કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીનું વિવાદિત નિવેદન, PM મોદી અને અમિત શાહને ગણાવ્યાં ઘૂસણખોર

લોકસભામાં કોંગ્રેસ (Congress) ના નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury )એ  પીએમ મોદી(Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીનું વિવાદિત નિવેદન, PM મોદી અને અમિત શાહને ગણાવ્યાં ઘૂસણખોર

નવી દિલ્હી: લોકસભામાં કોંગ્રેસ (Congress) ના નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury )એ  પીએમ મોદી(Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ચૌધરીએ પીએમ મોદી અને અમિત શાહને ઘૂસણખોર ગણાવ્યાં છે. 

— ANI (@ANI) December 1, 2019

અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, 'એનઆરસીને લઈને એક એવો માહોલ પેદા થઈ ગયો છે કે આપણા દેશના વાસ્તવિક નાગરિકો છે તે પણ વિચારવા લાગ્યા છે કે આપણું શું થશે. સામાન્ય  લોકો બધા દસ્તાવેજો લઈને નથી બેસતા, ગરીબ, આદિવાસી, પછાત વર્ગના લોકોને રોટીની ચિંતા હોય છે. દસ્તાવેજો વિશે વિચારવાનો તેમની પાસે સમય હોતો નથી.' 

આ VIDEO પણ જુઓ...

કોંગ્રેસે કહ્યું કે 'આ હિન્દુસ્તાન કોઈની જાગીર છે કે શું. બધાને સમાન હક છે. હું તો એ કહી શકું છું કે પીએમ નરેન્દ્ર મોદીજી, અમિત શાહ પોતે જ ઘૂસણખોરો છે. ઘર તમારું ગુજરાત અને આવી ગયા દિલ્હી. તમે તો પોતે જ માઈગ્રન્ટ છો. કાયદેસર અને ગેરકાયદેસર તો પછી જોવામાં આવશે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news