ચંદ્રયાન-2: ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર જ કેમ લેન્ડિંગ કરશે 'વિક્રમ'? ખાસ જાણો કારણ 

ચંદ્રયાન-2 મિશન અંતર્ગત ભારતીય સ્પેસ એજન્સી ઈસરો આજે રાતે ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર આજે વિક્રમને લેન્ડિંગ કરાવશે. આમ કરીને ભારત ચંદ્ર પર પહોંચનારો ચોથો દેશ બની જશે.

ચંદ્રયાન-2: ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર જ કેમ લેન્ડિંગ કરશે 'વિક્રમ'? ખાસ જાણો કારણ 

નવી દિલ્હી: ચંદ્રયાન-2 મિશન અંતર્ગત ભારતીય સ્પેસ એજન્સી ઈસરો આજે રાતે ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર આજે વિક્રમને લેન્ડિંગ કરાવશે. આમ કરીને ભારત ચંદ્ર પર પહોંચનારો ચોથો દેશ બની જશે. ઈસરો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાન ઉતારી રહ્યું છે. વિક્રમ લેન્ડરની સાથે પ્રજ્ઞાન રોવર પણ ચંદ્ર પર ઉતરણ કરશે. ઈસરોનો દાવો છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહેલીવાર કોઈ દેશ પગ મૂકશે. ચંદ્ર તો ખુબ મોટો છે પરંતુ આમ છતાં ભારત પોતાના આ શોધ યાનને દક્ષિણ ધ્રવ પર જ કેમ ઉતારી રહ્યું છે? આ સવાલનો જવાબ  ખુબ જ રસપ્રદ છે. 

વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અભ્યાસ કરવાથી જાણવા મળશે કે આખરે ચંદ્રની ઉત્પત્તિ અને તેની સંરચના કેવી રીતે થઈ. આ વિસ્તારમાં ખુબ મોટા અને ઊંડા ખાડા છે. અહીં ઉત્તર ધ્રુવની સરખામણીમાં ઓછો અભ્યાસ થયો છે. 

જુઓ VIDEO

દક્ષિણ ધ્રુવના ભાગમાં સોલર સિસ્ટમના શરૂઆતના દિવસોના જીવાષ્મિ હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ચંદ્રયાન-2 ચંદ્રની સપાટીનું મેપિંગ પણ કરશે. જેમાં તેના તત્વો અંગે પણ જાણકારી મળશે. ઈસરોના જણાવ્યાં મુજબ દક્ષિણ ધ્રુવ પર પાણી મળે તેવી પ્રબળ સંભાવના છે.

જુઓ LIVE TV 

ઈસરો આજે રાતે ચંદ્રના જે દક્ષિણ ધ્રુવ પર પોતાનું લેન્ડર વિક્રમ ઉતારશે તે અનેક રીતે ખાસ છે. અહીં અનેક મોટા ખાડા છે. આ જ ભાગમાં સૌર મંડળમાં હાજર મોટા ખાડા (ક્રેટર)માંનો એક ખાડો અહીં છે. જેનું નામ સાઉથ પોલ આઈતકેન બેસિન છે. તેની પહોળાઈ 2500 કિમી અને ઊંડાઈ 13 કિમી છે. ચંદ્રના આ ભાગનો ફક્ત 18 ટકો ભાગ જ પૃથ્વીથી જોઈ શકાય છે. બાકીના 82 ટકા ભાગની પહેલીવાર તસવીરો સોવિયેત સંઘના લૂના-3 શોધ યાને મોકલી હતી. ત્યારે આ ભાગ પહેલીવાર જોવા મળ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news