વિકાશીલ પણ દેવાદાર સરકાર! મોદી સરકાર પર દેવું વધ્યું, સરકારને અહીં પણ ઝટકો લાગ્યો

India debt on the rise: આ વર્ષના સપ્ટેમ્બરના અંતે જાહેર દેવું કુલ જવાબદારીઓના 89.1 ટકા હતું જે 30 જૂનના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 88.3 ટકા હતું, એમ નાણા મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરાયેલા જાહેર ઋણ વ્યવસ્થાપનના ત્રિમાસિક અહેવાલમાં જણાવાયું છે. 

વિકાશીલ પણ દેવાદાર સરકાર! મોદી સરકાર પર દેવું વધ્યું, સરકારને અહીં પણ ઝટકો લાગ્યો

Modi Government: વિકાસશીલ પણ મોદી સરકાર દેવાદાર છે અને એ બોજ વધતો જ જાય છે. કેન્દ્ર સરકાર પર દેવાનો બોજ વધ્યો છે. નાણા મંત્રાલયના રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બરના અંતમાં સરકારની કુલ ઋણબોજ વધીને 147.19 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. અગાઉ જૂન ક્વાર્ટરમાં તે રૂ. 145.72 કરોડ રૂપિયા હતો. જાહેર દેવાના તાજેતરના ડેટા અનુસાર, ટકાવારીની દ્રષ્ટિએ ત્રિમાસિક ધોરણે ચાલુ નાણાકીય વર્ષ 2022-23 ના બીજા ક્વાર્ટરમાં તેમાં એક ટકાનો વધારો થયો છે.

આ વર્ષના સપ્ટેમ્બરના અંતે જાહેર દેવું કુલ જવાબદારીઓના 89.1 ટકા હતું જે 30 જૂનના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 88.3 ટકા હતું, એમ નાણા મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરાયેલા જાહેર ઋણ વ્યવસ્થાપનના ત્રિમાસિક અહેવાલમાં જણાવાયું છે. કેન્દ્રએ સિક્યોરિટીઝ દ્વારા રૂ. 4,06,000 કરોડ ઊભા કર્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 29.6 ટકા સરકારી સિક્યોરિટીઝ (ફિક્સ્ડ અથવા ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ સિક્યોરિટીઝ) પાંચ વર્ષથી ઓછા સમયમાં પરિપક્વ થવાની છે. રિપોર્ટ અનુસાર, બીજા ક્વાર્ટર દરમિયાન કેન્દ્ર સરકારે સિક્યોરિટીઝ દ્વારા રૂ. 4,06,000 કરોડ એકત્ર કર્યા હતા જ્યારે ઉધાર કાર્યક્રમ હેઠળ રૂ. 4,22,000 કરોડની નોટિફાઇડ રકમ હતી. જ્યારે રૂ. 92,371.15 કરોડની ચૂકવણી કરી હતી.

ગયા વર્ષના સમાન સમયગાળામાં અટલે કે સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતે  સરકારી ઋણબોજ ૧૨૫.૭૧ લાખ કરોડ હતો. આમાં તેમા ગયા સમાન સમયગાળાની તુલનાએ ૨૧.૪૮ લાખ કરોડનો વધારો થયો છે. આમ તેમા વાર્ષિક ધોરણે ૨૧ ટકાનો વધારો થયો છે. જ્યારે સપ્ટેમ્બર ૨૦૨૦ના અંતે કુલ ઋણબોજ ૧૦૭.૦૪ લાખ કરોડ હતો. આ રીતે બે વર્ષના સમયગાળાને ધ્યાનમાં લઈએ તો આ ઋણબોજ ૪૦.૧૫ લાખ કરોડ વધ્યો છે. 

વર્તમાન નાણાકીય વર્ષ 2022-23 ના બીજા ક્વાર્ટરમાં વેઇટેડ એવરેજ યીલ્ડ પ્રથમ ક્વાર્ટરમાં 7.23 ટકાથી વધીને 7.33 ટકા થઈ છે. Q2 માં નવી જાહેર કરાયેલી સિક્યોરિટીઝની પરિપક્વતાની વેઇટેડ એવરેજ અવધિ Q1 માં 15.69 વર્ષની સામે 15.62 વર્ષ હતી.

વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો
સરકારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રોકડ વ્યવસ્થાપન બિલ્સ એટલે કે ટૂંકા ગાળાની સિક્યોરિટીઝ દ્વારા રોકડ વ્યવસ્થાપન માટે કોઈ રકમ એકત્ર કરી નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ સમયગાળા દરમિયાન સરકારી સિક્યોરિટીઝમાં કોઈ ઓપન માર્કેટ કામગીરી હાથ ધરી નથી. વિદેશી મુદ્રા ભંડારના સંદર્ભમાં, અહેવાલમાં જણાવાયું છે કે તે 30 સપ્ટેમ્બર, 2022 ના રોજ  532.66 અબજ ડોલર હતું, જે 24 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ  638.64 અબજ રહ્યું છે. 1 જુલાઈ 2022થી 30 સપ્ટેમ્બર 2022 દરમિયાન ડોલર સામે રૂપિયામાં 3.11 ટકાનો ઘટાડો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news