કલરકામ કરનાર પતિની કારની માંગણીથી કંટાળીને પત્નીએ એવું પગલું ભર્યું કે...

 અમદાવાદના ઓઢવ વધુ એક વખત દહેજના દાનવે એક પરણિતાનો જીવ લીધો છે. દહેજના ત્રાસથી અમદાવાદની 26 વર્ષીય પરણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. 
કલરકામ કરનાર પતિની કારની માંગણીથી કંટાળીને પત્નીએ એવું પગલું ભર્યું કે...

ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદના ઓઢવ વધુ એક વખત દહેજના દાનવે એક પરણિતાનો જીવ લીધો છે. દહેજના ત્રાસથી અમદાવાદની 26 વર્ષીય પરણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ સિલ્વર હેરિટેજ ફ્લેટમાં રહેતી 26 વર્ષીય પ્રીતિ વર્માએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પરણિતાના પરિવારનો આક્ષેપ છે કે, પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા જ હતા. જેમાં પ્રીતિ વર્માએ આજે મોતનું પગલું ભર્યું છે. પરણિતાના પરિવાર એ પણ આક્ષેપ કર્યો છે કે, તેનો પતિ બંટી વર્મા અને સાસરી પક્ષના લોકો માનસિક-શારીરિક ત્રાસ ગુજાતા હતા અને વારંવાર દહેજની માંગણી કરતા હતા.

આ મામલે ઓઢવ પોલીસે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં એ પણ માલૂમ પડ્યું કે, પરણીતાનો ચાર વર્ષ લગ્નગાળો હતો. તેનો પતિ બંટી વર્મા કલર કામનો કોન્ટ્રાક્ટર હતો. પતિ બંટી વર્મા કામ શોધવા માટે કારની જરૂર પડતી હોવાથી સાસરિયા પક્ષ પાસે વારંવાર કારની માંગ કરી રહ્યો હતો. ત્યારે હાલ ઓઢવ પોલીસે સાસરિયા પક્ષ તેમજ આસપાસના પાડોશીઓની પણ પૂછપરછ શરૂ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news