Delhi Excise Policy Case: સત્યેન્દ્ર જૈન અને મનિષ સિસોદિયાએ આપ્યું રાજીનામું, કેજરીવાલે કર્યું મંજૂર

Delhi ministers Manish Sisodia, Satyendar Jain resign: સુપ્રીમ કોર્ટે મંગળવારે એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની અરજીને ફગાવી કાઢતાં કહ્યું કે તમારા માટે દિલ્હી હાઇકોર્ટમાં જામીન અરજી સહિત વિભિન્ન કાયદાકીય ઉપાય ઉપલબ્ધ છે.

Delhi Excise Policy Case: સત્યેન્દ્ર જૈન અને મનિષ સિસોદિયાએ આપ્યું રાજીનામું, કેજરીવાલે કર્યું મંજૂર

Manish Sisodia And Satyendar Jain resign: સુપ્રીમ કોર્ટે મંગળવારે એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની અરજીને ફગાવી કાઢતાં કહ્યું કે તમારા માટે દિલ્હી હાઇકોર્ટમાં જામીન અરજી સહિત વિભિન્ન કાયદાકીય ઉપાય ઉપલબ્ધ છે. તો બીજી તરફ પ્રાપ્ત માહિતી અનુસાર આપ સરકારના સત્યેન્દ્ર જૈન અને મનિષ સિસોદિયાએ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. જેને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વિકાર કરી લીધું છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે મંગળવારે એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની અરજીને ફગાવી કાઢતાં કહ્યું કે તમારા માટે દિલ્હી હાઇકોર્ટમાં જામીન અરજી સહિત વિભિન્ન કાયદાકીય ઉપાય ઉપલબ્ધ છે. 

આ કારણે થઈ હતી મનીષ સિસોદિયાની ધરપકડ
દિલ્હીના કથિત લીકર કૌભાંડ કેસમાં સિસોદિયાની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. આ મામલો 2021 માં રજૂ કરવામાં આવેલી દિલ્હીની નવી દારૂ વેચાણ નીતિ (હવે રદ) સાથે સંબંધિત છે. વાસ્તવમાં કેજરીવાલ સરકારે 2021માં દારૂના વેચાણ માટે નવી નીતિ બનાવી હતી, જેમાં કથિત કૌભાંડનો આરોપ છે. વિવાદ વધ્યા બાદ તેને પણ રદ કરવામાં આવ્યો હતો.

આ નીતિમાં, સરકારને દારૂના વેચાણ સાથે કોઈ લેવાદેવા નહોતી અને માત્ર ખાનગી દુકાનોને જ તેને વેચવાની મંજૂરી આપવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય દારૂના બ્લેક માર્કેટિંગને અટકાવવાનો, આવક વધારવાનો અને ઉપભોક્તાનો અનુભવ સુધારવાનો હતો. મનીષ સિસોદિયા દિલ્હીના આબકારી વિભાગના વડા છે. જેના કારણે તેના પર કૌભાંડનો આરોપ લાગ્યો છે.

આ નીતિ હેઠળ, દિલ્હીમાં દારૂની હોમ ડિલિવરી અને દુકાનો પણ સવારે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. લાઇસન્સ ધારકો દારૂ પર અમર્યાદિત ડિસ્કાઉન્ટ પણ આપી શકે છે.

દિલ્હી સરકારે આ નીતિથી આવકમાં નોંધપાત્ર 27 ટકાનો વધારો નોંધાવ્યો હતો, જે આશરે રૂ. 8,900 કરોડનું ઉત્પાદન કરે છે. જો કે, દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ આ મામલે ગેરરીતિ આશંકા વ્યક્ત કરી હતી. લેફ્ટનન્ટ ગવર્નરે આ નીતિ સામે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news