Ram Mandir Pran Pratishtha: પ્રાણ પ્રતિષ્ઠા એટલે શું? રામલલ્લાની આ પ્રાણ પ્રતિષ્ઠામાં 84 સેકન્ડનું છે ખુબ જ મહત્વ, ખાસ જાણો

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં કયું છે શુભ મુહૂર્ત અને આ દિવસને જ કેમ પસંદ કરવામાં આવ્યો તે ખાસ જાણો. 

Ram Mandir Pran Pratishtha: પ્રાણ પ્રતિષ્ઠા એટલે શું? રામલલ્લાની આ પ્રાણ પ્રતિષ્ઠામાં 84 સેકન્ડનું છે ખુબ જ મહત્વ, ખાસ જાણો

22 જાન્યુઆરીના દિવસે આખો દેશ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. કારણ કે આજના દિવસે અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. દરેક  ભારતીય રામલલ્લાના સ્વાગત માટે મગન થઈ રહ્યા છે. રામલલ્લાને ગર્ભગૃહમાં સ્થાપિત કર્યા બાદ શ્રદ્ધાળુઓ પોતાના આરાધ્ય દેવના દર્શન સરળતાથી કરી શકશે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં કયું છે શુભ મુહૂર્ત અને આ દિવસને જ કેમ પસંદ કરવામાં આવ્યો તે ખાસ જાણો. 

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ અને સમય
રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 12.20 મિનિટ 8 સેકન્ડથી 12 વાગ્યાને 30 મિનિટ 32 સેકન્ડનું શુભ મુહૂર્ત કાઢવામાં આવેલું છે. આવામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે ફક્ત 84 સેકન્ડનો જ સમય મળશે. 

કેમ 22 તારીખે જ પ્રાણ પ્રતિષ્ઠા
જો  22 જાન્યુઆરી ના દિવસ પસંદગી ના આ કારણ ને જાણશો તો આપ પણ ચોકી જશો  વિના કારણે આ દિવસ આવ્યો નથી અને આ દિવસ આવ્યો છે તો પરિણામ પણ અનોખું મળવાનું છે અહી જ્યોતિષ શાસ્ત્ર તેમજ હિન્દુ ધર્મ શાસ્ત્ર વગેરે ની મહાનતા છતી થાય છે. અંક શાસ્ત્ર પ્રમાણે વાત કરીએ 22 ,1,  2024 ની તો તેમાં અનોખું રહસ્ય છે. સૌથી પહેલા વાત કરીએ 22 તારીખની જેમાં 2+2=4 ચારના અંકને રાહુલનો અંક કહેવામાં આવે છે રાહુ માયાજાળનું ગ્રહ છે અણધારી બાબતોનો ગ્રહ છે. 

જેમકે ભગવાન શ્રી રામ મંદિરનો વિવાદ અનિશ્ચિત અને અણધારી બાબત હતી. હવે વાત કરીએ 22 ,1,2024 જો સમગ્ર નું ટોટલ મારીએ તો પણ 13 થાય 2+2+1+2+2+4= 13 એટલે 1+3=4 રાહુ નો અંક આમ 22 તારીખમાં પણ 4, રાહુ નો અંક છે અને અને સમગ્ર તારીખ મહિનો અને વર્ષનું ટોટલ મારીએ તો પણ અંક 4, છે જે રાહુ નો છે. વાત અહીંયા થી સમાપ્ત થતી નથી અહીં શનિ ગ્રહનું પણ યોગદાન લેવાયેલું છે. 22 તારીખ નો 4 + 4 આખા વર્ષનું ટોટલ= 8 જેને શનિનો અંક કહેવામાં આવે છે. જેનું મહત્વ લેવું જરૂરી છે. જો ભારતમાં કોઈ પણ મહત્વ નું કાર્ય સરળતાથી સફળ બનાવવું હોય તો શનિનો સાથ લેવો અનિવાર્ય છે તો વિના કાર્ય પૂર્ણ થાય નહિ  કેમકે ભારત આઝાદ થયું 15,8 (ઓગષ્ટ)1947  તેમાં પણ શનિ નો રોલ છે કેમ કે 1+5+8+1+9+4+7= 35 તેથી 3+5= 8 જે શનિ નો છે જેથી ભારત શનિ પ્રધાન દેશ ગણાય છે અને આમ જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો આઝાદ ભારતની વૃષભ લગ્ન કુંડળીમાં શનિ ગ્રહ ને યોગી ગ્રહ ગણવામાં આવે છે સૌથી શ્રેષ્ઠ અને શુભ ફળ આપતો ગ્રહ તેમજ રાજા ગણાય છે  આમ  આ તારીખ ની અંદર પણ ભારતની સાથે ઋણાનું બંધન જોડાયેલું છે. 

