Union Budget 2022: સંસદમાં બજેટ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા, જાણો ભાષણ દરમિયાન શું કહ્યું

Union Budget 2022: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ સરકારના બજેટને દિશાહીન ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે સરકાર ધીરે ધીરે દેશની તમામ સંપત્તિ અમુક ચોક્કસ લોકોને આપી રહી છે અને સામાન્ય જનતા ગરીબીના દલદલમાં ધકેલાઈ રહી છે.

Union Budget 2022: સંસદમાં બજેટ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા, જાણો ભાષણ દરમિયાન શું કહ્યું

Union Budget 2022: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ સરકારના બજેટને દિશાહીન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે બજેટ પર રાષ્ટ્રપતિનું ભાષણ વચનોની લાંબી યાદી હતી. સરકારે જે કરવાનું હતું તેમાંથી તેઓ કશું કરી શક્યા નથી.

રાહુલ ગાંધીએ કહ્યું, 'રાષ્ટ્રપતિનું ભાષણ માત્ર BUREAUTIC IDEA હતો, કોઈ VISION નહીં. દેશને કેવી રીતે આગળ લઈ જવો, તેનો ભાષણમાં કોઈ ઉલ્લેખ નહોતો.

'અમીર અને ગરીબ ભારતમાં વેચાઈ ગયો દેશ'
કોંગ્રેસ નેતાએ કહ્યું, 'દુનિયામાં હવે બે ભારત છે. એક ભારત જે માત્ર અમીરો માટે છે. બીજી તરફ, તે ભારત જે ગરીબો માટે છે, જેમાં દેશની 90 ટકાથી વધુ વસ્તી રહે છે. આ બંને વચ્ચેનું અંતર વધી રહ્યું છે પરંતુ સરકાર આ અંતરને પુરવા માટે કોઈ પ્રયાસ કરતી હોય તેમ જણાતું નથી.

રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું, 'ભારતના યુવાનો રોજગારની શોધમાં છે. વર્ષ 2021 માં 3 કરોડ યુવાનોએ નોકરી ગુમાવી છે. આજે બેરોજગારી છેલ્લા 50 વર્ષમાં સૌથી વધુ છે. આમ છતાં રાષ્ટ્રપતિના સંબોધનમાં બેરોજગારી પર કંઈ કહેવામાં આવ્યું ન હતું. ગ્રીન ઈન્ડિયાની વાત થઈ રહી છે પરંતુ આ ગ્રીન ઈન્ડિયામાં રોજગાર નથી.

'મેક ઇન ઇન્ડિયાથી ગાયબ રોજગાર'
કોંગ્રેસ નેતાએ કહ્યું, 'તમે મેક ઈન ઈન્ડિયાની વાત કરો છો પરંતુ તેમાં રોજગાર મળ્યો નથી અને જે હતું તે પણ ગાયબ થઈ ગયું છે. આ સત્ય દરેક વ્યક્તિ જાણે છે. SME સેક્ટરમાં રોજગારીનું સર્જન થાય છે. અસંગઠિત ક્ષેત્રમાં રોજગાર સર્જાય છે પરંતુ તમે આ બંને ક્ષેત્રોને ખતમ કરી નાખ્યા છે. તમે જનતા પાસેથી લાખો-કરોડો રૂપિયા છીનવીને તમારા નજીકના અબજોપતિઓને પહોંચાડ્યા.

રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું, 'તમે સતત હુમલો કર્યો છે. નોટબંધી દ્વારા અસંગઠિત ક્ષેત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. ખોટા GST દ્વારા અસંગઠિત ક્ષેત્રને ફટકો પડ્યો. કોરોના સમયે અસંગઠિત ક્ષેત્રને મદદ કરી નથી. યુપીએના સમયમાં 27 કરોડ લોકોને ગરીબીના દુષ્ટ વર્તુળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ તમે ફરી 23 કરોડ લોકોને ગરીબીમાં ધકેલી દીધા.

