શું 2024માં BJP જીતની હેટ્રિક લગાવશે? જેપી નડ્ડાએ આપ્યો આવો જવાબ

મોદી સરકાર 2.0નું એક વર્ષ પુરૂ થતાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે પત્રકાર પરિષદ કરીને પાર્ટી અને કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ ગણાવી. તેમણે કહ્યું કે મોદી સરકાર બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં ખૂબ નિર્ણાયક નિર્ણય લેવામાં આવ્યા છે.

શું 2024માં BJP જીતની હેટ્રિક લગાવશે? જેપી નડ્ડાએ આપ્યો આવો જવાબ

નવી દિલ્હી: મોદી સરકાર 2.0નું એક વર્ષ પુરૂ થતાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે પત્રકાર પરિષદ કરીને પાર્ટી અને કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ ગણાવી. તેમણે કહ્યું કે મોદી સરકાર બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં ખૂબ નિર્ણાયક નિર્ણય લેવામાં આવ્યા છે. જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 અને 35-એ નાબૂદ કરવા વડાપ્રધાનમંત્રી મોદીની ઇચ્છાશક્તિનું પરિણામ હતું. આ કાર્યના સૂત્રધાર ગૃહમંત્રી અમિત શાહ બન્યા. 

શું સરકાર પ્રદર્શન આધારે 2024માં પણ સતત બીજી વાર સત્તામાં વાપસી પણ વિશ્વાસ છે? આ સવાલ પર નડ્ડાએ કહ્યું, ''જુઓ અમે લોકો સરકારમાં કામ એટલા માટે નથી કરતા કે સરકારમાં પાછા આવી શકીએ. દેશસેવા, રાષ્ટ્ર સેવાને લઇને અમે આગળ વધીએ છીએ અને કામ કરીએ છીએ. આજે મોદીજી, દિવસ-રાત 24 કલાક કામ કરી રાષ્ટ્રની સેવામાં સમર્પિત રહે છે. આ પ્રકારે સંસ્કાર અમે પાર્ટીમાં કાર્યકર્તાઓને પણ આપીએ છીએ. રાજકારણ ફક્ત ચૂંટણીના સમયે જ કરવામાં આવે છે. દરેક સમાયે રાજકારણ કરવાનો અમારો ઉદ્દેશ્ય નથી. દરેક સમયે લોકોની સેવાનો ઉદ્દેશ્ય છે.''

જેપી નડ્ડાએ કહ્યું કે કોરોના વિરૂદ્ધ ચાલી રહેલી જંગમાં મોદી સરકારની સફળતાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે 'આજે અમે એક વર્ષ પુરૂ કરી રહ્યા છીએ તો આખું વિશ્વ કોરોનાના ભરડામાં છે. અન્ય દેશોના મુકાબલે ભારતના વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોરોના વિરૂદ્ધ લડાઇ એ પ્રકારે લડી જેથી ભારતની સ્થિતિ સારી છે. 

નડ્ડાએ કહ્યુ કે, અન્ય દેશોના મુકાબલે ભારતે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોરોના વિરુદ્ધ લડાઈ તે રીતે લડી જેમાં ભારતની સ્થિતિ સારી છે. તેમણે તે પણ કહ્યુ કે, ભારત આ સમયે ખુદને સંભાળતા આત્મનિર્ભર પણ બની રહ્યું છે. તેમણે જણાવ્યું કે, લૉકડાઉનના સમયે ભારતની કોરોના ટેસ્ટની ક્ષમતા માત્ર 10 હજાર પ્રતિદિવસ હતી આજે આ ક્ષમતા 1.60 લાખ ટેસ્ટ પ્રતિદિન છે. નડ્ડા પ્રમાણે, આજે દેશમાં આશરે 4.50 લાખ પીપીઈ કિટ્સ પ્રતિદિન બની રહી છે. આશરે 58,000 વેન્ટિલેટર દેશમાં બની રહ્યાં છે. 

સીએએનો ઉલ્લેખ કરતા નડ્ડાએ આગળ કહ્યુ, વર્ષોથી નાગરિકતા સંશોધન બિલ લટલાવવામાં આવી રહ્યું હતું. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક ભેદભાવનો શિકાર શરણાર્થીઓને નાગરિકતા મળવી જોઈતી હતી પરંતુ તે થઈ શકતું નહતું. પ્રધાનમંત્રીએ નિર્ણય લીધો અને તેને કારણે આજે દેશમાં સીએએ લાગૂ થયું અને અલ્પસંખ્યકોને મુખ્યધારામાં સામેલ થવાની તક મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news