આજે દિવાળીનો પવિત્ર પર્વ, જાણો કેવું છે આજનું પંચાંગ અને શું કહે છે ગ્રહોની ચાલ

પંચાંગ એ સનાતન ધર્મનું એવું સચોટ માધ્યમ છે જેના આધારે આપણે સમય, ગ્રહો, તિથિ, વાર, ચોઘડિયા વગેેરે પરખી શકીએ છીએ. નક્ષત્રો અને ગ્રહોની ચાલ વિશે, સારા નરસા પરિણામોની ભાળ પણ અગાઉથી મેળવી શકીએ છીએ. 

આજે દિવાળીનો પવિત્ર પર્વ, જાણો કેવું છે આજનું પંચાંગ અને શું કહે છે ગ્રહોની ચાલ

Diwali 2023: દિવાળીનો પર્વ એ હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં સૌથી સર્વોપરિ વર્ષ માનવામાં આવે છે. ત્યારે આજના દિવસનું પણ ખાસ મહત્ત્વ હોય છે. એટલું જ નહીં આજના દિવસના પંચાંગ અને તિથિનું પણ વિશેષ મહાત્મય હોય છે. જાણીએ કે કેવું છે આજનું પંચાંગ અને શું કહે છે આજના દિવસે ગ્રહોની ચાલ...હિન્દુ ધર્મ એટલેકે, સદીઓથી ચાલ્યા આપવતા સનાતન ધર્મમાં પંચાંગની પરંપરા પણ ચાલી આવી છે. પંચાંગના આધારે દરેક કાર્યો કરવામાં આવતા હોય છે. તેથી પંચાંગનું પણ ખાસ મહત્ત્વ હોય છે. પંચાંગ આપણાં રોજીંદા કાર્યોમાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.

સનાતન (sanatan) ધર્મમાં અને હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. એનાથી એ પણ ખ્યાલ આવી જાય છેકે, કયા સમયે અમુક વિશેેષ કર્યો ન કરવા જોઈએ, કારણકે, તે માઠું પરિણામ આપી શકે છે. આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.

પંચાંગ શું છે અને તેને પંચાંગ કેમ કહેવામાં આવે છે?
પંચાંગ એ સનાતન ધર્મનું એવું સચોટ માધ્યમ છે જેના આધારે આપણે સમય, ગ્રહો, તિથિ, વાર, ચોઘડિયા વગેેરે પરખી શકીએ છીએ. નક્ષત્રો અને ગ્રહોની ચાલ વિશે, સારા નરસા પરિણામોની ભાળ પણ અગાઉથી મેળવી શકીએ છીએ. તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણએ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ.

તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ના આસો મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદસ 02:44 PM સુધી, બાદમાં અમાસ

વાર:- રવિવાર

યોગ:- આયુષ્યમાન 04:25 PM સુધી બાદમાં સૌભાગ્ય

કરણ:-શકુનિ 02:44 PM સુધી બાદમાં સૌભાગ્ય

નક્ષત્ર:સ્વાતિ 02:51 AM સુધી બાદમાં 13 નવેમ્બર સુધી બાદમાં વિશાખા

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય
સૂર્યોદય:- 06:37 AM

સૂર્યાસ્ત:- 05:53 PM

આજની રાશિ
આજની ચંદ્ર રાશિ તુલા રાશિ

અભિજીત મુહૂર્ત
આજ રોજ અભિજીત મુહૂર્ત 11:52 PM થી 12:38 PM સુધી રહેશે

આજ રોજ રાહુ કાળ 04:29 PM થી 05:53 PM સુધી રહેશે.હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news