STUDY: માછલી નહીં ખાનારા થઈ જાઓ સાવધાન, 5 વર્ષ ઉંમર થઈ જશે ઓછી!

ડાયટમાં ઓમેગા-3 ઓઈલની કમીથી વ્યક્તિની ઉંમર ઘટી શકે છે.. તે સિગારેટ પીવા કરતા વધારે જોખમી હોઈ શકે છે. એક નવા અધ્યયનમાં આ દાવો કરવામાં આવ્યો છે. ચાલો આપણે તમને જણાવી દઈએ કે માછલીને ઓમેગા -3 નો સારો સ્રોત માનવામાં આવે છે.

STUDY: માછલી નહીં ખાનારા થઈ જાઓ સાવધાન, 5 વર્ષ ઉંમર થઈ જશે ઓછી!

નવી દિલ્લીઃ ડાયટમાં ઓમેગા-3 ઓઈલની કમીથી વ્યક્તિની ઉંમર ઘટી શકે છે.. તે સિગારેટ પીવા કરતા વધારે જોખમી હોઈ શકે છે. એક નવા અધ્યયનમાં આ દાવો કરવામાં આવ્યો છે. ચાલો આપણે તમને જણાવી દઈએ કે માછલીને ઓમેગા -3 નો સારો સ્રોત માનવામાં આવે છે. નિષ્ણાંતો સૂચવે છે કે લોકોએ તેમના આહારમાં નિયમિતપણે ઓમેગા -3 નો સમાવેશ કરવો જોઇએ... જોકે, અમારો ઉદ્દેશ્ય કોઈને માસાહાર લેવાની પ્રેરણા આપવાનો કે એ તરફ વાળવાનો નથી. તેમજ કોઈની આસ્થાને પણ અમે ઠેસ પહોંચાવવા નથી માંગતા. આ આર્ટિકલ માત્ર એક સ્ટડીના રિપોર્ટને દર્શાવે છે.

સંશોધનકારોએ શોધી કાઢ્યું છે કે ધૂમ્રપાન વ્યક્તિના સંભવિત જીવનકાળને ચાર વર્ષ સુધી ઘટાડી શકે છે. જ્યારે સૈલ્મોન અને મેકરેલ તૈલી માછલીમાં મળેલા ફેટી એસિડ્સની ઉણપ એ વ્યક્તિની આયુષ્ય પાંચ વર્ષ સુધી ટૂંકું કરી શકે છે. માછલીનું તેલ હૃદય માટે ખૂબ સારું માનવામાં આવે છે. તે લોહી ગંઠાઇ જવાથી થતી સમસ્યાથી પણ રાહત આપે છે. નિષ્ણાંતો કહે છે કે આહારમાં 8 ટકા કે તેથી વધુ ઓમેગા-3 આરોગ્ય માટે વધુ સારું છે.

1- કેનેડાની ગુલ્ફ યુનિવર્સિટીમાં મુખ્ય સંશોધક ડો. માઇકલ મૈકબર્નીના મતે, જાપાનમાં ઓમેગા -3 ઈન્ડેક્સ 8 ટકાથી વધુ છે. કદાચ આ કારણોસર આ દેશના લોકોની આયુ અમેરિકામાં રહેતા લોકો કરતા પાંચ વર્ષ વધારે છે.

2- આ અભ્યાસ 'અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશન'માં પ્રકાશિત થયો છે. તેમાં ફર્મિંગહામ હાર્ટ સ્ટડી (એફએચએસ) ના ડેટા શામેલ છે. આ વિશ્વનો અત્યાર સુધીનો સૌથી લાંબો અભ્યાસ છે. અધ્યયનમાં, સંશોધનકારોએ શોધી કાઢ્યું છે કે ફેટી એસિડ સ્ક્રિનિંગ માનક જોખમ પરિબળોની જેમ મૃત્યુદરની આગાહી કરી શકે છે.

3- ફેટી એસિડ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર અને અધ્યયનના સહ-લેખક ડો. બિલ હેરિસના જણાવ્યા અનુસાર, ફેટી એસિડ્સ વિશે અહીં આપવામાં આવેલી માહિતી એટલી જ ઉપયોગી છે જેટલી કુલ મૃત્યુદરના સંબંધમાં લિપિડ સ્તર, બ્લડ પ્રેશર, ધૂમ્રપાન અને ડાયાબિટીઝની સ્થિતિમાં હોય છે. તે એક જોખમ પરિબળ તરીકે ઓમેગા -3 અનુક્રમણિકાને સંદર્ભિત કરે છે.

4- નિષ્ણાંતો કહે છે કે આયુષ્યની ઓછું કરનારા જોખમોને ડાયટ, તમાકુનું વ્યસન, આલ્કોહોલનું સેવન અને શારીરિક પ્રવૃત્તિઓમાં પરિવર્તન સાથે આયુષ્ય ઘટાડનારા જોખમોને ઘટાડી શકાય છે. આનાથી લોકોના બગડતા સ્વાસ્થ્યમાં સુધારો થશે, પણ અકાળ મૃત્યુનું જોખમ પણ ઘટશે.

5- વર્ષ 2018માં 2,500 લોકો પર થયેલી સ્ટડીમાં સંશોધનકારોએ જાણ્યું ખે જે લોકો ઓમેગા -3 નો વધુ પ્રમાણમાં વપરાશ કરે છે, તેમના મૃત્યુનો ખતરો 33 ટકા ઓછો રહે છે...મહિલાઓ પર આધારિત એક અધ્યયનમાં સમાન પરિણામો જોવા મળ્યા છે.

6- સૈલ્મન અને મૈકરેલ માછીમાં મોટી માત્રામાં ઓમેગા-3 હોય છે. આ સિવાય કેટલાક સી ફૂડ ઓમેગા-3 યુક્ત હોય છે. સરડાન્સ પ્રજાતિની નાની માછલીમાં પણ ઓમેગા-3નો સારો સ્ત્રોત હોય છે.

7- આ સિવાય માછલીના ઈંડા, ફ્લૈક્સ સિડ્સ, ચિયા સીડ્સ, સોયાબીન અને અખરોટમાં પણ ઓમેગા-3 હોય છે. જેથી જે લોકો નોન-વેજનું સેવન નથી કરતા તે લોકો આ વેજ ફૂડ ખાઈને ઓમેગા-3ની કમી દૂર કરી શકે છે.

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web sit

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news