NTRO નો મોટો ખુલાસો: એર સ્ટ્રાઇક સમયે આતંકી કેમ્પમાં એક્ટિવ હતા 300 મોબાઇલ

ભારતીય સુરક્ષા એજન્સીઓએ બાલાકોટમાં આતંકી અડ્ડાઓ પર હુમલા દરમિયાન ટેક્નીકલ સર્વેલન્સથી જાણકારી મળી હતી કે આતંકી કેમ્પોમાં 300 મોબાઇ એક્ટિવ હતા.

NTRO નો મોટો ખુલાસો: એર સ્ટ્રાઇક સમયે આતંકી કેમ્પમાં એક્ટિવ હતા 300 મોબાઇલ

નવી દિલ્હી: પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરી નષ્ટ કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકી અડ્ડાઓ પર થયેલા હુમલામાં 300 આતંકીઓ માર્યા ગયા હતા. ત્યાર બાદથી વિપક્ષના ઘણા નેતાઓએ એર સ્ટ્રાઇકના પુરાવો આપવા અને માર્યા ગેયલા આતંકીઓની સંખ્યા જણાવવાને લઇને કેન્દ્ર સરકારને સવાલ પૂછવાનું શરૂ કરી દીધુ હતું. ન્યૂઝ એજન્સી એએનઆઇના અનુસાર, સુત્રોનું માનીએ તો, નેશનલ ટેક્નીકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (NTRO) એ જણાવ્યું છે કે એર સ્ટ્રાઇક દરમિયાન આતંકી કેમ્પોમાં 300 મોબાઇ ફોન એક્ટિવ હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સુરક્ષા એજન્સીઓએ બાલાકોટમાં આતંકી અડ્ડાઓ પર હુમલા દરમિયાન ટેક્નીકલ સર્વેલન્સથી જાણકારી મળી હતી કે આતંકી કેમ્પોમાં 300 મોબાઇ એક્ટિવ હતા. તેનાથી સ્પષ્ટ જાણવા મળે છે. કે ત્યાં 300 લોકો હાજર હતા. સૂત્રોના અનુસાર, NTROએ ભારતીય વાયુસેનાથી પરવાનગી મળ્યા બાદ ખૈબરપખ્તુનવા વિસ્તારના આતંકી અડ્ડાઓને સર્વેલન્સમાં લીધા હતા. એર સ્ટ્રાઇક બાદ આ બધા મોબાઇલ સ્વિચ ઓફ થઇ ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news