CAA અને NRC થી મુસલમાનોને કોઈ સમસ્યા થશે નહીંઃ મોહન ભાગવત

ગુવાહાટીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે, રાજકીય ફાયદા માટે સીએએ અને એનઆરસીને સાંપ્રદાયિક રૂપ આપવામાં આવ્યું. તેને હિન્દુ-મુસ્લિમ વિભાજનથી કોઈ લેવાદેવા નથી. 
 

CAA અને NRC થી મુસલમાનોને કોઈ સમસ્યા થશે નહીંઃ મોહન ભાગવત

ગુવાહાટીઃ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે, નાગરિકતા કાયદો (CAA) કોઈપણ ભારતના નાગરિક વિરુદ્ધ બનાવવામાં આવ્યો નથી. ભારતના નાગરિક મુસલમાનોને સીએએથી કંઈ નુકસાન થશે નહીં. તેમણે કહ્યું કે, વિભાજન બાદ એક આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આપણે દેશના અલ્પસંખ્યકોની ચિંતા કરીશું. આપણે આજ સુધી તેની પાલન કરી રહ્યાં છીએ. પાકિસ્તાને તેમ કર્યું નથી. 

સંઘ પ્રમુખે કહ્યુ- સીએએથી કોઈ મુસલમાનને કોઈ સમસ્યા ન હોવી જોઈએ. સીએએ અને એનઆરસીને હિન્દુ-મુસ્લિમ વિભાજનથી કોઈ લેવા-દેવા નથી. રાજકીય લાભ લેવા માટે તેને સાંપ્રદાયિક રૂપ આપવામાં આવ્યું છે. 

— ANI (@ANI) July 21, 2021

આ સાથે તેમણે કહ્યું- 1930થી યોજનાબદ્ધ રીતે મુસ્લિમોની સંખ્યા વધારવાના પ્રયાસ થયા, એવો વિચાર હતો કે જનસંખ્યા વધારી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરીશું અને પછી દેશને પાકિસ્તાન બનાવીશું. આ વિચાર પંજાબ, સિંધ, અસમ અને બંગાળ વિશે હતો. કેટલીક માત્રામાં આ સત્ય થયું, ભારતનું વિખંડન થયું અને પાકિસ્તાન થઈ ગયું. પરંતુ જેવું જોઈતું હતું તેમ ન થયું. 

મોહન ભાગવતે કહ્યુ- આપણે દુનિયા પાસેથી ધર્મનિરપેક્ષતા, સમાજવાદ, લોકતંત્ર શીખવાની જરૂર નથી. આ આપણી પરંપરામાં છે, આપણા લોહીમાં છે. આપણે દેશે તેને લાગૂ કર્યું છે અને જીવિત રાખ્યું છે. ગુવાહાટીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે આ વાત કહી છે. 

મોહન ભાગવત મંગળવારે સાંજે બે દિવસની યાત્રાએ અસમ પહોંચ્યા હતા. અસમમાં ભાજપની સત્તામાં વાપસી બાદ ભાગવતની રાજ્યમાં પ્રથમ યાત્રા છે . આરએસએસના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યુ હતુ કે મોહન ભાગવત અસમના વિવિધ ક્ષેત્રો અને અરૂણાચલ પ્રદેશ, મણિપુર અને ત્રિપુરા જેવા અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે બેઠક યોજી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news