CDS Bipin Rawat નું હેલિકોપ્ટર થયું ક્રેશ, જાણો સેનાના આ જાબાંઝ અધિકારીના સાહસ અને સિદ્ધિની કહાની

મિલનાડુના કુન્નૂરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચારો સામે આવ્યાં છે. આ હેલિકોપ્ટરમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોના મુખિયા એવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS  બિપિન રાવત પણ સવાર હતા. આ સાથે જ તેમની સાથે તેમના પત્ની પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા.

CDS Bipin Rawat નું હેલિકોપ્ટર થયું ક્રેશ, જાણો સેનાના આ જાબાંઝ અધિકારીના સાહસ અને સિદ્ધિની કહાની

નવી દિલ્હીઃ તમિલનાડુના કુન્નૂરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચારો સામે આવ્યાં છે. આ હેલિકોપ્ટરમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોના મુખિયા એવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS  બિપિન રાવત પણ સવાર હતા. આ સાથે જ તેમની સાથે તેમના પત્ની પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા. ખરાબ હવામાનને કારણે આ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની માહિતી મળી છે. આજે બપોરે 1 વાગ્યાને 17 મિનિટે આ હેલિકોપ્ટર ક્રેશ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. એરફોર્સે ટ્વીટ કરીને આ દુર્ઘટનાની જાણકારી આપી છે. સૂત્રોના મતે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મૃતદેહ મળ્યાં છે. સુલુર એરબેઝથી હેલિકોપ્ટર જ્યારે વેલિંગ્ટન થઈ રહ્યું હતું તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાઈ હતી.

સેના પ્રમુખ જનરલ બિપિન રાવત દેશના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ તરીકે નિમણૂક પામ્યા હતા. ડિસેમ્બર 2019માં તેઓ નિવૃત્ત થઈ રહ્યાં હતા તે સમયે જ તેમને એક નવી પોસ્ટ ઉભી કરીને ભારતીય સેનાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલેકે, CDS તરીકેની પદવી આપવામાં આવી હતી. 31મી ડિસેમ્બર 2019 તેઓ આર્મી ચીફના પદ પરથી રિટાયર થતાની સાથે જ તેમને સીડીએસની નવી પદવી સોંપવામાં આવી હતી. જનરલ રાવત સીડીએસ તરીકે ફોર સ્ટાર જનરલ હતા.

જનરલ બિપિન રાવત દેશના એવા આર્મી ચીફ રહ્યાં છે જેમણે પહેલાં વર્ષ 2015 અને પછી કેન્દ્રીય કેબિનેટ તરફથી 24 ડિસેમ્બરે થયેલ બેઠકમાં દેશના પહેલાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તિને મંજૂરી આપી હતી. સીડીએસ એક ફોર સ્ટાર જનરલ તરીકેની હોદ્દે છે. આ હોદ્દો રક્ષા મંત્રાલયમાં મિલિટ્રી મામલા સાથે જોડાયેલ વિભાગના મુખિયાને અપાય છે. તે સમયે ઈન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફી (IDS)ના મુખિયા રહી ચૂકેલ લેફ્ટિનેન્ટ જનરલ (રિટાયર્ડ) સતીશ દુઆએ સીડીએસની નિયુક્તિને દેશની સેના માટે ક્યારેય ના ભૂલી શકાય તેવી પળ ગણાવી હતી.

પરિવારમાં હંમેશા રહી દેશ સેવાની પરંપરાઃ
જનરલ રાવતના પિતા પણ આર્મી ઑફિસર હતા અને લેફ્ટિેન્ટ જનરલ તરીકે રિટાયર થયા. હિમાચલ પ્રદેશના શિમલા સ્થિત સેન્ટ એડવર્ડ સ્કૂલ અને દેહરાદૂનના કેમબેરિયન હૉલ સ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો. જે બાદ તેમણે પુણેના ખડકવાસલામાં નેશનલ ડિફેન્સ એકેડમી અને પછી વર્ષ 1978માં તેઓ ઈન્ડિયન મિલિટ્રી એકેડમીથી પાસ આઉટ થયા અને અહીં પર તેમને સ્વોર્ડ ઑફ ઑનર જેવું સન્માન પણ મળ્યું. પિતાની યૂનિટમાં જ પહેલું પોસ્ટિંગ ડિસેમ્બર 1978માં બિપિન રાવત એજ ગોરખા રાઈફલ્સમાં લેફ્ટિનેન્ટ તરીકે અપોઈન્ટ થયા જે એક સમયે તેમના પિતાની યૂનિટ હતી.

