Photos: ભૂલી જાવ કેનેડા, આ દેશ બોલાવી-બોલાવીને 2 મહિનામાં આપી રહ્યો છે નાગરિકતા, ખર્ચ પણ ઓછો

Good option for foreign citizenship: ભારતના ઘણા બધા લોકો સુખ-સુવિધા અને બીજા કારણે પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરી બીજા દેશની નાગરિકતા લે છે. જો તમે પણ આવો કંઈ પ્લાન કરી રહ્યાં છો તો આજે અમે તમને એક સુંદર દેશ વિશે જણાવી રહ્યાં છીએ, જે સામાન્ય ઔપચારિકતા પૂરી કરી માત્ર 7 સપ્તાહમાં તમને નાગરિકતા આપી રહ્યું છે.
 

ભારતીયોનું નવું ઠેકાણું બની રહ્યું છે વાનુઅતુ

1/7
image

ભારતીયોનું પસંદગીનું ઠેકાણું બની રહેલ આ દેશનું નામ વાનુઅતુ છે. તે દક્ષિણ પ્રસાંત મહાસાગરમાં બસેલો એક નાનો દ્વીપ દેશ છે. આ દેશ છેલ્લા કેટલાક વર્ષોમાં નાગરિકતા બદલવા અને નવો પાસપોર્ટ હાસિલ કરવાનો સૌથી ઝડપી અને સસ્તો વિકલ્પ બની ઉભર્યો છે.   

વાનુઅતુ ગયાં વગર બની જાવ છો નાગરિક

2/7
image

રસપ્રદ વાત છે કે વાનુઅતુ તે ગણતરીના દેશોમાંથી એક છે, જ્યાં પર તમે ગયા વગર નારગિક બની શકો છો. હકીકતમાં આ દેશની સરકાર એક યોજના ચલાવે છે, જેનું નામ સિટીઝનશિપ બાઈ ઈન્વેસ્ટમેન્ટ છે. તે હેઠળ 1 કરોડ રૂપિયા પ્રતિ વ્યક્તિ, દોઢ કરોડ રૂપિયા પ્રતિ કપલ આપી અહીંના નાગરિક બની શકો છો.

ઈન્વેસ્ટમેન્ટ ફંડ આપી મળી જાય છે નાગરિકતા

3/7
image

જો કોઈ વ્યક્તિ આ દેશની નાગરિકતા હાસિલ કરવા ઈચ્છે છે તો તેણે યુએઈ કે કોઈ અન્ય દેશમાં એક વર્, સુધી રહી એનઆરઆઈનો દરજ્જો હાસિલ કરવો પડે છે. ત્યારબાદ યૂએઈની એક ફર્મ દ્વારા વાનુઅતુ સરકારને રોકાણ ફંડ આપી નાગરિકતા માટે અરજી કરવી પડે છે. અરજીના 7 સપ્તાહની અંદર વ્યક્તિના ઘર પર તેનો નવો પાસપોર્ટ પહોંચી જાય છે.

વનુઆતુ પાસપોર્ટને 55 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે

4/7
image

વાનુઅતુનના પાસપોર્ટ ધારક વ્યક્તિને 55થી વધુ દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી અને 34 દેશોમાં વીઝા ઓન અરાઇવલની સુવિધા ઉપલબ્ધ હતી. ઈયૂના દેશોમાં પણ અહીંના નાગરિક વીઝા ફ્રી એન્ટ્રી કરી શકતા હતા પરંતુ વર્ષ 2023માં યુરોપીય સંઘે તેની સાથે વીઝા છૂટ કાર્યક્રમને સસ્પેન્ડ કરી દીધો હતો.   

ધનીક ભારતીયોને આકર્ષિત કરી રહ્યું છે વાનુઅતુ

5/7
image

વાનુઅતુની આ સુવિધાઓ ધનીક ભારતીયોને ધીમે-ધીમે આકર્ષી રહી છે. અંદાજ પ્રમાણે છેલ્લા 10 વર્ષમાં લગભગ 30 એનઆરઆઈ ભારતીય નાગરિકોએ વાનુઅતુની નાગરિકતા લીધી છે. પૈસા આપી નાગરિકતા લેવાની આ રીત ભારતીયો અને રશિયનોની સાથે સંયુક્ત અરબ અમીરાતના લોકોમાં પણ લોકપ્રિય થઈ રહી છે.

ભારતીય ટેક્સથી બચવાનો સારો વિકલ્પ

6/7
image

વાનુઅતુની નાગરિકતાની વધુ એક ખાસિયત છે. જે લોકો ભારતમાં લાગતા ટેક્સથી બચવા ઈચ્છો છો કે તમારી કાળી કમાણી છુપાવવા ઈચ્છો છો તેના માટે પણ વાનુઅતુ શાનદાર ડેસ્ટિનેશન છે. હકીકતમાં ત્યાં વેરા સિસ્ટમ ખુબ સરળ છે અને ત્યાં પર જમા રકમની વિગત ભારત સરકારને જણાવવા માટે બાધ્ય નથી.  

આપે છે ડબલ નાગરિકતાની સુવિધા

7/7
image

ઘણા લોકો માલ્ટા, ગ્રેનાડા કે સાઇપ્રસ દેવા દેશોનો મજબૂત પાસપોર્ટ હાસિલ કરવા માટે પણ સ્ટોપગેપ વ્યવસ્થાના રૂપમાં વાનુઅતુની નાગરિકતાનો ઉપયોગ કરે છે. હકીકતમાં તેમાંથી ઘણા દેશ બેવડી નાગરિકતાની મંજૂરી આપે છે એટલે કે તમે વાનુઅતુની નાગરિકતા લઈ શકો છો તો ત્યાંના નાગરિક રહેતા બીજા દેશના નાગરિક પણ બની શકો છો.