જમ્મૂ-કાશ્મીર: હંદવાડામાં સુરક્ષાબળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા, સર્ચ ઓપરેશન ચાલુ

આ દરમિયાન આતંકવાદીઓ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધી. ત્યારબાદ સુરક્ષાબળોએ મોરચો સંભાળ્યો અને કાર્યવાહીમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા. જોકે વિસ્તારમાં શોધખોળ અભિયાન ચાલુ છે.

જમ્મૂ-કાશ્મીર: હંદવાડામાં સુરક્ષાબળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા, સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગર: જમ્મૂ અને કાશ્મીરમાં સુરક્ષાબળોને મંગળવારે મોટી સફળતા મળી હતી. કાશ્મીરના હંદવાડાના ગુલોરા વિસ્તારમાં સુરક્ષાબળોએ મંગળવારે બે આતંકવાદીઓને મુઠભેડ બાદ ઠાર માર્યા હતા. આ વિસ્તાર કુપવાડા જિલ્લામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાબળોને વિસ્તારમાં આતંકવાદી સંતાયા હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ તેમને શોધવા માટે શોધખોળ અભિયાન શરૂ કર્યું. 

— ANI (@ANI) September 11, 2018

આ દરમિયાન આતંકવાદીઓ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધી. ત્યારબાદ સુરક્ષાબળોએ મોરચો સંભાળ્યો અને કાર્યવાહીમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા. જોકે વિસ્તારમાં શોધખોળ અભિયાન ચાલુ છે.

— ANI (@ANI) September 11, 2018

ફોટો સાભાર
તમને જણાવી દઇએ 8 સપ્ટેમ્બરને અનંતનાગમાં આતંકવાદીઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. તેમાં જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર માર્યો હતો અને એક પોલીસકર્મી ઘાયલ થયો છે. ગત થોડા દિવસો સુરક્ષાબળોએ આતંકવાદીઓએ શોધખોળ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન તેમને પથ્થરબાજો પણ સામનો કરવો પડ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news