Gold Loan નો બદલાઈ ગયો નિયમ! RBI નો આદેશ, આટલા રૂપિયાથી વધુ નહીં મળે રોકડ

Gold Loan: શું તમે પણ તમારું સોનું મુકીને તેની સામે લોન લેવાનું વિચારી રહ્યાં છો? જો તમારો જવાબ હાં છે તો આ સમાચાર તમારા માટે જાણવા ખુબ જરૂરી છે. કારણકે, ગોલ્ડ લોન અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવી છે એક મહત્ત્વની સુચના. શું છે સમગ્ર મામલો? કઈ રીતે સામાન્ય માણસોને થશે અસર જાણીએ.

Gold Loan નો બદલાઈ ગયો નિયમ! RBI નો આદેશ, આટલા રૂપિયાથી વધુ નહીં મળે રોકડ

Gold Loan: NBFC પાસેથી ગોલ્ડ લોન લેનારાઓ માટે નવું અપડેટ સામે આવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલેકે, RBI દ્વારા ગોલ્ડ લોન અંગેના નિયમોમાં કર્યો છે મોટો બદલાવ. હવે પહેલાંની જેમ મનફાવે તેમ ગોલ્ડ પર નહીં મળી જાય લોન. રોકડ રૂપિયા 20000થી વધુ ન આપવાની સુચના આરબીઆઈ દ્વારા આપવામાં આવી છે. આ સપ્તાહની શરૂઆતમાં, રિઝર્વ બેંકે સોના સામે લોન આપતી ફાઇનાન્સર્સ અને માઇક્રો ફાઇનાન્સ કંપનીઓને ઈનકમ ટેક્સની કલમ 269 SSનું પાલન કરવાની કડક સુચના આપી હતી.

NBFC Limit:
જો તમે ક્યારેય તમારી જરૂરિયાતના સમયે બેંક અથવા NBFC પાસેથી ગોલ્ડ લોન લીધી હોય, તો તમારા માટે આ સમાચાર સાથે અપડેટ રહેવું મહત્વપૂર્ણ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એનબીએફસીને આવકવેરાના નિયમો અનુસાર સોના સામે લોન આપતી વખતે 20,000 રૂપિયાથી વધુ રોકડ ચૂકવણી ન કરવા જણાવ્યું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, રિઝર્વ બેંકે, સોના સામે લોન આપતી ફાઇનાન્સર્સ અને માઇક્રો ફાઇનાન્સ કંપનીઓને તેની સલાહમાં, તેમને આવકવેરા કાયદાની કલમ 269 SSનું પાલન કરવાનું કહ્યું છે.

રોકડની મંજૂર મર્યાદા રૂ. 20000 કરવામાં આવીઃ
આવકવેરા અધિનિયમની કલમ 269SS એ જોગવાઈ કરે છે કે કોઈ વ્યક્તિ ચુકવણીના નિર્દિષ્ટ મોડ્સ સિવાય અન્ય કોઈ વ્યક્તિ વતી થાપણો અથવા લોન સ્વીકારી શકતી નથી. આ વિભાગમાં રોકડની મંજૂર મર્યાદા 20,000 રૂપિયા છે. આ એડવાઈઝરીના થોડા અઠવાડિયા પહેલા, આરબીઆઈએ આઈઆઈએફએલ ફાઈનાન્સને તેના ઈન્સ્પેક્શન દરમિયાન કેટલીક ચિંતાઓ મળ્યા બાદ ગોલ્ડ લોન મંજૂર અથવા વિતરિત કરવાથી રોકી દીધી હતી.

ઈન્ડેલ મનીના સીઈઓ ઉમેશ મોહનને જણાવ્યું હતું કે આ નિર્દેશ પારદર્શિતા અને વધુ સારી રીતે પાલન કરવામાં મદદ કરશે પરંતુ તેની અસર પડી શકે છે કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં ઘણા લોકો ઔપચારિક બેંકિંગ સિસ્ટમનો ભાગ નથી. મોહનને જણાવ્યું હતું કે આ નિર્દેશ અજાણતામાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગને કટોકટીની સ્થિતિમાં પણ ગોલ્ડ લોન મેળવવાથી અટકાવી શકે છે, જેનાથી નાણાકીય પહોંચ મર્યાદિત થઈ શકે છે.

કેમ કરવામાં આવી આટલી લીમીટ?
રિઝર્વ બેંક (RBI)ની આ સલાહ પર ટિપ્પણી કરતા, મણપ્પુરમ ફાઇનાન્સના MD અને CEO વીપી નંદકુમારે કહ્યું કે રોકડ લોન આપવા માટે 20,000 રૂપિયાની મર્યાદાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે મણપ્પુરમ ફાઇનાન્સની અડધી લોન ઓનલાઈન આપવામાં આવે છે અને બ્રાન્ચમાંથી મળેલી લોન માટે પણ મોટાભાગના ગ્રાહકો ડાયરેક્ટ ટ્રાન્સફર પસંદ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news