Mulethi Benefits: મુલેઠીથી એકવારમાં શરદી-ઉધરસનું કામ થશે તમામ, જાણો ઉપયોગ કરવાની રીત

Mulethi Benefits: મુલેઠી તેના ગુણના કારણે એક નહીં અનેક રોગમાં દવા તરીકે કામ કરે છે. ખાસ કરીને તેમાં રહેલા ગુણ શરદી અને ઉધરસથી તુરંત રાહત અપાવે છે. આ સિવાય જો બદલતા વાતાવરણના કારણે તમને તાવ, ગળાના દુખાવા જેવી સમસ્યા હોય તો તેનાથી પણ મુક્તિ મળે છે. 

Mulethi Benefits: મુલેઠીથી એકવારમાં શરદી-ઉધરસનું કામ થશે તમામ, જાણો ઉપયોગ કરવાની રીત

Mulethi Benefits: મુલેઠી એક ઉત્તમ આયુર્વેદિક દવા છે. મુલેઠીમાંથી તીવ્ર સુગંધ આવતી હોય છે. તેનો ઉપયોગ દવા તરીકે ઉપરાંત ચામાં પણ થાય છે.  મુલેઠીમાં એન્ટીવાયરલ, એન્ટીઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. મુલેઠીનો ઉપયોગ અલગ અલગ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં કરવામાં આવે છે. 

મુલેઠી તેના ગુણના કારણે એક નહીં અનેક રોગમાં દવા તરીકે કામ કરે છે. ખાસ કરીને તેમાં રહેલા ગુણ શરદી અને ઉધરસથી તુરંત રાહત અપાવે છે. આ સિવાય જો બદલતા વાતાવરણના કારણે તમને તાવ, ગળાના દુખાવા જેવી સમસ્યા હોય તો તેનાથી પણ મુક્તિ મળે છે. મુલેઠી પાચન તંત્ર માટે પણ લાભકારી છે. તેનું સેવન કરવાથી ગેસ, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓ મટે છે.

આ પણ વાંચો:

મુલેઠીનો ઉકાળો બનાવીને પીવો
મુલેઠીનું સેવન કરવાની ઘણી અલગ અલગ રીત છે. પરંતુ સૌથી અસરકારક તેનો ઉકાળો હોય છે. મુલેઠીની ડાળીઓને ગરમ પાણીમાં ઉકાળવી અને ત્યારબાદ આ પાણી ગરમ હોય ત્યારે જ ધીરે ધીરે પીવું. આ ઉકાળામાં મધ પણ ઉમેરી શકાય છે. 

મુલેઠીને ચાવવી
મુલેઠીની ડાળીઓના નાના ટુકડા કરી તમે ચાવી પણ શકો છો. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. અને વાયરલ રોગોનું જોખમ ઘટે છે.  

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news