વરસાદમાં પલળી ગયા પછી થતી શરદી-ઉધરસની સમસ્યા માટે રામબાણ છે આ દેશી ઈલાજ

Dry Cough: વાતાવરણના કારણે થતા શરદી ઉધરસમાં દવા કરતાં ઝડપથી કામ કેટલીક દેશી ઉપચાર કરે છે. જો તમને પણ વરસાદી વાતાવરણમાં વારંવાર શરદી થતી હોય તો તમે પણ આ દેશી ઉપચાર કરી શકો છો.

વરસાદમાં પલળી ગયા પછી થતી શરદી-ઉધરસની સમસ્યા માટે રામબાણ છે આ દેશી ઈલાજ

Dry Cough: વરસાદી વાતાવરણમાં શરદી-ઉધરસની સમસ્યા વધવા લાગે છે. વરસાદ અચાનક તુટી પડે ત્યારે પલળી જવાય છે. વારંવાર માથું પલળી તો છાતીમાં કફ થઈ જાય છે અને શરદી, ઉધરસ થઈ જાય છે. વાતાવરણના કારણે થતા શરદી ઉધરસમાં દવા કરતાં ઝડપથી કામ કેટલીક દેશી ઉપચાર કરે છે. જો તમને પણ વરસાદી વાતાવરણમાં વારંવાર શરદી થતી હોય તો તમે પણ આ દેશી ઉપચાર કરી શકો છો. આ વાતાવરણમાં આ વસ્તુઓ લેવાનું રાખશો તો શરદી ઉધરસ થશે જ નહીં અને થયા હશે તો ઝડપથી મટી જશે.

આ પણ વાંચો:

ઉધરસથી છુટકારો મેળવવા માટે મરી અને મધ પણ ખૂબ જ ઉપયોગી છે. તેના માટે ચાર પાંચ મરીના દાણાને પીસી તેના પાવડરમાં થોડું મધ ઉમેરીને તેને ચાટી જવું. દિવસમાં બેથી ત્રણ વખત આવું કરવાથી ઉધરસ મટી જાય છે. 

આદુનો રસ અને મધ

શરદી ઉધરસ અને ગળાની બળતરામાં આદુનો રસ અને મધ લેવાથી તુરંત જ રાહત મળે છે. આદુનો રસ કાઢી તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરવું. આ દેશી ઉપચાર કરવાથી ઉધરસ તુરંત મટે છે અને સાથે જ ઇમ્યુનિટી પણ સુધરે છે.

ગરમ પાણી અને મધ

જો ઉધરસના કારણે ગળામાં દુખાવો થતો હોય તો હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી મધ ઉમેરીને તેને પીવાનું રાખો. આમ કરવાથી ગળાનો દુખાવો પણ મટશે અને ઉધરસ પણ મટી જશે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news