કાયદાની વાત! નહીં ચાલે બિલ્ડરની મનમાની : તમે હકથી માંગી શકશો વળતર, જાણી લો આ છે નિયમો

RERA ACT: એકવાર પ્રોજેક્ટ અને હાઉસ પ્લાન સંબંધિત ઓથોરિટી અથવા વિભાગ મંજૂરી આપે પછીબિલ્ડર તેમાં ફેરફાર કરી શકતા નથી. જો તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર હોય તો તેના માટે બિલ્ડરે ઓછામાં ઓછા બે તૃતીયાંશ ખરીદદારોની મંજૂરી લેવી પડશે.

કાયદાની વાત! નહીં ચાલે બિલ્ડરની મનમાની : તમે હકથી માંગી શકશો વળતર, જાણી લો આ છે નિયમો

RERA ACT: મહેનતના પૈસા ખર્ચ્યા પછી દિલ્હી-NCR સહિત દેશભરમાં બિલ્ડરોની ખરાબ નિતીના લીધે લાખો લોકો વર્ષોથી ઘર મેળવવાની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને કહ્યું છે કે લોકો સપના સાથે ઘર ખરીદે છે, તેથી તેઓને ઘર માટે અનિશ્ચિત સમય સુધી રાહ જોવાની ફરજ પાડી શકાય નહીં. 

1) બિલ્ડરની સાથે જમીન માલિકને જવાબદાર ઠેરવ્યા-
પ્રશાંત ટેલકર એન્ડ એનઆર વિ એનડી ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ અને એનઆરના કેસમાં એનસીડીઆરસીએ એવું માન્યું છે કે ઘરનું પઝેશન ન આપવું તે સેવામાં ઉણપ છે. આ સાથે કમિશને મકાન સોંપવામાં વિલંબ માટે બિલ્ડર તેમજ જમીન માલિકને જવાબદાર ઠેરવ્યા છે અને ખરીદદારોને વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.

2) પ્રોજેક્ટ કાયદેસર છે કે નહીં?
રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, 2016  કોઈપણ બિલ્ડરને કોઈપણ રહેણાંક અથવા વ્યવસાયિક પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા નોંધણી કરાવવી ફરજિયાત બનાવ્યું છે. આવી સ્થિતિમાં, જો તમે ઘર ખરીદવા જઈ રહ્યા છો, તો તે ચોક્કસપણે તપાસો. પ્રોજેક્ટ રેરામાં નોંધાયેલ છે કે નહીં તે સંબંધિત દસ્તાવેજો બતાવવાનો બિલ્ડર ઇન્કાર કરી શકે નહીં.

3) મકાન સોંપવામાં વિલંબ માટે વળતર મેળવવાનો અધિકાર-
બિલ્ડર પાસેથી મકાન/ફ્લેટ બુક કરાવતી વખતે, પઝેશન સોંપવા માટેની સમયમર્યાદા તારીખ નક્કી કરવામાં આવે છે. જો બિલ્ડર નિર્ધારિત સમયની અંદર મકાનનો કબજો સોંપવામાં નિષ્ફળ જાય, તો તેણે બદલામાં ખરીદનારને વળતર ચૂકવવું પડશે. RERA કાયદાની સાથે, NCDRCએ નિર્ણયમાં એમ પણ કહ્યું છે કે પઝેશન આપવામાં વિલંબ કરનાર બિલ્ડરે કુલ રકમની ટકાવારીની હદ સુધી વળતર ચૂકવવું પડશે.

4) આ દસ્તાવેજોની માગ જરૂર કરો-
જે જમીન પર પ્રોજેક્ટ બની રહ્યો છે તેની માલિકી, લીઝ સંબંધિત દસ્તાવેજો જોવાનો પણ ખરીદદારોનો અધિકાર છે, તેથી તમારે મકાન ખરીદતી વખતે બિલ્ડર પાસેથી આ દસ્તાવેજો મંગાવવા જ જોઈએ.મકાનના પ્લાન અને નકશા સાથે બાંધકામની મંજૂરી માટે સંબંધિત NOC પણ બિલ્ડર પાસેથી માંગી શકાય છે.

5) બિલ્ડર માન્ય નકશામાં ફેરફાર કરી શકતા નથી-
એકવાર પ્રોજેક્ટ અને હાઉસ પ્લાન સંબંધિત ઓથોરિટી અથવા વિભાગ મંજૂરી આપે પછીબિલ્ડર તેમાં ફેરફાર કરી શકતા નથી. જો તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર હોય તો તેના માટે બિલ્ડરે ઓછામાં ઓછા બે તૃતીયાંશ ખરીદદારોની મંજૂરી લેવી પડશે.

ઘર ખરીદતી વખતે, બિલ્ડરની વાતોમાં આવવાના બદલે પ્રોજેક્ટ વિશેના દસ્તાવેજનું નો-ઓબ્જેક્શન પ્રમાણપત્રો માંગવું જોઈએ. 2016 માં કેન્દ્ર સરકાર થકી RERA કાયદાની રજૂઆતથી ખરીદદારોના અધિકારો ચોક્કસપણે મજબૂત થયા હતા, પરંતુ તેના અસરકારક પાલનની ખાતરી ન કરવાને કારણે બિલ્ડરો હજુ પણ લોકોને છેતરવામાં સક્ષમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news