Corona Update: રાહતના સમાચાર! 24 કલાકમાં કોરોનાના નવા કેસ કરતા રિકવર થનારા દર્દીઓની સંખ્યા વધી, જાણો લેટેસ્ટ અપડેટ

કોરોના વાયરસ (Corona Virus) ના કેસ હવે ઘટી રહ્યા હોય તેવું આંકડા પરથી જણાય છે. નવા કેસમાં ઘટાડાની સાથે સાથે રિકવર થનારા દર્દીઓની સંખ્યામાં પણ સુધારો થયો છે. 

Corona Update: રાહતના સમાચાર! 24 કલાકમાં કોરોનાના નવા કેસ કરતા રિકવર થનારા દર્દીઓની સંખ્યા વધી, જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ના કેસ હવે ઘટી રહ્યા હોય તેવું આંકડા પરથી જણાય છે. નવા કેસમાં ઘટાડાની સાથે સાથે રિકવર થનારા દર્દીઓની સંખ્યામાં પણ સુધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 3.29 લાખથી વધુ કોરોનાના નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં તેના કરતા વધુ એટલે કે 3.56 લાખથી વધુ દર્દીઓ રિકવર થઈને ઘરે પાછા ફર્યા છે. કોરોનાએ એક દિવસમાં 3876 દર્દીઓનો ભોગ લીધો છે. 

એક દિવસમાં નવા કેસ કરતા રિકવર થનારા દર્દીઓની સંખ્યા વધી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3,29,942 દર્દીઓ નોંધાયા છે આ સાથે જ કુલ કેસની સંખ્યા  2,29,92,517 પર પહોંચી છે. હાલ દેશમાં કોરોનાના 37,15,221 એક્ટિવ કેસ છે. એક દિવસમાં કોરોનાથી 3876 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. કુલ મૃત્યુનો આંકડો 2,49,992 પર પહોંચી ગયો છે. જોકે આ બધા વચ્ચે સારા સમાચાર એ છે કે કોરોનાના નવા કેસ કરતા રિકવર થનારા દર્દીઓની સંખ્યા વધેલી જોવા મળી છે. કોરોનાના એક દિવસમાં 3,29,942 કેસ નોંધાયા જેની સામે એક દિવસમાં રિકવર થનારા દર્દીઓની સંખ્યા 3,56,082 છે. આ સાથે અત્યાર સુધીમાં 1,90,27,304 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 17,27,10,066 લોકોનું રસીકરણ કરાયું છે. 

Total cases: 2,29,92,517
Total discharges: 1,90,27,304
Death toll: 2,49,992
Active cases: 37,15,221

Total vaccination: 17,27,10,066 pic.twitter.com/tYoQlB5hQx

— ANI (@ANI) May 11, 2021

18 લાખથી વધુ ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ સોમવારે દેશભરમાંથી કોરોનાના કુલ 18,50,110 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 30,56,00,187 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

ગુજરાતમાં પણ ઘટી રહ્યો છે પ્રકોપ!
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થયા બાદ હવે ધીરે ધીરે કાબુમાં આવી રહી છે. ગુજરાતમાં હવે કોરોનાના કુલ કેસ કરતા રિકવર થઇ રહેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. સોમવારે આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ એક દિવસમાં કોરોનાના 11592 નવા દર્દીઓ નોંધાયા. જેની સામે 14931 દર્દીઓ રિકવર થયા. એક દિવસમાં 117 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો. 

મહારાષ્ટ્રથી પણ રાહતના સમાચાર
હારાષ્ટ્રમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં સોમવારે મોટો ઘટાડો થયો છે. રાજ્યમાં એક દિવસમાં 37 હજાર 236 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં ઘણા દિવસ સુધી સતત 60 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં હતા. આ સાથે રાજ્યની રાજધાની મુંબઈથી પણ કોરોના મામલે સારા સમાચાર આવ્યા છે. મુંબઈમાં બે હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. મોતના આંકડામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 24 કલાકમાં 549 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news