મધ્ય પ્રદેશમાં ગજબ ઉથલપાથલ, કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ

મધ્ય પ્રદેશના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઈ શકે છે.

મધ્ય પ્રદેશમાં ગજબ ઉથલપાથલ, કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ

નવી દિલ્હી: મધ્ય પ્રદેશના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોનું માનીએ તો જ્યોતિરાદિત્ય સિંધિયા ને ભાજપે રાજ્યસભા સીટ અને મોદી સરકારમાં કેબિનેટ મંત્રી બનવાની ઓફર આપી છે. હાલ જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હીમાં છે. એવી અટકળો કરવામાં આવી રહી હતી કે જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. હાલ સોનિયા ગાંધી સાથે મુલાકાતનો સમય નક્કી નથી. 

મધ્ય પ્રદેશમાં સિંધિયા જૂથના 20 ધારાસભ્યો કર્ણાટકમાં છે જેમાં 6 મંત્રીઓ પણ સામેલ છે. આ બાજુ રાજ્યમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ બાદ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને પોતાની હોળીની રજાઓ રદ કરી છે અને તેઓ ભોપાલ પાછા ફરશે. રાજ્યપાલ 5 દિવસની રજા પર લખનઉ ગયા હતાં. 

તમામ મંત્રીઓએ કમલનાથને સોંપ્યુ રાજીનામું
કમલનાથના તમામ મંત્રીઓએ સીએમને રાજીનામું સોંપી દીધુ છે. ભોપાલમાં આ ઈમરજન્સીની સ્થિતિમાં કેબિનેટમાં કમલનાથ પ્રત્યે આસ્થા વ્યક્ત કરતા તમામ મંત્રીઓએ રાજીનામા સોંપ્યાં. ત્યારબાદ કમલનાથને નવા મંત્રીમંડળનો અધિકાર મળી ગયો છે. એવું કહેવાઈ રહ્યું છે કે આસ્થા જતાવવા અને બળવાખોરો પર દબાણ સર્જવા માટે આ બધુ થઈ રહ્યું છે. કમલનાથે ફેંસલો પોતાના મંત્રીઓ પર છોડ્યો છે. 

અમિત શાહ સાથે બેઠક
મધ્ય પ્રદેશના રાજકીય ઘટનાક્રમ પર ભાજપે પણ નજર રાખી છે. દિલ્હીમાં મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક થઈ છે. કહેવાય છે કે આ દરમિયાન રાજ્યના રાજકીય ઘટનાક્રમ પર ચર્ચા થઈ. 

જુઓ LIVE TV

શું છે સમીકરણ
મધ્ય પ્રદેશળમાં 230 વિધાનસભા બેઠકો છે. રાજ્યના બે ધારાસભ્યોનું નિધન થયું છે આથી વિધાનસભાની તાકાત 228 બેઠક થઈ છે. હાલ કોંગ્રેસ પાસે 114 ધારાસભ્યો છે. સરકાર બનાવવા માટે જાદુઈ આંકડો 115 છે. કોંગ્રેસને 4 અપક્ષ, 2 બીએસપી અને એક એસપી ધારાસભ્યનું સમર્થન મળેલુ છે. આ રીતે કોંગ્રેસ પાસે 121 ધારાસભ્યોનું સમર્થન છે. જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્યો છે. 

જો સિંધિયા જૂથના 17 ધારાસભ્યો સાથ છોડે તો રાજ્યમાં કોંગ્રેસ પાસે 97 ધારાસભ્યો રહેશે. આવામાં અન્યોના સમર્થન છતાં તેની પાસે માત્ર 104 ધારાસભ્યો રહેશે. જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્યો થઈ જશે તો 19 બેઠકો જો ખાલી થાય તો ભાજપની સરકાર બની શકે છે. 

સરકાર પાડવાના પક્ષમાં નથી ભાજપ
મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ભાજપ રાજ્યમાં સરકાર પાડવાના પક્ષમાં નથી. તેમણે એએનઆઈને કહ્યું કે આ કોંગ્રેસનો આંતરિક મામલો છે અને તેના પર કશું કહેવા માંગતો નથી. અમે પહેલા દિવસથી કહ્યું છે કે રાજ્યમાં સરકાર પાડવાના પક્ષમાં અમે નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news