સુષમા સ્વરાજના નિધન પર હરસિમરત કૌરે કહ્યું- ‘મેં મારી મોટી બહેન ગુમાવી’

કેન્દ્રીય મંત્રી હરસિમરત કોર બાદલે બુધવારે કહ્યું કે પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના નિધનથી દેશની એક મહાન નેતા અને મેં મારી મોટી બહેન ગુમાવી દીધી છે. હરસિમરતે ટ્વિટ કર્યું, ‘આજે ભારતે એક મહાન નેતા, વિશ્વએ એક આદર્શ માનવી અને મેં મારી મોટી બહેન ગુમાવી દીધી.’

સુષમા સ્વરાજના નિધન પર હરસિમરત કૌરે કહ્યું- ‘મેં મારી મોટી બહેન ગુમાવી’

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી હરસિમરત કોર બાદલે બુધવારે કહ્યું કે પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના નિધનથી દેશની એક મહાન નેતા અને મેં મારી મોટી બહેન ગુમાવી દીધી છે. હરસિમરતે ટ્વિટ કર્યું, ‘આજે ભારતે એક મહાન નેતા, વિશ્વએ એક આદર્શ માનવી અને મેં મારી મોટી બહેન ગુમાવી દીધી.’

સુષમાની સાથે તેમની અને પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેમજ તેમના પતિ સુખબીર બાદલની એક તસવીર પોસ્ટ કરી તેમણે કહ્યું, ‘પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના નિધનથી ખાલી પડેલી જગ્યા ક્યારેય ભરાઇ શકશે નહીં. ‘વાહેગુરૂ’ તેમને શાંતિ આપે અને તેમની શરણમાં આશ્રય આપે.’

— Harsimrat Kaur Badal (@HarsimratBadal_) August 6, 2019

ટ્વિટર પર પોસ્ટ કરે તસવીરમાં સુખબીર લાલ રંગની પરંપરાગત ભરતકામવાળો હાથનો પંખો પકડેલા જોવા મળી રહ્યા છે. જ્યારે સુષમા સ્વરાજ અને હરસિમરત હસતાં જોવા મળ્યાં છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news