ભારતનું છેલ્લું રેલવે સ્ટેશન, નીચે ઉતરો અને ચાલવાનું શરૂ કરી દેશો તો બીજા દેશમાં પહોંચી જશો, એકપણ રૂપિયાનો ખર્ચ નહીં થાય

Singhabad Railway Station : ભારતમાં સિંઘબાદ રેલવે સ્ટેશન એવું છે, જ્યાં પગપાળા ચાલીને બીજા દેશમાં પહોંચી શકાય છે. શું તમે જાણો છો કે આ સ્ટેશન કયા રાજ્યમાં અને ક્યાં આવેલું છે? 

ભારતનું છેલ્લું રેલવે સ્ટેશન, નીચે ઉતરો અને ચાલવાનું શરૂ કરી દેશો તો બીજા દેશમાં પહોંચી જશો, એકપણ રૂપિયાનો ખર્ચ નહીં થાય

કોલકત્તાઃ ભારતમાં 8 હજારથી વધુ રેલવે સ્ટેશન છે. ભારતીય રેલ્વે દેશના ખૂણે ખૂણે પહોંચી ગઈ છે. દેશમાં ઘણા એવા રેલવે સ્ટેશન છે જેની સાથે અનેક પ્રકારના તથ્યો જોડાયેલા છે.

સિંઘબાદ તરીકે ઓળખાતું ભારતના એક ખૂણામાં આવેલું છેલ્લું રેલવે સ્ટેશન બાંગ્લાદેશની સરહદે આવેલું છે. જો કે હવે અહીં માલગાડીઓનું પરિવહન થાય છે.

સિંઘબાદ રેલ્વે સ્ટેશન પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના હબીબપુરમાં આવેલું છે. ખાસ વાત એ છે કે આ સ્ટેશન બાંગ્લાદેશની બોર્ડરથી એટલું નજીક આવેલું છે કે અહીંથી લોકો પગપાળા ચાલીને અન્ય દેશોમાં ફરવા જાય છે. 

ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ આ સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ વર્ષ 1978માં આ રેલવે સ્ટેશન પર ફરીથી ટ્રેનો આવવા-જવા લાગી હતી. 

સિંઘબાદ રેલ્વે સ્ટેશનથી ટ્રેન મારફતે બાંગ્લાદેશથી નેપાળમાં ખાતરની નિકાસ કરવામાં આવે છે. અહીં સિગ્નલથી લઈને મશીન સુધી બધું અંગ્રેજોના જમાનાનું છે. 

તે જ સમયે 2008 માં શરૂ કરાયેલા આ રેલવે સ્ટેશન પરથી ફક્ત 2 પેસેન્જર ટ્રેનો પસાર થાય છે. સિંઘબાદ સ્ટેશનના બોર્ડ પર ભારતની સરહદ એટલે કે છેલ્લું રેલવે સ્ટેશન લખેલું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news