30 વર્ષ બાદ શનિ દેવ સ્વરાશિ કુંભમાં થશે વક્રી, આ જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ, નવી નોકરી સાથે થશે ધનલાભ

દરેક ગ્રહ ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરતા હોય છે. ગ્રહોની ચાલમાં ફેરફારની અસર દરેક જાતકો પર પડતી હોય છે. શનિ દેવ આગામી સમયમાં  વક્રી થવાના છે. શનિ દેવના વક્રી થવાથી ત્રણ રાશિઓને વિશેષ લાભ મળશે. 

30 વર્ષ બાદ શનિ દેવ સ્વરાશિ કુંભમાં થશે વક્રી, આ જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ, નવી નોકરી સાથે થશે ધનલાભ

નવી દિલ્હીઃ Shani Dev Vakri In Kumbh: વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર વક્રી અને માર્ગી થાય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે કુંભ રાશિમાં શનિ દેવ 29 જૂને વક્રી થઈ જશે એટલે કે ઉલ્ટી ચાલ ચાલશે. એટલે કે શનિ 29 જૂનની રાત્રે 12 કલાક 35 મિનિટ પર પોતાની રાશિ કુંભમાં વક્રી થઈ જશે. શનિ 15 નવેમ્બર 2024 સુધી કુંભ રાશિમાં વક્રી રહેશે. તેવામાં શનિ દેવના આશીર્વાદ કેટલાક જાતકો પર રહેવાના છે. આ જાતકોને નોકરી અને કારોબારમાં સફળતા મળી શકે છે. આવો જાણીએ આ લકી રાશિઓ વિશે...

મેષ રાશિ
શનિ દેવની ઉલ્ટી ચાલ મેષ રાશિના જાતકો માટે ફળયાદી સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી આવક ભાવ પર વક્રી થવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થવાનો છે. આવકના નવા સ્ત્રોત બની શકે છે. તો તમને રોકાણથી લાભ થશે. તમને કાર્યક્ષેત્રમાં સન્માન મળશે. તમારૂ દાંપત્ય જીવન સુખમય રહેશે. તમને શુભ પરિણામ મળશે. જે લોકો નોકરી કરે છે તેને પગાર વધારો અને પ્રમોશન મળી શકે છે. વેપારીઓને આ સમયમાં ધનલાભ થઈ શકે છે. નવી ડીલ થઈ શકે છે. 

મકર રાશિ
તમારા લોકો માટે શનિ દેવનું વક્રી થવું લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી ધન અને વાણી સ્થાન પર વક્રી થવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. તો તમારી આવકમાં વધારો થશે અને નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે. સાથે તમારી વાણીમાં પ્રભાવ જોવા મળશે. સાથે આ દરમિયાન તમે કામ-કારોબારના સંબંધથી યાત્રા કરી શકો છો. સાથે આ દરમિયાન વેપારીઓના ફસાયેલા નાણા પરત મળશે. જે લોકો રાજનીતિમાં સક્રિય છે, તેને સફળતા મળી શકે છે. આ તમને મોટો લાભ કરાવી આપશે. 

મિથુન રાશિ
તમારા લોકો માટે શનિ દેવનું વક્રી થવું અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી ભાગ્ય સ્થાન પર વક્રી થઈ રહ્યાં છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. સાથે અટવાયેલા કામ થશે. તમારા દાંપત્ય જીવનના સુખમાં વધારો થશે. તમને શુભ પરિણામ મળશે. આ સમયે તમે કોઈ માંગલિક અને ધાર્મિક કાર્યક્રમોમાં સામેલ થઈ શકો છો. જો તમે વિદ્યાર્થી છો તો તમને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. આ તમને બહુ મોટો ફાયદો કરાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news