બ્લડ બેંકોના 'ધંધા' પર સરકારનો સકંજો! દાનમાં લીધેલું લોહી હવે વેચી નહીં શકાય, લેવાયો મોટો નિર્ણય

Blood Dispensing New Rules Released: કેન્દ્ર સરકારના નિર્ણય અનુસાર બ્લડ બેન્ક કે હોસ્પિટલો હવે લોહી આપવા માટે ફક્ત પ્રોસેસિંગ ફી જ વસૂલી શકશે. આ ઉપરાંત જે ચાર્જ વસૂલાતા હતા તે હવે વસૂલી નહીં શકાય. સરકાર તરફથી જાહેર કરાયેલી એડવાઈઝરી તમામ હોસ્પિટલો અને બ્લડ બેન્કોને જારી કરી દેવામાં આવી છે. 

બ્લડ બેંકોના 'ધંધા' પર સરકારનો સકંજો! દાનમાં લીધેલું લોહી હવે વેચી નહીં શકાય, લેવાયો મોટો નિર્ણય

Blood Dispensing New Rules Released: દરેક લોકો લોહીની કિંમત જાણે જ છે કે જીવન જીવવા માટે લોહીનો કેટલો ફાળો છે. પરંતુ મોદી સરકારના એક નિર્ણયથી હવે લોહીના વેચાણનો ધંધો બંધ થશે. એટલે કે હવે દેશમાં લોહી વેચી નહીં શકાય. હોસ્પિટલ અને ખાનગી બ્લડ બેંકોમાં રક્તદાન કરવા માટે મોટી રકમ વસૂલનારાઓને અંકુશમાં લેવા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. જી હા... સરકારના આ નવા નિર્ણય હેઠળ હવે બ્લડ બેંક કે હોસ્પિટલમાંથી બ્લડ લેવા માટે પ્રોસેસિંગ ફી સિવાય અન્ય કોઈ ચાર્જ લાગશે નહીં. આ સંદર્ભે સરકારે આ સૂચના જાહેર કરી છે કે લોહી વેચાણ માટે નથી. આ એડવાઈઝરી ભારતભરની બ્લડ બેંકોને જાહેર કરવામાં આવી છે.

લોહીના બદલે વસૂલતા હતા 6000 રૂપિયા
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ નિર્ણયનું પાલન કરવા અને નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ (NBTC) ની સુધારેલી માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે રક્તદાન ન કરવાના કિસ્સામાં ખાનગી હોસ્પિટલો અને બ્લડ બેંકો સરેરાશ 2,000 થી 6,000 રૂપિયા પ્રતિ યુનિટ ચાર્જ કરે છે. આ ઉપરાંત, લોહીની ઉણપ અથવા દુર્લભ રક્ત જૂથના કિસ્સામાં ફી 10,000 રૂપિયાથી વધુ છે.

હવે માત્ર ચૂકવવા પડશે 1550 રૂપિયા 
રક્તદાન કર્યા પછી પણ લોકો હંમેશા પ્રોસેસિંગ ફી વસૂલ કરે છે. જો કે, નવી માર્ગદર્શિકા હેઠળ માત્ર પ્રોસેસિંગ ફી વસૂલવામાં આવી શકે છે, જે રક્ત અથવા લોહીના ઘટકો માટે રૂ. 250 થી રૂ. 1,550 ની વચ્ચે હોય છે. ઉદાહરણ તરીકે, આખા રક્ત અથવા પેક્ડ લાલ રક્ત કોશિકાઓનું વિતરણ કરતી વખતે 1,550 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવી શકે છે, જ્યારે પ્લાઝ્મા અને પ્લેટલેટ્સનો ચાર્જ પ્રતિ પેક 400 રૂપિયા હશે.

દર્દીઓ માટે સરકારનો આ નિર્ણય અસરકારક
સરકારી નિયમ રક્ત પર વધારાના પરીક્ષણો ચલાવવા માટે અન્ય ફી પણ નિર્ધારિત કરે છે, જેમાં ક્રોસ-મેચિંગ અને એન્ટિબોડી પરીક્ષણનો પણ સમાવેશ થાય છે. તબીબી નિષ્ણાતોના મતે સરકારનો આ નિર્ણય દર્દી માટે અનુકૂળ છે. ખાસ કરીને જેઓ થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા જેવા રક્ત વિકારને કારણે નિયમિત રક્ત ચડાવતા હોય અથવા સર્જરી કરાવતા દર્દીઓ માટે. આવા કિસ્સાઓમાં સંબંધીઓ અથવા મિત્રો માટે રક્તદાન કરવું હંમેશા શક્ય નથી.

ડૉક્ટરોએ કરી આ નિર્ણયની પ્રશંસા
નેશનલ થેલેસેમિયા વેલ્ફેર સોસાયટીના જનરલ સેક્રેટરી ડૉ. જે.એસ. અરોરાએ જણાવ્યું હતું કે, "આ નિર્ણય કેટલીક કોર્પોરેટ હોસ્પિટલો દ્વારા ઓવર ચાર્જિંગ પ્રથાને રોકવામાં મદદ કરશે. ડૉ. અરોરાએ સરકારના નિર્ણયની પ્રશંસા કરી અને કહ્યું કે જે ફી વસૂલવાની મંજૂરી છે તે કોઈપણ હેલ્થકેર કોમ્પ્લેક્સ માટે થયેલા ખર્ચને વસૂલ કરવા માટે પર્યાપ્ત કરતાં વધુ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news