Video: આતંકવાદીની પત્નીએ સેનાને કહ્યું તે જીવતો પાછો ફર્યો તો તેની ગર્દન કાપી નાખીશ

આતંકવાદીઓનાં પરિવારને મળીને તેને સરેન્ડર કરવા માટે સમજાવી રહેલા લશ્કરી અધિકારીઓ પણ પત્નીનો જવાબ સાંભળીને ચોંકી ઉઠ્યા

Video: આતંકવાદીની પત્નીએ સેનાને કહ્યું તે જીવતો પાછો ફર્યો તો તેની ગર્દન કાપી નાખીશ

નવી દિલ્હી : અમે સરેન્ડર માટે નહી કહીએ, આ ઘરમાં માત્ર તેની લાશ જ આવશે. જો તે જીવતો પણ આવ્યો, તો હું પોતે જ તેની ગર્દન કાપી નાખીશ. મગજને સુન્ન કરનાર આ ડાયલોગ આતંકવાદના રસ્તે પર જઇ ચુકેલા એક આતંકવાદીની પત્નીના છે. જમ્મુ કાશ્મીરમાં હાલનાં દિવસોમાં સેનાનાં અધિકારીઓ તે નવયુવાનોના પરિવારને મળી રહ્યા છે કે જે આતંકવાદીઓ સાથે જોડાઇ ચુક્યા હોય. આ પ્રયાસ હેઠળ સેનાનાં કેટલાક અધિકારીઓ ખીણના એક પરિવારને મળવા માટે પહોંચ્યા હતા. 

સેનાના અધિકારીઓ આતંકવાદી બની ચુકેલા યુવકનાં પિતાને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે પોતાનાં પુત્રને સરેન્ડર કરવા માટે તૈયાર કરે. સેનાનાં અધિકારીઓએ સમજાવ્યું કે, આતંકવાદનાં રસ્તે કંઇ જ નથી મળતું. તેની પાસે હજી પણ તક છે કે તે સમાજની મુખ્યધારામાં પરત ફરે. સેનાના અધિકારીઓએ આતંકવાદીનાં પિતાને સમજાવી રહ્યા હતા. આતંકવાદીના પિતા કહી રહ્યા હતા કે સરેન્ડર કોણ કરે છે જે એક વાર નિકળી ગયું તે પાછુ ક્યાં આવે છે.  સૈન્ય અધિકારીઓ અને તેનાં પિતા વચ્ચે આ સંવાદ ચાલી રહ્યો હતો ત્યારે જ અચાનક તેની પત્ની સંવાદમાં વચ્ચે આવી. 

આતંકવાદીની પત્નીનું વલણ ખુબ જ તીખું હતું. મહિલાએ સેનાના અધિકારીઓને પુછ્યું કે તમારો શો અર્થ છે તમે અમને કેમ બોલાવશો ? સૈન્ય અધિકારીએ શાલિનતાથી જવાબ આપતા કહ્યું કે, અમે તમને બોલાવીશું કારણ કે શક્ય છે તે કદાચ કોઇ ઘરમાં ફસાઇ ગયો હોય. અમે તમને બોલાવીને તે સરેન્ડર કરે તેવા પ્રયાસો કરીશું જેથી તે સમાજની મુખ્ય ધારામાં પરત ફરી શકે.  જેનાં જવાબમાં મહિલાએ તીખો જવાબ આપતા કહ્યું કે, અમે તેને સરેન્ડર કરવા માટે ક્યારે પણ નહી કહીએ.જો તે જીવતો પાછો આવી પણ જાય છે તો હું મારા હાથે તેને ઠાર મારીશ.આતંકવાદની પત્નીનો આ તીખો જવાબ સાંભળીને સૈન્ય અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. 

સૈન્ય અધિકારીએ ધેર્ય સાથે જવાબ આપતા કહ્યું કે, ઘરે બાળક છે, ઘરે પાછો આવી જાય તો સારૂ છે. તેનાથી સારી બીજી વાત શું હોઇ શકે. મહિલાએ કહ્યું અમારે તેની કોઇ જરૂર નથી. અમે કેમ તેને પાછો બોલાવીએ. અમારે તેની કોઇ જરૂર નથી. સૈન્ય અધિકારીએ કહ્યું કે, ઘણી વખત ગુસ્સામાં આવીને તેઓ હથિયાર ઉઠાવી લેતા હોય છે પરંતુ જ્યારે ગુસ્સો ઉતરે ત્યારે ઘણુ મોડુ થઇ ગયું હોય છે... આતંકવાદીની પત્નીએ કહ્યું કે, કોઇ સાથે લડાઇ કે ઝગડો નથી કર્યો તેણે પોતાની ઇચ્છાથી જ કર્યું છે. તેને લાગી રહ્યું છે કે સારૂ કર્યું છે તો સારૂ જ કર્યું હશે. હવે તે આ ઘરમાં માત્ર તેની લાશ જ આવશે. જો તે જીવતો આવશે તો હું મારા હાથે તેની ગર્દન ઉડાવી દઇશ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news