સુપ્રીમના ચુકાદા બાદ આવતીકાલે ખુલશે સબરીમાલા મંદિરના દ્વાર, કેરળમાં તણાવભર્યો માહોલ

પર્વત પર આવેલા સબરીમાલા મંદિરથી લગભગ 20 કિમી દૂર બેઝ કેમ્પ નિલાકલમાં પરંપરાગત સાડી પહેરેલી મહિલાઓના જૂથનાં દરેક વાહનને રોકવામાં આવી રહ્યા છે

સુપ્રીમના ચુકાદા બાદ આવતીકાલે ખુલશે સબરીમાલા મંદિરના દ્વાર, કેરળમાં તણાવભર્યો માહોલ

તિરૂવનંતપુરમઃ કેરળમાં માસિક પૂજા માટે ભગવાન અયપ્પાનું મંદિર બુધવારે ખુલવાનું છે. સબરીમાલા મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર કહેવાતા નિકાલકલમાં તણાવ પેદા થઈ ગયો છે, કેમ કે મંગળવારે ભક્તોએ પ્રતિબંધિત વયજૂથની મહિલાઓને મંદિર તરફ લઈને આવતા વાહનોને અટકાવી દીધા છે. 

સુપ્રીમ કોર્ટે તમામ વયજૂથની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ આપવા અંગે આપેલા ચૂકાદા બાદ અહીં પરિસ્થિતિ તંગ બની ગઈ છે. પશ્ચિમ ઘાટની પર્વતશ્રૃંખલા પર આવેલા આ મંદિરના દરવાજા સુપ્રીમના ચૂકાદા બાદ બુધવારે પ્રથમ વખત ખુલી રહ્યા છે. મુખ્યમંત્રી પી. વિજયને જણાવ્યું કે, સબરીમાલા મંદીરમાં જતા શ્રદ્ધાળુઓને રોકવાની કોઈને પણ મંજુરી અપાશે નહીં. 

— ANI (@ANI) October 16, 2018

અત્યારે તો પર્વત પર આવેલા સબરીમાલા મંદિરથી લગભગ 20 કિમી દૂર આવેલા તળેટીમાં આવેલી શિબિર નિલાકલમાં પરંપરાગત સાડીમાં સજ્જ મહિલાઓનાં જૂથને લઈ જતા દરેક વાહનને રોકવામાં આવી રહ્યા છે અને ચેકિંગ કરાઈ રહ્યું છે, જેમાં વરિષ્ઠ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. 

કેરળ રાજ્ય પરિવહન નિગમની બસો પણ અટકાવી
ખાનગી વાહનો ઉપરાંત શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી કેરળ રાજ્ય પરિવહન નિગમની બસોને પણ અટકાવવામાં આવી છે. તેમાંથી યુવતીઓને ઉતરી જવા માટે જણાવાઈ રહ્યું છે. આ ઘટના સમયે ત્યાં પોલીસની સંખ્યા ઘણી જ ઓછી હતી. 

madhavpramod1 caught up with some of them, who were checking vehicles which were h… pic.twitter.com/ffeuuMjTIP

— Vikram Bodke 🤩 (@vickrambodke) October 16, 2018

એક મહિલા આંદોલનકારીએ જણાવ્યું કે, 'પ્રતિબંધિત ઉંમર 10થી 50 વર્ષના વયજૂથની મહિલાઓને નિકાલતથી આગળ જવા દેવાશે નહીં અને તેમને મંદિરમાં પૂજા કરવાની પણ મંજુરી અપાશે નહીં.' 

— ANI (@ANI) October 16, 2018

ઉલ્લેખનીય છે, મંદિરને મલયાલમ થુલામ મહિનામાં 5 દિવસની માસિક પૂજા બાદ 22 ઓક્ટોબરના રોજ બંધ કરી દેવાયું હતું. 

હવે, આવતીકાલે બુધવારે તેને ફરીથી ખોલવામાં આવી રહ્યું છે. સુપ્રીમના ચૂકાદા મુજબ 10 થી 50 વર્ષના વયજૂથની મહિલાઓ પણ તેમને મળેલા અધિકાર મુજબ મંદિરમાં પૂજા કરવા મંદિર તરફ પ્રયાણ કરી રહી છે. બુધવારે મંદિરના પટાંગણમાં ભારે સંઘર્ષ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news