Helicopter Crash: CDS બિપિન રાવતના હેલિકોપ્ટર સાથે શું થયું હતું? રક્ષામંત્રી રાજનાથ સિંહે લોકસભામાં આપી જાણકારી

ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 લોકો તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યા

Helicopter Crash: CDS બિપિન રાવતના હેલિકોપ્ટર સાથે શું થયું હતું? રક્ષામંત્રી રાજનાથ સિંહે લોકસભામાં આપી જાણકારી

નવી દિલ્હી/કુન્નૂર: ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 લોકો તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યા. આ દુર્ઘટનામાં ફક્ત ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો જ બચાવ થયો છે જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ અને રક્ષા સૂત્રોના જણાવ્યાં મુજબ જનરલ બિપિન રાવત અને તેમના પત્નીના પાર્થિવ શરીરને ગુરુવારે સવારે કોઈમ્બતુરથી હવાઈ માર્ગે દિલ્હી લાવવામાં આવશે. આ બાજુ રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે સંસદમાં આ હેલિકોપ્ટર દુર્ઘટના પર નિવેદન આપ્યું. 

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને બેંગ્લુરુ શિફ્ટ કરાશે
કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હાલ લાઈફ સપોર્ટ પર છે. તથા તેમની વેલિંગ્ટન આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલે છે. સારા ઈલાજ માટે તેમને બેંગલુરુ શિફ્ટ કરાઈ રહ્યા છે. ભારતીય વાયુસેનાના અધિકૃત નિવેદન મુજબ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર વ્યક્તિ છે જે આ દુર્ઘટનામાં બચી ગયા છે. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમા આગ લાગી ગઈ હતી. આગને કારણે તેઓ ખુબ દાઝી ગયા છે. 

LIVE: लाइफ सपोर्ट पर हैं हेलीकॉप्टर हादसे में घायल ग्रुप कैप्टन वरुण सिंह, बेंगलुरु किया जा रहा शिफ्ट

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર
રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે હેલિકોપ્ટર અકસ્માતમાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની સારવાર વેલિંગ્ટનની મિલેટ્રી હોસ્પિટલમાં ચાલુ છે. તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર છે. 

— ANI (@ANI) December 9, 2021

રાજનાથ સિંહનું નિવેદન
આ અકસ્માત અંગે રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સંસદના નીચલા ગૃહ લોકસભામાં નિવેદન આપ્યું.  રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે બુધવારે 12.08 વાગે હેલિકોપ્ટર સાથે સંપર્ક તૂટી ગયો, જેમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની સહિત 14 લોકો સવાર હતા.' તેમણે કહ્યું કે Mi 17 હેલિકોપ્ટરે સવારે 11.48 વાગે સુલુરથી ઉડાણ ભરી. તે 12.15 વાગે વેલિંગ્ટન લેન્ડ કરવાનું હતું. પરંતુ 12.08 મિનિટે એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો. આ દરમિયાન લોકોએ અવાજ સાંભળ્યો તો તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તરત જ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. મળેલી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13ના મૃત્યુ થયા. જેમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત પણ સામેલ હતા. 

તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાએ સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનાની ત્રણ સ્તરીય તપાસ  (Tri-service Inquiry)ના આદેશ આપ્યા છે. તપાસનું નેતૃત્વ એર માર્શલ માનવેન્દ્ર સિંહ કરશે. કાલે જ તપાસ ટીમ વેલિંગ્ટન પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે. આજ સાંજ સુધીમાં સીડીએસ સહિત તમામ લોકોના પાર્થિવ દેહ દિલ્હી લાવવામાં આવશે અને પૂરેપૂરા સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાશે. 

— ANI (@ANI) December 9, 2021

હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું
ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે તમિલનાડુના કુન્નૂર પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલા હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું છે. તપાસ બાદ અકસ્માતનું કારણ સામે આવશે. 

ઘટના સ્થળે પહોંચ્યા વાયુસેના ચીફ
એર ચીફ માર્શલ વી આર ચૌધરે આજે સવારે તમિલનાડુના નીલગિરિ જિલ્લામાં કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટના સ્થળે પહોંચ્યા. તેમની સાથે તમિલનાડુના ડીજીપી સી સયલેન્દ્રબાબુ પણ હતા. 

