‘બોટ યાત્રા’ બાદ હવે ટ્રેનથી અયોધ્યા સુધી મુસાફરી કરશે પ્રિંયકા ગાંધી વાડ્રા

લોકસભા ચૂંટણી 2019થી પહેલા કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા યૂપીમાં પાર્ટી માટે રાજકીય જમીન તૈયાર કરવામાં લાગી છે.

‘બોટ યાત્રા’ બાદ હવે ટ્રેનથી અયોધ્યા સુધી મુસાફરી કરશે પ્રિંયકા ગાંધી વાડ્રા

ફૈઝાબાદ: લોકસભા ચૂંટણી 2019થી પહેલા કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા યૂપીમાં પાર્ટી માટે રાજકીય જમીન તૈયાર કરવામાં લાગી છે. આ ક્રમમાં મતદાતાઓથી સંપર્ક કરવા માટે પ્રયાગરાજથી વારાણસી વચ્ચે બોટ યાત્રા બાદ હવે પ્રિયંકા ગાંધી વાડ્રા ફરીથી યૂપીના ત્રણ દિવસીય પ્રવાસ કરશે. પ્રિયંકા ગાંધી 27, 28 અને 29 માર્ચ આ ત્રણ દિવસીય યૂપીના પ્રવાસે જશે. તે દરમિયાન પહેલા દિવસે પ્રિયંકા ગાંધી 27 માર્ચે દિલ્હીથી અયોધ્યા વચ્ચે ટ્રેન યાત્રા કરશે.

પ્રિયંકા ગાંધી અયોધ્યામાં રોડ શો કરશે. જોકે, હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે તેઓ પવિત્ર શહેરના કોઇ ધાર્મિક સ્થળ પર જશે કે નહીં. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ રાજેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધી વાડ્રા દિલ્હીથી કૈફિયત એક્સપ્રેસ દ્વારા અયોધ્યા માટે રવાના થશે. ટ્રેન સવારે 5 કલાક 30 મિનિટ પર ત્યાં પહોંચવાની આશા છે. સિંહે કહ્યું કે, અયોધ્યા રેલવે સ્ટેશન નજીક આવેલી એક હોટલમાં થોડીવાર રોકાયા બાદ તે સવારે 10 વાગે અયોધ્યામાં રોડ શો કરશે.

લગભગ 50 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ રોડ શો કુમારગંજમાં સમાપ્ત થશે. તેમણે કહ્યું કે, રોડ શોમાં 32 પડાવ હશે. પ્રિયંકા સ્થાનીય લોકોથી મળશે અને અયોધ્યામાં બે જનસભાઓને પણ સંબોધન કરશે. તેઓ એક સ્થાનિક સ્કૂલમાં બાળકોને પણ મળશે. આ ત્રણ દિવસમાં તેઓ મધ્ય યૂપીમાં કોંગ્રેસ માટે માહોલ બનાવશે. અયોધ્યાથી ઉન્નાવ સુધીના પ્રવાસ વચ્ચે સમય કાઢી તેઓ રાયબરેલી અને અમેઠી પણ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news