કોંગ્રેસ નેતાઓમાં મોદી સરકારની પ્રશંસા કરવાની કેમ લાગી છે લાઇન? લિસ્ટમાં ખુર્શીદ પણ સામેલ

કોંગ્રેસ નેતા અને પૂર્વ કેંદ્વીય મંત્રી શશિ થરૂર ગત ઓગસ્ટમાં વડાપ્રધાન મોદીને એક ટ્વિટમાં પ્રશંસા કરતાં કહ્યું હતું, હું છ વર્ષથી દલીલ આપી રહ્યો હતો કે જો નરેંદ્ર મોદી કોઇ સારું કામ કરે છે અથવા સારી વાત કહે છે, ત્યારે તેની પ્રશંસા કરવી જોઇએ, જેથી જ્યારે તે કંઇ ખોટું કરે, અને અમે તેની ટીકા કરીએ તો તેની વિશ્વસનીયતા રહે. 

કોંગ્રેસ નેતાઓમાં મોદી સરકારની પ્રશંસા કરવાની કેમ લાગી છે લાઇન? લિસ્ટમાં ખુર્શીદ પણ સામેલ

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેંદ્વીય મંત્રી સલમાન ખુર્શીદ (Salman Khurshid)એ મંગળવાર આયુષ્માન ભારત યોજનાને બહાને મોદી સરકારની પ્રશંસા કરી હતી. તેમણે લખનઉ નાણા આયોગની બેઠક દરમિયાન કહ્યું કે આ એક સારી યોજના છે, જેને બધાનો સહયોગ મળવો જોઇએ. આ પહેલાં કોંગ્રેસના ચાર અન્ય ચહેરા કોઇને કોઇ બહાને વડાપ્રધાન મોદી અથવા તેમની સરકારના કાર્યોની પ્રશંસા કરી ચૂક્યા છે. તેમાંથી મોટાભાગના મનમોહન સરકારમાં કેંદ્વીય મંત્રી રહી ચૂક્યા છે. 

નાણા આયોગની 15મી બેઠક મંગળવારે અહીં ભાગ લેવા માટે આવેલા સલમાન ખુર્શીદે મોદી સરકારની આયુષ્માન ભારત યોજનાની જોરદાર પ્રશંસા કરી. તેમણે કહ્યું કે 'ગરીબોની સાથે જ મધ્ય વર્ગના લોકો માટે એટલી શાનદાર યોજના છે કે દરેકને તે યોજનાનું સમર્થન કરવું જોઇએ. એક સારી યોજના છે, જેને બધાનો સાથ મળવો જોઇએ.'

તેમણે કહ્યું કે અત્યારે આયુષ્માન ભારતને યોગ્ય રીતે લાગૂ કરવામાં આવી નથી. તેના પર એટલા પૈસા ખર્ચ કરવામાં આવ્યા નથી, જેટલા તેના માટે ફાળવવામાં આવ્યા હતા. આ એક સારી યોજના છે અને દરેકે તેની પ્રશંસા કરવી જોઇએ. 

કોંગ્રેસ નેતા અને પૂર્વ કેંદ્વીય મંત્રી શશિ થરૂર ગત ઓગસ્ટમાં વડાપ્રધાન મોદીને એક ટ્વિટમાં પ્રશંસા કરતાં કહ્યું હતું, હું છ વર્ષથી દલીલ આપી રહ્યો હતો કે જો નરેંદ્ર મોદી કોઇ સારું કામ કરે છે અથવા સારી વાત કહે છે, ત્યારે તેની પ્રશંસા કરવી જોઇએ, જેથી જ્યારે તે કંઇ ખોટું કરે, અને અમે તેની ટીકા કરીએ તો તેની વિશ્વસનીયતા રહે. 

તો બીજી થરૂર પહેલાં વધુ એક પૂર્વ કેંદ્વીય મંત્રી અને કોંગ્રેસ નેતા જયરામ રમેશ પણ પ્રશંસા કરી ચૂક્યા છે. તે પણ પૂર્વમાં કહી ચૂક્યા છે. સમય આવી ગયો છે કે હવે અમે 2014 થી 2019 દરમિયાન મોદી દ્વારા કરવામાં આવેલા કામોને સમજો, જેના લીધે તે મતદારોના 30 ટકાથી વધુ વોટથી સત્તામાં પરત ફર્યા.

તો બીજી તરફ કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી પણ વડાપ્રધાન નરેંદ્ર મોદીને હંમેશા ખરાબ ખોટા ગણાવે છે. તેમણે કહ્યું હતું કે કામની ટીકા કોઇ વ્યક્તિના આધાર પર નહી પરંતુ મુદ્દાઓના આધાર પર કરવી જોઇએ. તો પાંચ ઓગસ્ટના રોજ જ્યારે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવામાં આવી તો ત્યારબાદ કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ મોદી સરકારના નિર્ણયની પ્રશંસા કરી ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news