Maharashtra: અહમદનગરની સિવિલ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી, 10 દર્દીના દર્દનાક મોત, અનેકની હાલત ગંભીર

મહારાષ્ટ્રના અહમદનગરની જિલ્લા હોસ્પિટલમાં ભીષણ આગ ફાટ નીકળી છે. જેમાં 10 દર્દીઓના મોત નિપજ્યા છે. આગ હોસ્પિટલના ICU માં લાગી છે. જેમાં 17 દર્દીઓ દાખલ હતા. અનેક દર્દીઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. 

Maharashtra: અહમદનગરની સિવિલ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી, 10 દર્દીના દર્દનાક મોત, અનેકની હાલત ગંભીર

અહમદનગર: મહારાષ્ટ્રના અહમદનગરની જિલ્લા હોસ્પિટલમાં ભીષણ આગ ફાટ નીકળી છે. જેમાં 10 દર્દીઓના મોત નિપજ્યા છે. આગ હોસ્પિટલના ICU માં લાગી છે. જેમાં 17 દર્દીઓ દાખલ હતા. અનેક દર્દીઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. 

અહમદનગરના ડીએમ રાજેન્દ્ર ભોસલેએ કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં આગ લાગી છે. 10 લોકોના મોત થયા છે. આઈસીયુ વોર્ડમાં 17 દર્દી દાખલ હતા. પોસ્ટમોર્ટમ બાદ જાણવા મળશે કે તેમનું મોત શ્વાસ રૂંધાઈ જવાથી થયું કે નહીં. આગ લાગવાના કારણો અંગે તપાસ થઈ રહી છે. 

— ANI (@ANI) November 6, 2021

અત્રે જણાવવાનું કે સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની સૂચા મળ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી અને આગ ઓલવવાનું કામ શરૂ કરી દીધુ. દર્દીઓને બીજી જગ્યાએ શિફ્ટ કરાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news