13 people including CDS General Bipin Rawat and his wife lost their lives in the accident on Wednesday. pic.twitter.com/djgoBu6Y4B

— ANI (@ANI) December 9, 2021

શુક્રવારે થશે અંતિમ સંસ્કાર
પાર્થિવ દેહ દિલ્હી લાવતા પહેલા વેલિંગ્ટનમાં CDS રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ગુરુવારે સાંજ સુધીમાં પાર્થિવ દેહ દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. ત્યારબાદ 10 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે. વાયુસેનાએ એક ટ્વીટમાં કહ્યું કે ખુબ જ અફસોસ સાથે તેની પુષ્ટિ કરવામાં આવે છે કે દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જનરલ બિપિન રાવત, શ્રીમતી મધુલિકા રાવત અને 11 અન્ય લોકોના મૃત્યુ થયા છે. અકસ્માત ત્યારે થયો જ્યારે જનરલ બિપિન રાવત ડિફેન્સ સર્વિસિઝ સ્ટાફ કોલેજ (ડીએસએસસી) જઈ રહ્યા હતા જ્યાં તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધન કરવાના હતા. 

અમેરિકાએ જતાવ્યો શોક
જનરલ રાવતના નિધન પર અમેરિકાએ પણ દુખ વ્યક્ત કર્યું છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે જનરલ બિપિન રાવત ભારત-અમેરિકા રક્ષા સંબંધોના પ્રબળ સમર્થક હતા અને તેમણે બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવામાં મદદ કરી. નેડ પ્રાઈસે ડેઈલી ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું કે, ભારતમાં હેલિકોપ્ટર ક્રેશમાં ભારતીય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને 11 અન્ય લોકોના મોત અંગે જાણીને અમને ખુબ દુ:ખ થયું છે. જનરલ રાવત એક મહત્વપૂર્ણ ભાગીદાર હતા. તે પહેલા અમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગનના પ્રેસ સચિવ જ્હોન કિર્બીએ કહ્યું કે સમગ્ર અમેરિકા રક્ષા વિભાગ અને રક્ષામંત્રી લોયડ ઓસ્ટિને હેલિકોપ્ટર ક્રેશમાં જનરલ રાવતના દુ:ખદ મોત બાદ રાવત પરિવાર, ભારતીય સેના અને ભારતના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. 

અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકિંને પણ કહ્યું કે દુ:ખદ અકસ્માતમાં જીવ ગુમાવનારા ભારતીય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત, તેમના પત્ની અને સહયોગીઓના મોત પર મારી ઊંડી સંવેદના. અમે જનરલ રાવતને અસાધારણ લીડર તરીકે યાદ રાખીશું. રાવતે દેશની સેવા કરી અને અમેરિકા-ભારત રક્ષા સંબંધોમાં પોતાનું યોગદાન આપ્યું. 

કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ
વાયુસેનાએ કહ્યું કે એમઆઈ-17 વીએચ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને આ અકસ્માતના કારણો જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે. હેલિકોપ્ટરે કોયંબતુરની પાસે સુલુર વાયુસેના બેસથી ઉડાણ ભરી હતી અને કુન્નૂર ફાયર વિભાગને 12 વાગે ઘટનાની સૂચના મળી હતી. 

તૂટી પડતા પહેલા મકાન સાથે ટકારાયું હતું હેલિકોપ્ટર 
અધિકૃત સૂત્રો અને એક સ્થાનિક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ ધુમ્મસની સ્થિતિમાં હેલિકોપ્ટર ઓછી ઊંચાઈ પર ઉડી રહ્યું હતું. આ દરમિયાન એક ખીણમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. હેલિકોપ્ટર ઝાડ સાથે ટકરાતા જમીન પર પડ્યું અને પડતા જ તેમાં આગ લાગી ગઈ. એક પ્રત્યક્ષદર્શી પેરુમલે જણાવ્યું કે હેલિકોપ્ટર પડતાની સાથે જ એક મકાન સાથે પણ ટકરાયું. જો કે ઘરમાં અકસ્માત સમયે કોઈ ન હોવાના કારણે જાનહાનિ થઈ નહીં. પરંતુ મકાનને તેનાથી નુકસાન થયું. તેમણે જણાવ્યું કે આગની જ્વાળામાં લપેટાયેલા બે વ્યક્તિ હેલિકોપ્ટરથી નીચે પડ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news