પતિએ સેક્સ કરવાની ના પાડી તો પત્નીનો પિત્તો ગયો! પોલીસ સ્ટેશન થઈ કોર્ટ સુધી પહોંચ્યો મામલો

High Court in Husband Wife dispute Case : જસ્ટિસ એમ નાગપ્રસન્નાની અધ્યક્ષતાવાળી બેંચે પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વિચાર કરતા કહ્યું કે હિન્દુ મેરેજ એક્ટ-1955 હેઠળ જો પતિ પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરે તો તે ક્રૂરતા છે, પરંતુ તે કલમ 489A હેઠળ છે કે IPC હેઠળ આવતું નથી

પતિએ સેક્સ કરવાની ના પાડી તો પત્નીનો પિત્તો ગયો! પોલીસ સ્ટેશન થઈ કોર્ટ સુધી પહોંચ્યો મામલો

High Court in Husband Wife dispute Case : લગ્નના 28 દિવસ બાદ કંટાળી પત્નીએ કેસ કર્યો. પતિએ સેક્સ કરવાનો ઇનકાર કરતાં પત્નીએ પતિ વિરુદ્ધ નોંધાવી FIR, હાઈકોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો. પતિ દ્વારા શારીરિક સંબંધોનો ઇનકાર એ હિંદુ મેરેજ એક્ટ-1955 હેઠળ ક્રૂરતા સમાન છે, પરંતુ IPCની કલમ 498A હેઠળ નહીં, કર્ણાટક હાઇકોર્ટે એક ચુકાદામાં આ બાબતને ટાંકી છે. હાઈકોર્ટે એક વ્યક્તિ અને તેના માતા-પિતા સામે નોંધાયેલા ફોજદારી કેસમાં કાર્યવાહી રદ કરી હતી.

કર્ણાટક હાઈકોર્ટે પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધોના કાયદા પર મહત્વનો નિર્ણય આપ્યો છે. પત્નીએ પતિ અને તેના માતા-પિતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પત્નીનો આરોપ છે કે પતિએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની ના પાડી હતી. તે 1 મહિના સુધી પતિ સાથે રહી પરંતુ તે તેને પ્રેમ કરતો ન હતો, તેની સાથે શારીરિક સંબંધ બાંધતો ન હતો. મહિલાએ તેને ગુનો ગણાવી કેસ દાખલ કર્યો હતો. હાઈકોર્ટે સુનાવણી કરતા કહ્યું હતું કે જો પતિ પત્ની સાથે શારીરિક સંબંધ ન બનાવે તો તે ક્રૂરતા હોઈ શકે પરંતુ ગુનો નથી. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે પ્રેમનો અર્થ માત્ર સેક્સ નથી. પ્રેમ તો આત્માથી આત્માનું મિલન છે. હાઈકોર્ટે પતિ અને તેના માતા-પિતા વિરુદ્ધ નોંધાયેલ આઈપીસીની કલમો હેઠળનો કેસ રદ કર્યો હતો.

જસ્ટિસ એમ નાગપ્રસન્નાની અધ્યક્ષતાવાળી બેંચે પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વિચાર કરતા કહ્યું કે હિન્દુ મેરેજ એક્ટ-1955 હેઠળ જો પતિ પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરે તો તે ક્રૂરતા છે, પરંતુ તે કલમ 489A હેઠળ છે કે IPC હેઠળ આવતું નથી

'પતિએ ક્યારેય સેક્સ ન કર્યું '
મળતી માહિતી મુજબ, મહિલાના પતિએ તેની અને તેના માતા-પિતા વિરુદ્ધ IPCની કલમ 498A અને દહેજ પ્રતિબંધ કાયદાની કલમ 4 હેઠળ કેસ દાખલ કર્યો હતો. જેમાં મહિલાએ જણાવ્યું કે તેનો પતિ તેની સાથે સેક્સ નથી કરતો. આ કલમ 498A હેઠળ પણ લેવામાં આવી હતી. તપાસ બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. નીચલી અદાલતે તેનો સ્વીકાર કર્યો હતો.

નીચલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો-
પતિએ નીચલી કોર્ટમાં દાખલ કરેલી અરજીને કર્ણાટક હાઈકોર્ટમાં પડકારી હતી. ખંડપીઠે નોંધ્યું હતું કે અરજદાર સામે એકમાત્ર આરોપ એ છે કે તેણે તેની પત્ની સાથે શારીરિક સંબંધો નથી રાખ્યા. પત્નીના પિયરમાંથી દહેજ ન મળવાથી તે આવું કરતો હતો.

'પ્રેમનો અર્થ સેક્સ નથી'
ખંડપીઠે કહ્યું કે તે માને છે કે પ્રેમનો અર્થ ક્યારેય શારીરિક સંબંધ ન હોવો જોઈએ, પરંતુ તે આત્માથી આત્માનું મિલન હોવું જોઈએ. બેન્ચે કહ્યું કે પતિનો ક્યારેય તેની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઇરાદો નહોતો. લગ્નને પૂર્ણ ન કરવું એ નિઃશંકપણે હિંદુ મેરેજ એક્ટની કલમ 12(1)(a) હેઠળ ક્રૂરતા તરીકે આવે છે. પરંતુ, તે IPC કલમ 498A હેઠળ આવતું નથી.

પત્ની તેની સાથે 28 દિવસ સુધી રહી-
બેન્ચે કહ્યું કે પતિ સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરી શકાય નહીં. કારણ કે તે કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ હશે. મળતી માહિતી મુજબ, બંનેના લગ્ન 18 ડિસેમ્બર 2019ના રોજ થયા હતા અને ફરિયાદી પત્ની માત્ર 28 દિવસ જ તેના પતિના ઘરે રહી હતી.

પત્નીએ 5 ફેબ્રુઆરી, 2020 ના રોજ આઈપીસીની કલમ 498A હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે દહેજ ઉત્પીડન સાથે સંબંધિત છે. તેણીએ હિંદુ મેરેજ એક્ટની કલમ 12(1)(a) હેઠળ ફેમિલી કોર્ટમાં ફરિયાદ પણ દાખલ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે લગ્ન પછી કોઈ જાતીય સંબંધ નથી. પત્નીએ તેના પતિ અને તેના માતા-પિતા સામે ફોજદારી કેસ દાખલ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news