પંજાબ કેબિનેટમાં ફેરબદલ, આખરે કેપ્ટનનું ધાર્યું થયું અને સિદ્ધુનું મંત્રાલય બદલાયું

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો છે. આ ફેરફાર હેઠળ નવજોતસિંહ સિદ્ધુને અપાયેલું શહેરી વિકાસ મંત્રાલય હટાવીને તેની જગ્યાએ હવે ઉર્જા મંત્રાલય અપાયું છે.

પંજાબ કેબિનેટમાં ફેરબદલ, આખરે કેપ્ટનનું ધાર્યું થયું અને સિદ્ધુનું મંત્રાલય બદલાયું

ચંડીગઢ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો છે. આ ફેરફાર હેઠળ નવજોતસિંહ સિદ્ધુને અપાયેલું શહેરી વિકાસ મંત્રાલય હટાવીને તેની જગ્યાએ હવે ઉર્જા મંત્રાલય અપાયું છે. કેપ્ટન અમરિન્દર સિંહ અને સિદ્ધુ વચ્ચે લાંબા સમયથી ટકરાવની સ્થિતિ છે. લોકસભા ચૂંટણી દરમિયન બંને વચ્ચે તણાવ વધી ગયો. કેપ્ટને એવો આરોપ લગાવ્યો હતો કે સિદ્ધુના નિવેદનોના કારણે પાર્ટીને રાજ્યમાં ફક્ત 8 બેઠકો મળી. અમરિન્દરે હાલમાં જ કહ્યું હતું કે તેઓ લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનને જોતા સિદ્ધુનો વિભાગ બદલવા માંગે છે. 

આ બાજુ સિદ્ધુ આજે કેબિનેટ બેઠકમાં પણ સામેલ થયા નહતાં. સિદ્ધુનું કહેવું હતું કે તેમને હળવાશમાં લઈ શકાય નહીં. સિદ્ધુએ કહ્યું કે, 'મને જરાય હળવાશમાં લઈ શકાય નહીં. મેં મારા જીવનના 40 વર્ષ સુધી સારું પ્રદર્શન કરીને બતાવ્યું છે. ભલે પછી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત હોય કે પછી જ્યોફ્રી બોયકોટ સાથે વિશ્વસ્તરની કોમેન્ટ્રીની વાત હોય. ટીવી કાર્યક્રમની વાત હોય કે પ્રેરક વાર્તાનો મામલો હોય.' તેમણે કહ્યું કે પંજાબમાં પાર્ટીની જીતમાં શહેરી વિસ્તારોએ મહત્વની ભૂમિકા ભજવી અને તેમના વિભાગ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.  

જુઓ LIVE TV

સિદ્ધુએ કહ્યું કે ફક્ત મારા વિભાગ પર જાહેરમાં નિશાન સાધવામાં આવી રહ્યું છે. હું હંમેશા મારાથી મોટા હોવાના નાતે તેમનું સન્માન કરું છું. હું હંમેશા તેમની વાત સાંભળુ છું. પરંતુ તેનાથી દુ:ખ પહોંચે છે. સામૂહિક જવાબદારી ક્યાં ગઈ? આ હાર માટે એકલો હું કેવી રીતે જવાબદાર થયો? તેઓ મને બોલાવીને જે પણ કહેવું હોય તે કહી શકતા હતાં. અત્રે જણાવવાનું કે હાલમાં થયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને પંજાબની 13 બેઠકોમાંથી 8 બેઠકો મળી છે. શીરોમણી અકાલી દળ-ભાજપને ચાર અને આમ આદમી પાર્ટીને એક બેઠક મળી છે. 

ગુરુવારે મીડિયા સાથે વાતચીત કરતા નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું કે મને બે બેઠકોની જવાબદારી સોંપવામાં આવી હતી અને બંને બેઠકો પર કોંગ્રેસ જીતી છે. ભટિંડા સીટ પર મળેલી  હાર માટે મને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે, જ્યારે આ આરોપ સદતંર ખોટો છે. અનેક કેબિનેટ મંત્રી મારું રાજીનામું ઈચ્છે છે, કેપ્ટન સાહેબ પણ હાર માટે મને જવાબદાર ગણે છે, જ્યારે આ તો બધાની સામૂહિક જવાબદારી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news