Happy New Year 2023: નવા વર્ષમાં કરો આ ઉપાયો આખુ વર્ષ રહેશો ફાયદામાં, આવકમાં પણ થશે વધારો

New Year 2023 Rashifal: નવા વર્ષમાં સુખ, સમૃદ્ધિ અને આર્થિક સમૃદ્ધિ જાળવી રાખવા માટે કેટલાક વિશેષ ઉપાયો અમે જણાવી રહ્યા છે. જો તમે તમારી રાશિ પ્રમાણે આ ઉપાયો કરશો તો આખું વર્ષ દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે અને જીવનમાં પૈસાની કોઈ કમી નહીં આવે. જાણો આ ખાસ ઉપાયો વિશે.

Happy New Year 2023: નવા વર્ષમાં કરો આ ઉપાયો આખુ વર્ષ રહેશો ફાયદામાં, આવકમાં પણ થશે વધારો

Rashi Bhavishya: વર્ષ 2023 નવી આશાઓને લઈને આવશે. અમે ઈચ્છીએ છીએ કે નવું વર્ષ 2023 બધા માટે શુભ અને મંગલમય રહે. નવા વર્ષ સાથે જીવનમાં ઘણા ફેરફારો જોવા મળશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં નવા વર્ષમાં ઘણા વિશેષ યોગો રચાઈ રહ્યા છે જેની અસર તમારા જીવન પર પણ પડશે. નવા વર્ષમાં સુખ, સમૃદ્ધિ અને આર્થિક સમૃદ્ધિ જાળવી રાખવા માટે કેટલાક વિશેષ ઉપાયો અમે જણાવી રહ્યા છે. જો તમે તમારી રાશિ પ્રમાણે આ ઉપાયો કરશો તો આખું વર્ષ દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે અને જીવનમાં પૈસાની કોઈ કમી નહીં આવે. જાણો આ ખાસ ઉપાયો વિશે.

મેષ અને વૃશ્ચિક
મેષ અને વૃશ્ચિક રાશિ માટે નવું વર્ષ સારા સંકેતો લઈને આવ્યું છે. નવા વર્ષમાં તમને ઘણા સારા સમાચાર મળશે. તમારે દર મંગળવારે પક્ષીઓને મસૂરની દાળ ખવડાવવી જોઈએ. ન્હાતી વખતે પાણીમાં લાલ ચંદનનો પાઉડર મિક્સ કરીને તેનાથી સ્નાન કરો. આનાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે અને આખા વર્ષ દરમિયાન ધનની કમી નહીં રહે.

મિથુન અને કન્યા
મિથુન અને કન્યા રાશિના લોકોએ બુધવારે પક્ષીઓને  મગના દાણા ચઢાવવા જોઈએ. આ સાથે ગાયને લીલો ચારો પણ ખવડાવો. જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ માટે દર બુધવારે ભગવાન ગણેશની પૂજા કરો અને ઓમ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરો.

કર્ક રાશિ 
કર્ક રાશિનો સ્વામી ચંદ્રમાં છે તેથી આ રાશિના લોકોએ દર સોમવારે શિવલિંગ પર દૂધ ચઢાવવું જોઈએ. સાથે ગંગા જળ ચઢાવો અને ऊं त्रयम्बकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्व्वारुकमिव बन्धानान्मृत्यो मृक्षीय मामृतात् મંત્રનો જાપ કરો. જેના કારણે જીવનમાં સુખ-શાંતિ રહેશે.

વૃષભ અને તુલા
વૃષભ અથવા તુલા રાશિના જાતકોએ ખીર બનાવીને ગાયોને ખવડાવવી જોઈએ. શુક્રવારે પક્ષીઓને ચોખાના દાણા ખવડાવો. કેસર અને એલચી પાવડર પાણીમાં મિક્સ કરીને સ્નાન કરો. આ ઉપાય આકસ્મિક ધન લાભ આપે છે.

સિંહ રાશિ
સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે અને સૂર્ય કીર્તિનું પ્રતીક છે, તેથી રવિવારે સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. આ સિવાય દર રવિવારે પક્ષીઓને ઘઉંના દાણા ખવડાવવા જોઈએ. ગાયોને ગોળ અને રોટલી ખવડાવો. આનાથી તમારા પર સૂર્ય ભગવાનની કૃપા બની રહેશે અને તમને જીવનમાં શક્તિ અને કીર્તિ મળશે.

ધનુ અને મીન
ધનુ અને મીન રાશિના જાતકોએ ખાસ કરીને ગુરુવારે ગુરુઓના આશીર્વાદ લેવા જોઈએ. ગુરુવારે ચોખા, પાણી અને ચણાના દાણાને મિક્સ કરીને આંબાના ઝાડ પર ચઢાવો અને ગુરુ મંત્રનો જાપ કરો. ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરો. જેના કારણે જીવનમાં સમૃદ્ધિ આવશે.

મકર અને કુંભ
મકર અને કુંભ રાશિના લોકોએ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. ખાસ કરીને મંગળવાર અને શનિવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવી જોઈએ. શુક્રવારે મા લક્ષ્મીને ગુલાબનું ફૂલ અર્પણ કરો અને પૂજા કરો. જેના કારણે દેવી લક્ષ્મીની કૃપાથી ધનની કૃપા બની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news