પંજાબ કોંગ્રેસ વિવાદઃ કમિટી સાથે CM અમરિંદરે કરી ચર્ચા, પાર્ટી નેતાઓની ફરિયાદનો આપ્યો જવાબ

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદને દૂર કરવાના ઈરાદાથી રચાયેલી કમિટી સાથે મુખ્યમંત્રી અમરિંદર સિંહે બેઠકની વિગતો આપવાનો ઇનકાર કરી દીધો છે. 

પંજાબ કોંગ્રેસ વિવાદઃ કમિટી સાથે CM અમરિંદરે કરી ચર્ચા, પાર્ટી નેતાઓની ફરિયાદનો આપ્યો જવાબ

નવી દિલ્હીઃ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ પ્રદેશ કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદને દૂર કરવાના ઈરાદાથી રચાયેલી સમિતિ સમક્ષ શુક્રવારે હાજર થયા અને આ મુલાકાત આશરે ત્રણ કલાક ચાલી હતી. 

સૂત્રો પ્રમાણે કેપ્ટન પૂરાવા તરીકે દસ્તાવેજ લઈને આવ્યા હતા કે કઈ રીતે તેમણે ધારાસભ્યો સહિત અન્ય નેતાઓની વિનંતી પર કામ કરાવ્યું. કેપ્ટને તેમને લઈને નેતાઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદોનો પણ જવાબ આપ્યો હતો. 

— ANI (@ANI) June 4, 2021

બેઠક બાદ અમરિંદર સિંહે આ મુલાકાતની વિગતો આપવાનો ઇનકાર કર્યો, પરંતુ તેમણે તે વાત પર ભાર આપ્યો કે આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી મળીને જીતવી છે. 

પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે અમરિંદર સિંહની આ મુલાકાતની સાથે સમિતિની સંવાદ કરવાની કવાયત પૂરી થઈ ગઈ. તે હવે જલદી પાર્ટી હાઈકમાન્ડને રિપોર્ટ આપશે.

100 નેતાઓ સાથે કરવામાં આવી ચર્ચા
રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતાવાળી સમિતિએ છેલ્લા ચાર દિવસમાં પંજાબ કોંગ્રેસના 100થી વધુ નેતાઓના વિચાર જાણ્યા છે. તેમાં મોટાભાગના ધારાસભ્ય છે. 

ખડગે સિવાય કોંગ્રેસ મહાસચિવ અને પંજાબ પ્રભારી હરીશ રાવત તથા દિલ્હી પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જેપી અગ્રવાલ આ સમિતિમાં સામેલ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સપ્તાહથી મુખ્યમંત્રી અમરિંદર અને પાર્ટી નેતા નવજોત સિંહ સિદ્ધૂ વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય પરગટ સિંહ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના કેટલાક અન્ય નેતાઓએ પણ મુખ્યમંત્રી વિરુદ્ધ મોર્ચો ખોલી રાખ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news