Shani Vakri 2024: 5 રાશિઓ પર ભારે પડી શકે છે આ 139 દિવસ, વક્રી શનિ આપશે એક પછી એક ઝટકો

Shani Vakri 2024 dates: શનિ વક્રી થવવા જઇ રહ્યો છે. 139 દિવસ સુધી શનિ ઉંધી ચાલ ચાલશે અને 5 રાશિવાળાના જીવનમાં ઉથલ પાથલ મચાવશે. જાણો શનિ વક્રીની તારીખો અને દુષ્પ્રભાવથી બચવાના ઉપાય. 

Shani Vakri 2024: 5 રાશિઓ પર ભારે પડી શકે છે આ 139 દિવસ, વક્રી શનિ આપશે એક પછી એક ઝટકો

Shani Vakri 2024 in Gujarati: શનિની સાડાસાતી અને ઢૈય્યાને જે લોકો અત્યાર સુધી મૌજ મસ્તી સાથે પસાર કરી રહ્યા હતા, તેમને 30 જૂન સુધી એલર્ટ રહેવું પડશે. મકર, કુંભ અને મીન રાશિના લોકો પર સાડાસાતી જ્યારે કર્ક અને વૃશ્વિક રાશિવાળાની ઢૈય્યા ચાલી રહી છે. એવામાં આ રાશિના લોકો માટે 30 જૂનથી 14 નવેમ્બર સુધી 139 દિવસ ખૂબ જ ભારે રહેવાના છે.
શેર નહી આ છે નોટ છાપવાનું મશીન, 12 મહિનામાં 1 લાખના બનાવી દીધા 20 લાખ
આ દિવસોમાં ખૂબ જ સુઝબૂઝ સાથે પસાર થવું પડશે. નહીતર પરેશાની પર પરેશાની આવી શકે છે અને તમેખિજાઇ જશો અને કંઈક એવું કરશો જેનાથી સમસ્યાઓનો પહાડ સર્જાશે. એટલા માટે આ રાશિના લોકોને અત્યારથી જ માનસિકતા બનાવી લેવી જોઇએ કે તેમને શનિના વક્રી રહેવા દરમિયાન સમજદારીથી કામ કરવાનું છે. પછી ભલે ગમે તેટલો પણ મુશ્કેલ સમય કેમ નહોય, તમે તેને નિકાળી લેશો. 

આ રાશિઓ પર શનિ રહેશે ભારે 
30મી જૂનથી 15મી નવેમ્બર 2024 સુધીની તારીખો યાદ રાખવાની સાથે સાથે તમારા મોબાઈલમાં રિમાઇન્ડર પણ રાખો અને જો તમે ડાયરી મેંટેન કરો છો તો તેની નોંધ કરો જેથી કોઈ ભૂલ ન થાય. જોકે શનિદેવ અત્યારે માર્ગી છે એટલે કે સીધા રસ્તા પર પોતાની ધીમી ગતિથી ચાલતા રહો. હાલના સમયમાં તે કુંભ રાશિમાં વિચરણ કરી રહ્યા છે. આ તમામ રાશિમાં રહેતાં તે 30 જૂનના રોજ વક્રી થઇ જશે એટલે કે ઉલ્ટી ચાલ ચાલવા લાગ્શે અને 14 નવેમ્બર સુધી તે ઉલટી ચાલ ચાલતાં જ રહેશે એટલે પાછા પરશે. ત્યારબાદ 15 નવેમ્બરના રોજ શનિ મહારાજ ફરીથી માર્ગી થઇ જશે અર્થાત આગળની તરફ ચાલવા લાગશે. 

5 રાશિવાળા માટે ક્રિટિકલ સમય
આ મુજબ જ્યારે શનિ 30 જૂનથી 14 નવેમ્બર સુધી પીછેહઠ કરશે, ત્યારે આ 5 રાશિઓ માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમના પર શનિની સાડાસાતી અથવા ઢૈય્યા ચાલી રહી છે. જેમ વ્યક્તિ ઠંડીની ઋતુ શરૂ થતાની સાથે જ ઠંડી વસ્તુઓ ખાવાથી દૂર રહીને શરદી સંબંધી રોગોથી પોતાને બચાવે છે, આ રીતે શનિદેવ વક્રી થતાં જ ઉપર્યુક્ત રાશિના લોકોને સચેત થવું જોઇએ.

શનિની વક્રી ચાલમાં શુ કરશો
આ 5 રાશિના લોકોને આ દરમિયાન ઇગોથી બચવું પડૅશે એટલે ઘમંડ ન કરે. શનિદેવ પરિશ્રમના કારક છે અને મહેનતુ લોકોને પસંદ કરે છે એટલા માટે કામને લઇને ચોરી, આળસ તો બિલકુલ પણ કરો અને ના તો આજનું કામ કાલ પર ટાળો. એટલે કાર્યોની પેડિંગ લિસ્ટ તૈયાર કરવાથી બચવું જોઇએ. સાથે જ આ દરમિયાન નિયમિત કસરત પણ કરતા રહો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news