Acidity થી તુરંત રાહત આપે છે આ ફુડ, વારંવાર થતી હોય એસિડિટી તો આજથી ખાવાનું કરો શરુ

Acidity: જો તમે પણ એસિડિટી અને કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો તમારે તુરંત જ કેટલીક વસ્તુઓનું સેવન શરૂ કરી દેવું જોઈએ. ચાલો તમને જણાવીએ કે એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવાથી લાભ થાય છે. 

Acidity થી તુરંત રાહત આપે છે આ ફુડ, વારંવાર થતી હોય એસિડિટી તો આજથી ખાવાનું કરો શરુ

Acidity: આજના સમયમાં દરેક બીજી વ્યક્તિ એસિડિટીની સમસ્યાથી પરેશાન છે.  જો તમારું પેટ બરાબર ન હોય એટલે કે કબજિયાત કે એસિડિટી જેવી સમસ્યા હોય ત્યારે તમને કોઈ કામ કરવાનું મન પણ થતું નથી. આ સમસ્યા એવી છે જે કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. જો તમે પણ એસિડિટી અને કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો તમારે તુરંત જ કેટલીક વસ્તુઓનું સેવન શરૂ કરી દેવું જોઈએ. ચાલો તમને જણાવીએ કે એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવાથી લાભ થાય છે. 

કાળી દ્રાક્ષમાં ફાઈબર હોય છે જે શરીરમાંથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી એસિડિટી પણ કંટ્રોલ થાય છે. આ તે સિવાય આંખોની દ્રષ્ટિ સુધારે છે અને હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે. જો તમારે દરરોજ તેનું સેવન કરવું હોય તો તેના માટે 5 કાળી દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળી રાખો અને તેને સવારે ખાલી પેટ ખાવી.

પોહા સાથે દહીં 

દહીં સાથે પોહા ખાવા શરીર માટે ફાયદાકારક છે. પોહા અને દહીં પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તેને ખાવા માટે પોહાને પાણીથી સારી રીતે સાફ કરો અને તેમાં સંચળ અને દહીં મિક્સ કરીને ખાઓ. તેનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળશે.

ગુલકંદ

ગુલકંદ ઠંડી વસ્તુ છે. તેના કારણે તે એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરીરની અન્ય સમસ્યાઓથી રાહત મળે છે. તેનું સેવન કરવા માટે એક ગ્લાસ પાણી અથવા દૂધમાં એક ચમચી ગુલકંદ મિક્સ કરીને પીવો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news