'દેશની તમામ સંપત્તિ થોડા લોકોને આપી દીધી'
તેમણે કહ્યું, 'કોરોનાના સમયમાં વાયરસના નવા પ્રકારો આવી રહ્યા હતા, પરંતુ તેનાથી પણ મોટા બે A વાયરસ દેશમાં ફેલાઈ રહ્યા છે. તમામ બંદરો, એરપોર્ટ, ટ્રાન્સમિશન, ખાણકામ, ગ્રીન એનર્જી, ખાદ્ય તેલ એક વ્યક્તિને આપવામાં આવ્યું હતું. જ્યારે અન્ય વ્યક્તિને પેટ્રોકેમિકલ, રિટેલ, ટેલિકોમ આપવામાં આવ્યું હતું. દેશની તમામ સંપત્તિ થોડાક લોકોના હાથમાં સોંપવામાં આવી રહી છે.

રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું, 'આ રાજાશાહી નથી. તમે અહીં સતત શાસન કરશો નહીં. છેલ્લા 3 હજાર વર્ષના ઈતિહાસ પર એક નજર નાખો. કોઈ એક વ્યક્તિ કે વંશનું શાસન ન હતું. પરંતુ સંવાદ અને પરસ્પર સંવાદિતા દ્વારા શાસન સતત ચાલતું રહ્યું છે. વિવિધતામાં એકતા આપણી તાકાત છે. તમે તેને બળથી કચડી શકતા નથી.

'પંજાબના ખેડૂતોની વાત ન સાંભળી'
તેમણે કહ્યું, 'પંજાબના ખેડૂતોની વાત સાંભળવામાં આવી નથી. રાજા ખેડૂતોની વાત સાંભળવા તૈયાર ન હતા. પેગાસસ દ્વારા અવાજને દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલ જઈને પ્રધાનમંત્રીએ પેગાસસને સત્તાવાર હેતુઓ માટે વાપરવાની મંજૂરી આપી. મારી દાદીએ આ દેશ માટે ગોળી ખાધી અને મારા પિતાએ પોતાનો જીવ આપ્યો. તેથી જ હું મારા દેશને વધુ સારી રીતે સમજી શકું છું.

રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું કે, 'જેણે આજ સુધી ભારત પર શાસન કર્યું, તેણે ભારતને રાજ્યોનું સંઘ માન્યું. પરંતુ આ સરકારના મંત્રીઓ આ સંઘવાદમાં માનતા નથી. તેઓ જુદા જુદા રાજ્યોના લોકો સાથે રાજાઓની જેમ વર્તે છે. તાજેતરમાં મણિપુરથી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ મને મળવા આવ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ રાજ્યની સમસ્યાઓને લઈને ગૃહમંત્રી અમિત શાહને મળવા ગયા હતા. અમિત શાહને મળ્યા તે પહેલા તમામ જૂતા અને ચપ્પલ બહાર ઉતારી લેવામાં આવ્યા હતા, જ્યારે ગૃહમંત્રી પોતે જૂતા પહેરીને અંદર બેઠા હતા. તેઓએ આ મીટીંગના ફોટા પણ બતાવ્યા.

'ચીન-પાકિસ્તાનથી સાવધાન રહે સરકાર'
કોંગ્રેસ નેતાએ કહ્યું, 'સરકારે જમ્મુ-કાશ્મીર પર મોટી વ્યૂહાત્મક ભૂલ કરી છે. હવે તે વિદેશ નીતિઓને લઈને મોટી વ્યૂહાત્મક ભૂલ કરી રહી છે. ચીન અને પાકિસ્તાન હથિયારોની આપ-લે કરી રહ્યા છે. બંને દેશ મળીને મોટી યોજના બનાવી રહ્યા છે અને હથિયારો ખરીદી રહ્યા છે. ચીન ગમે ત્યારે ગમે તેટલું મોટું સાહસ કરી શકે છે. આપણો દેશ બહારથી પણ અને અંદરથી જોખમમાં છે. આપણે બંને મોરચે તૈયારી કરવાની જરૂર છે પરંતુ સરકાર પાસે આ બાબતે કોઈ નક્કર તૈયારી હોય તેવું લાગતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news