્તિશાળી મિત્ર ગ્રહોની થશે યુતિ, મેષ સહિત 3 રાશિના જાતકોને ખોબલે ખોબલે ધનલાભ થશે, પદોન્નતિ થશે

બે શક્તિશાળી મિત્ર ગ્રહોની થશે યુતિ, મેષ સહિત 3 રાશિના જાતકોને ખોબલે ખોબલે ધનલાભ થશે, પદોન્નતિ થશે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ ગ્રહોના સેનાપતિ મંગળ અને ગ્રહોના રાજા સૂર્ય બંને ધનુ રાશિમાં બિરાજમાન છે. આવામાં આ મંગળકારી યુતિ દરેક રાશિના જાતકો પર અસર કરશે. 15 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે જ મંગળ 5 ફેબ્રુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી શનિની રાશિમાં ફરીથી આ મંગળકારી યુતિ સર્જાઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિની રાશિમાં સૂર્ય અને મંગળની યુતિ થવાથી અનેક રાશિઓના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડશે. જાણો સૂર્ય મંગળની યુતિથી કઈ રાશિનું ભાગ્ય ચમકી શકે છે....

મેષ રાશિ
મંગળ અને સૂર્યની યુતિ દશમ ભાવમાં થશે. આવામાં આ રાશિના જાતકોને વિશેષ લાભ થશે. આ યુતિ આ રાશિ માટે વરદાનથી કમ નહીં હોય. દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે અપાર ધન સંપત્તિ પણ પ્રાપ્ત  થશે. કરિયરની વાત કરીએ તો મકર રાશિમાં બંને ગ્રહોની યુતિથી મેષ રાશિના જાતકો સફળતાના શિખર સર કરશે. નોકરીયાતોને તેમના કાર્યનું ફળ મળશે. આવામાં તેમને પુરસ્કાર કે પછી પદોન્નતિ બંને મળી શેક છે. સરકારી નોકરી કરનારા લોકોને પણ સફળતા મળી શકે છે. આ સાથે જ વિદેશ પ્રવાસની તક પણ મળી શકે છે. બિઝનેસમાં પણ ખુબ લાભ મળે તેવા યોગ છે. જો વિદેશમાં બિઝનેસ ફેલાયેલો હોય તો અનેક ગણો નફો થઈ શકે છે. મોટી સિદ્ધિઓ પણ મળી શકે છે. જીવનસાથી સાથે સારો સમય વિતશે. જો કે સ્વાસ્થ્યને લઈને સચેત રહેવાની જરૂર છે. 

વૃષભ રાશિ
મંગળ અને સૂર્યની આ યુતિ રાશિના ભાગ્ય ભાવમાં બનશે. આવામાં આ રાશિને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. નવમ ભાવમાં મંગળ  હોવાથી આધ્યાત્મ તરફ વધુ ઝૂકેલા રહેશો. આ સાથે જ પિતાનો સહયોગ મળશે. મુસાફરી થવાનો લાભ મળશે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. સૂર્ય માન સન્માનની વૃદ્ધિ કરાવવાની સાથે જ વિદેશમાં નોકરીની ચાહ રાખનારાઓને સફળતા અપાવી શકે છે. બિઝનેસમાં ખુબ લાભ મળી શકે છે. રોકાણ કરનારાઓને પણ લાભ મળશે. પાર્ટનરશીપમાં કરાયેલા કામ સફળ થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. આ સાથે જ બેંક બેલેન્સ વધશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. 

સિંહ રાશિ
સૂર્ય આ રાશિના પ્રથમ અને મંગળ ચતુર્થ તથા નવમ ભાવનો સ્વામી છે. મકર રાશિમાં પ્રવેશ કરીને મંગળ સૂર્યની યુતિ પંચમ ભાવમાં થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકોને થોડું કામ કરે તો પણ સારી એવી સફળતા મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળવાના પ્રબળ યોગ છે. નોકરીયાતોની વાત કરીએ તો તમારા પ્રયત્નોના કારણે પદોન્નતિ અને પ્રોત્સાહન મળશે. વરિષ્ઠો વચ્ચે તમારું માન સન્માન વધશે. બિઝનેસમાં સફળતા મળશે. આ સાથે જ કોઈ ડીલ સાઈન થઈ શકે છે. જીવનસાથી સાથે સારો તાલમેલ સ્થાપિત થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news