અંબાજીમાં પદયાત્રીઓ માટે ફાઈવ સ્ટાર હોટલ જેવા કેમ્પ લાગ્યા, કોઇ દવા આપે તો કોઇ પગની માલીશ કરી આપે

Bhadaravi Poonam :   અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે બીજો દિવસ... પ્રથમ દિવસે 2.25 લાખથી માઈ ભક્તોએ માતાજીના કર્યા દર્શન... ભક્તો દ્વારા પહેલા દિવસે માતાને 56.38 લાખની ભેટ ચઢાવાઈ... 

અંબાજીમાં પદયાત્રીઓ માટે ફાઈવ સ્ટાર હોટલ જેવા કેમ્પ લાગ્યા, કોઇ દવા આપે તો કોઇ પગની માલીશ કરી આપે

Ambaji Temple અલકેશ રાવ/બનાસકાંઠા : ભક્તિ શક્તિ અને અસ્થાન કેન્દ્ર સમાં જગતજનની માં અંબાના ધામમાં ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થતા જ લાખો ભક્તો માં અંબાના ધામમાં ઉમટી પડ્યા છે ભક્તો નાચતા ગાતા ઢોલ નગારા સાથે માં ના ધામમાં મંદિર પરિસરમાં આવી પહોંચ્યા છે ભક્તો અંબાના ધામમાં આવતા તેમનામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે..

સુરતના ઓલપાડથી 13 દિવસ પગપાળા યાત્રા કરીને 50 લોકોનો સંઘ માં અંબાના ધામમાં આવી પહોંચ્યો છે વરસાદ માં પણ આ સંઘના ભક્તો સતત ચાલતા રહ્યા અને 13 દિવસ બાદ માં અંબાના ધામ આવીને માતાજીના દર્શન કરીને ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી. 13 ગજની ધજા લઈને આવેલા ભક્તો માતાજીને ધજા અર્પણ કરશે. ભક્તોનું કહેવું છે અમે સતત 13 દિવસ ચાલીને માંના ધામમાં પહોંચીને દર્શન કર્યા છે જેથી અમારો તમામ થાક ઉતરી ગયો છે અમે છેલ્લા 3 વર્ષથી 50 લોકોનો સંઘ લઈને આવીએ છીએ અમને ખુબજ મજા આવે છે માતાજી તમામ ભક્તો ઉપર પોતાની કૃપા બનાવી રાખે..જોકે સંઘમાં 70 વર્ષની ઉંમરના લોકો પણ જોડાઈને 13 દિવસ ચાલીને અંબાજી પહોંચ્યા છે.

પદયાત્રીઓ માટે ફાઈવ સ્ટાર હોટલ જેવા કેમ્પ
વિશ્વ પ્રસિદ્ધ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાવવાનો છે ત્યારે લાખો ભક્તો પગપાળા ચાલીને માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવે છે ત્યારે પગપાળા અંબાજી જઈ રહ્યા માઇ ભક્તો માટે અંબાજીના માર્ગો ઉપર ઠેર -ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો બનાવવાનું શરૂ કરી દેવાયું છે જયાં ભક્તો માટે ચા -નાસ્તા ,ભોજન સહીત આરામ જેવી અનેક સગવડો પુરી પાડવામાં આવશે તો સેવા કેમ્પોના સંચાલકો પદયાત્રીઓની સેવા કરવા આતુર બન્યા છે.ગુજરાતભરમાંથી અને બહારના રાજ્યમાંથી પણ અનેક ભક્તો અંબાજીના દર્શને કરવા પગપાળા યાત્રા કરશે ત્યારે લાંબું અંતર કાપીને આવતાં ભક્તોની સેવા કરવી એ પણ મહામૂલો અવસર છે એમ માનીને અનેક સેવાર્થીઓ પણ તેમને માટે અંબાજીના માર્ગો ઉપર રાહત અને સેવા કેમ્પોમાં બન્યા છે. ચાલતાં આવતાં ભક્તોની સેવા માટે ઉત્તર ગુજરાતના રસ્તાઓ પર ‘ફાઈવ સ્ટાર’ કેમ્પનું આયોજન કરાયું છે. પદયાત્રીઓને જમવાની, આરામની સુવિધા, ઠંડુ પાણી, દવાઓ, પગને આરામ આપવા માટે મસાજ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 

કોઇ દવા આપે તો કોઇ પગની માલીશ કરી આપે છે
દૂરદૂરથી પદયાત્રીઓ હાથમાં ધજા, માંડવડી, તો રથ સાથે અનેક કિલોમીટરનું અંતર કાપે છે. ત્યારે માર્ગમાં તેમની સેવામાં અનેક સેવા કેમ્પો માટે સેવકો જાણે રાહ જોતાં હોય તેમ ભાવથી શામિયાણામાં લઇ જઇને ભાવપૂર્વક ચા-નાસ્તો અને ચોખ્ખા ઘી ના શીરા સાથેનું પાકું ભોજન કરાવે છે. કોઇ દવા આપે તો કોઇ પગની માલીશ કરી આપે છે. પદયાત્રાએ જતાં માઇભક્તોની સેવા માટે જાણે ‘મા’ જ તેના દૂત મોકલ્યા હોય તેવા સાક્ષાત દર્શન આ સેવાધારીઓ કરતા હોય છે. ત્યારે ભક્તો માટે વિશાળ સામીયાણા બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભક્તો માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આ સેવા કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું છે.

સેવા કેમ્પના આયોજક હિતેશ ઠક્કરે જણાવ્યું કે, અમે છેલ્લા 16 વર્ષથી આ કેમ્પનું આયોજન કરીયે છીએ અમે ભોજન પ્રસાદ તેમજ આરામ ની સગવડ પુરી પાડીએ છીએ. અમે ભક્તોને દેશી ઘીની બુંદી, શાક રોટલી અને અન્ય વાનગીઓ બનાવીને પ્રેમથી ખવડાવીએ છીએ. 

પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સેવા કેમ્પો ભક્તોની દરેક બાબતનો ખ્યાલ રાખીને ભક્તો સેવા કેમ્પો બંધાયા છે. ત્યારે અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાનમાં જગદંબાના દર્શન કરવા માટે લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. સમગ્ર રસ્તાઓ માં અંબાના જયઘોષ ના નાદથી ગુંજી ઉઠ્યું છે. ભાદરવી પૂનમના મહામેળોને લઈને અંબાજીના માર્ગો ઉપર સેવા કેમ્પો બંધાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news