EXCLUSIVE- સુશાંત એટલો નબળો ન હતો કે આત્મહત્યા કરી લે: અંકિતા લોખંડે

સુશાંત સિંહ સુસાઇડ કેસમાં તેમની મિત્ર અંકિતા લોખંડેએ ZEE NEWS એડિટર-ઇન-ચીફ સુધી ચૌધરીએ કહ્યું કે તેમની મોત બાદથી હું અને આખો પરિવાર આધાતમાં છીએ. કોઇના પર આરોપ લાગવો ન જોઇએ.

EXCLUSIVE- સુશાંત એટલો નબળો ન હતો કે આત્મહત્યા કરી લે: અંકિતા લોખંડે

નવી દિલ્હી: સુશાંત સિંહ સુસાઇડ કેસમાં તેમની મિત્ર અંકિતા લોખંડેએ ZEE NEWS એડિટર-ઇન-ચીફ સુધી ચૌધરીએ કહ્યું કે તેમની મોત બાદથી હું અને આખો પરિવાર આધાતમાં છીએ. કોઇના પર આરોપ લાગવો ન જોઇએ. સત્ય જાણવા માંગુ છું કે આખરે આમ કેમ થયું? સુશાંત સિંહ જિંદાદિલ હતો, ક્યારે નિરાશ થતો નથી. એ કહેવું યોગ્ય નથી કે ફિલલ્મ ઇંડસ્ટ્રીમાં નેપોઝિટમ, પરિવારવાદના કારણે હતાશામાં તેમણે સુસાઇડ કરી લીધું. 

આ સાતેહ જ તેમણે કહ્યું કે તે કેરિયરને લઇને સંજીદા હતો પરંતુ ધંધામાં નિષ્ફળતાના ડરથી આત્મહત્યા કરી ન શકે. તેને આ પ્રકારે સમજી ન શકાય કે અમારા બંનેની પહેલી સિરીયલ 'પવિત્ર રિશ્તા' ચાલી રહી હતી તો તેણે વચ્ચે છોડવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ તેણે ત્રણ વર્ષ સુધી પોતાની પહેલી ફિલ્મ માટે રાહ જોઇ અને ત્યારબાદ તેને 'કાઇ પો છે' ફિલ્મ મળી. કહેવાનો અર્થ એ છે કે તે સંઘર્ષથી હારનાર વ્યક્તિ ન હતો. તે ત્યાં સુધી કહેતો હતો કે જો તેને સફળતા ન મળી તો તે ખેતી કરી લેશે. નાની ફિલ્મો કરી લેશે. એટલા માટે તે બીજાને પ્રેરણા આપનાર હસમુખ, સફળ, સમજદાર વ્યક્તિ હતો. તેની આત્મહત્યા કરવાની વાત કોઇપણ પ્રકારે ગળે ઉતરતી નથી. 

આ સાથે જ અંકિતા લોખંડેએ કહ્યું કે આ યોગ્ય છે કે હાલના વર્ષોમાં સુશાંત સાથે ન હતી પરંતુ તેમને અનુભવ કર્યો કે ગત એક વર્ષથી મીડિયા સહિત દરેક જગ્યાએ દેખાવા લાગ્યા હતા. અચાનકથી એકેલો થઇ ગયો હતો. ઉદાસ લાગતો હતો. 

'અપવિત્ર' રિશ્તા
સુશાંતના મોત બાદ તેમના પિતા દ્વારા રિયા વિરૂદ્ધ કરવામાં આવેલી એફઆઇઆર અને પૈસાનો મામલો સામે આવતાં તેમણે કહ્યું કે આ વિશે એટલા માટે કંઇ કહેવા માંગતી નથી કારણ કે તપાસ ચાલી રહી છે. પરંતુ એ પણ સત્ય છે કે સુશાંતની આત્મહત્યાની વાત એકદમ આશ્વર્યજનક છે. પરંતુ આ વાતની તપાસ થવી જોઇએ કે તાજેતરના દૌરમાં તેમની સાથે કોણ લોકો હતા અને તેમની જીંદગીમાં શું ઘટિત થયું? આખરે તે કઇ દીશાઓ હતી જેના કારણે તે ડિપ્રેશનના શિકાર થયા. આમ એટલા માટે કારણ કે તે સફળ વ્યક્તિ હતા. તેમણે પોતાની મહેનત, હુનર અને સમજથી પોતાનું સ્થાન બનાવ્યું હતું. એ પણ સત્ય છે કે તે સંવેદનશીલ અને ભાવુક માણસ હતા. પરંતુ એ પણ જોવું જોઇએ કે તેમની આસપાસ ગત એક-દોઢ વર્ષમાં તે કયા લોકો હતા જેના કારણે તે પોતાનાથી દૂર ગયા. મીડિયા આ પ્રકારના સમાચાર આવી રહ્યા છે કે તે પોતાના પરિવારથી કટ થઇ ગયા હતા. તેમની તેમના પિતા અને બહેનો સાથે વાત ઓછી થવા લાગી હતી. આ બધી બાબતોની તપસ થવી જોઇએ.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news