ભગવાન-અલ્લાહના નામે પેદા થઇ રહેલા બાળકોથી દેશની સ્થિતી બનશે ચિંતાજનક: વાજપેયી

દેશની વધી રહેલી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરતા રાજ્યસભામાં ભાજપના સભ્યોએ કહ્યું કે, જો જનસંખ્યા આ જ પ્રકારે વધતી રહેશે તો વિકાસની તમામ યોજનાઓ નિષ્ફળ થઇ જશે

ભગવાન-અલ્લાહના નામે પેદા થઇ રહેલા બાળકોથી દેશની સ્થિતી બનશે ચિંતાજનક: વાજપેયી

નવી દિલ્હી : દેશમાં વધી રહેલી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરતા રાજ્યસભામાં ભાજપના સભ્યોએ કહ્યું કે, જો વસ્તી આ જ પ્રકારે વધતી રહેશે તો વિકાસની તમામ યોજનાઓ નિષ્ફળ થિ જશે. ભાજપના અશોક વાજપેયીએ શૂન્યકાળમાં આ મુદ્દો ઉઠાવતા કહ્યું કે, હાલમાં ભારતની વસ્તી વિશ્વની કુલ વસ્તીનાં 17.5 ટકા છે અને અમારી પાસે ધરતીનો માત્ર 2.4 ટકા હિસ્સો છે. આપણા સંસાધનો પણ  વસ્તીની દ્રષ્ટીએ ખુબ જ સીમિત છે. 

વાજપેયીએ કહ્યું કે, ભારતની વસ્તી વર્ષ 2022માં ચીન કરતા વધારે થઇ જશે અને વર્ષ 2050 સુધી અમારી વસ્તી 1.66 અબજ થઇ જશે. વાજપેયીએ કહ્યું કે, સરકાર વિકાસ માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે પરંતુ જો વસ્તી પર નિયંત્રણ નહી થાય તો આ યોજનાઓનો કોઇ અર્થ નહી થાય. 

ચિંતાજનક સ્થિતી
વાજપેયીએ કહ્યું કે, સરકાર સાથે વસ્તી નિયંત્રણના માટે નક્કર પગલા ઉઠાવવાની માંગ કરી. ભાજપે જ વિજય પાલસિંહ તોમરે કહ્યું કે વર્ષ 1951માં દેશની વસ્તી 36 કરોડ હતી. જે દરેક સમયે બે કરોડના દરે વધતા હવે 135 કરોડ થઇ ચુકી છે. તેમણે કહ્યું કે, ભગવાન અને અલ્લાહના નામે બાળકો પેદા કરવામાં આવી રહ્યા છે, જો કે તેમાં આગામી સમયમાં સ્થિતી વધારે ચિંતાજનક હશે. એટલા માટે સરકારને તત્કાલ નક્કર પગલા ઉઠાવવા જોઇએ જેથી જનસંખ્યા પર કાબુ મેળવી શકાય છે. 

રાજ્યસભા સમાજવાદી પાર્ટીના જાવેદ અલી ખાને ઘણા લઘુમતી સંસ્થાઓમાં ખાલી પડેલા પદનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશનમાંત્રણ વર્ષથી કોઇ ડાયરેક્ટર નહોતા અને માત્ર 6 મહિનામાં પહેલા જ નિયુક્તિ કરવામાં આવી છે. આ પ્રકારે રાષ્ટ્રીય લઘુમતી વિકાસ આર્થિક નિગમના અધ્યક્ષના પદને ઘણા દિવસો સુધી ખાલી રહી. તેમણે કહ્યું કે, ભાષાઇ લઘુમતી પંચમાં કોઇ નિયુક્તિ કરવામાં નથી આવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news