લેફિટનેન્ટથી CDS સુધીનો સફરઃ
લેફ્ટિનેન્ટ તરીકે બિપિન રાવતે પોતાની કરિયરની શરૂઆત કરી. અને આ સફરમાં તેઓ આર્મી ચીફ અને ત્યાર બાદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલેકે, CDS સુધીના પદ સુધી પહોંચ્યાં હતાં.મિલિટ્રી ઓપરેશન્સ ડાયરેક્ટોરેટમાં તેઓ જનરલ સ્ટાફ ઑફિસર ગ્રેડ ટૂમાં રહ્યા. લૉજિસ્ટિક સ્ટાફ ઑફિસર, કર્નલ મિલિટ્રી સેક્રેટરી, ડેપ્યૂટી મિલિટ્રી સેક્રેટરી, જૂનિયર કમાંડ વિંગમાં સીનિયર ઈન્સ્ટ્રક્ટર જેવા કેટલાય પદો પર તેઓ સેનામાં રહ્યા. જનરલ રાવત સદર્ન આર્મી કમાન્ડના મુખિયા પણ રહી ચૂક્યા છે.

સર્જિકલ સ્ટ્રાઈકમાં હતો મહત્ત્વનો રોલઃ
જૂન 2015માં કરાયેલ સર્જિકલ સ્ટ્રાઈકમાં બિપિન રાવતનો મહત્વનો રોલ હતો. લેફ્ટિનેન્ટ જનરલ બિપિન રાવતને ઉચ્ચ શિખર લડાઈમાં મહારત હાંલ છે અને આતંકવાદ તથા ઉગ્રવાદી ગતિવિધિઓથી નિપટવા માટે તેમણે કેટલાય ઓપરેશન ચલાવેલાં છે. વર્ષ 2015માં મણિપુરના ચંદેલમાં એનએસસીએન-કે સંગઠનના નાગા આતંકીઓએ ઘાત લગાવી ઈન્ડિયન આર્મીના કાફલા પર હુમલો બોલ્યો હતો. આ હુમલામાં 18 સૈનિકો શહીદ થયા હતા. જે બાદ ઈન્ડિયન આર્મીએ સીમા પાર મ્યાનમારમાં સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપી અને આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ સર્જિકલ સ્ટ્રાઈક પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભલ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજર પણ ટકી હતી. આ સર્જિકલ સ્ટ્રાઈકની જવાબદારી તે સમયે નાગાલેન્ડના દિમાપુર સ્થિત 3 કોર્પ્સ કમાન્ડર રહેલ લેફ્ટિનેન્ટ જનરલ બિપિન રાવત પર હતી.

PoK ની સર્જિકલ સ્ટ્રાઈકમાં કરી આગેવાની:
PoKની સર્જિકલ સ્ટ્રાઈક અને રાવત વર્ષ 2016માં જ્યારે 18 સપ્ટેમ્બરે ઉરી હુમલો થયો ત્યારે બિપિન રાવત વાઈસ ચીફ ઑફ આર્મી સ્ટાફ હતા. તેમને ચીફ ઓફ ડિફેન્સનું પદ સોંપવામાં આવ્યું તેના માત્ર ત્રણ અઠવાડિયાં જ થયાં હતાં. જે બાદ પીઓકેમાં એક સર્જિકલ સ્ટ્રાઈક થઈ અને આ વખતે બિપિન રાવત ફરીથી સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપનાર ટીમના મહત્વના ભાગ બની ગયા હતા. પીઓકેની સર્જિકલ સ્ટ્રાઈકમાં ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટ્રી ઑપરેશન્સનના વાઈસ ચીફને રિપોર્ટ કરવાનો મહત્વનો રોલ હોય છે અને જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક થઈ ત્યારે રાવત જ સાઉથ બ્લોકના નર્વ સેન્ટર હતા. તેઓએ ફરી એકવાર એનએસએની સાથે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. 

સામાજિક કાર્યકર છે તેમના પત્ની મધુલિકાઃ
ત્રીજા ગોરખા આર્મી ચીફ જનરલ અને ત્યાર બાદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે સેવા આપતા બિપિન રાવત સેનાની ત્રણેય પાંખો સાથે જોડાયેલીને તાલમેલ જાળવીને દેશના સરંક્ષણ વિભાગમાં સૌથી મહત્ત્વની ભૂમિકા નિભાવતા હતા. તેમના પત્ની મધુલિકા દિલ્હી યૂનિવર્સિટીથી મનોવિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ છે. મધુલિકા સોશિયલ વર્કર છે અને ખાસ કરીને કેન્સરના દર્દીઓ માટે કામ કરે છે. ફીલ્ડ માર્શલ સેમ મૉનકેશૉ અને જનરલ દલબીર સિંહ સહાગ બાદ લેફ્ટિનેન્ટ જનરલ બિપિન રાવત ત્રીજા એવા સેના પ્રમુખ હતા જેઓ ગોરખા રેજીમેન્ટમાંથી આવતા હતા.  જનરલ બિપિન રાવત સુરક્ષા મામલાઓ અંગે સમાજને જાગૃત કરવા માટે કટાર લેખન કરતા હતાં. તેમના લેખ વિવિધ સામયિકોમાં પણ પ્રકાશિત કરવામાં આવતા હતાં.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news