બીજું 8 નો અંક શનિનો છે જેનાથી બીજી એક વાત સ્થાપિત થાય છે કે આજે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપના થઈ રહી છે તે હિન્દુઓના અતિ પ્રાચીન અને પૌરાણિક ભગવાન છે શેની તમામ જૂની અને પુરાની બાબતોનો ગ્રહ છે માટે તે પણ આ કાર્ય માટે ખૂબ સાનુકૂળ કહેવાય માટે આ તારીખનું બળ અને ઘણું વધી જાય છે 

હવે સૌથી મહત્વની વાત અત્યારે હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જેમને હાથે આ કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે તેમનો પણ યોગ કેમ તેમના નંબર પણ સાથ આપવા જરૂરી છે તેમનો જન્મ 17 સપ્ટેમ્બર ના રોજ થયો છે 17 તારીખ  માં  1+7= 8 જે પણ શનિ નો છે જે આ તારીખ તેમને  માટે અને રામ મંદિર પ્રતિષ્ઠા ના કાર્ય માટે પણ શ્રેષ્ઠ રહી શકે છે  એટલે આ તારીખ બહુ સમજી વિચારીને પસંદ થઈ હોય કે આવી હોય જે કંઈ પણ બન્યું હોય કે ભગવાન શ્રીરામની પ્રેરણાથી આ કાર્ય થઈ રહ્યું હોય કે આંકડાઓની માયાજાળ ઘણો કે કંઈ પણ રહસ્યમય બાબત કે જે 600 વર્ષથી જેનો ઉકેલ ન હતો. તે નિર્વિઘ્ને પૂર્ણ થાય શાંતિથી આનંદથી અને તે કાર્ય સંપન્ન થાય તે જ આ તારીખના મુહૂર્ત આંકડા અને અંકોની કમાલ છે. ભૂતકાળમાં આ તારીખ ડિક્લેર થયા પહેલા જેની કલ્પના કોઈપણ ન કરી શકે તેવી જ શ્રી રામ મંદિર ની બાબત એક પ્રમાણે માયાવી અને અતિ પ્રાચીન ગણી શકાય તેવી હતી જેનું સુખદ ઉકેલ આ તારીખે આવે અને કાર્ય સંપન્ન થાય જે શ્રેષ્ઠ ગણાય 

શું હોય છે પ્રાણ પ્રતિષ્ઠા
હિન્દુ ધર્મમાં પ્રાણ પ્રતિષ્ઠાનું વિશેષ મહત્વ છે. જ્યારે કોઈ દેવી દેવતાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે ત્યારે તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠાનો અર્થ છે જીવન શક્તિની સ્થાપના કરવી. હિન્દુ ધર્મ પરંપરામાં પ્રાણ પ્રતિષ્ઠા એક પવિત્ર અનુષ્ઠાન છે. જે કોઈ મૂર્તિ કે પ્રતિમામાં તે દેવતા કે દેવીનું આહ્વાન કરીને તેને પવિત્ર કે દિવ્ય બનાવવા માટે કરાય છે. પ્રાણ શબ્દનો અર્થ છે જીવન જ્યારે પ્રતિષ્ઠાનો અર્થ થાય છે સ્થાપના. આવામાં પ્રાણ પ્રતિષ્ઠાનો અર્થ થાય છે પ્રાણ શક્તિની સ્થાપના કે દેવતાને જીવંત સ્થાપિત કરવા. ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news