વરસાદના પાણીમાં ડુબી ગઈ 50 લાખની ચાર-ચાર બંગળીવાળી ગાડી! જાણો પછી આ ગુજરાતી શું બોલ્યો

Gujarat News: વડોદરાના વ્યક્તિની પોસ્ટ પર પણ ઘણી પ્રતિક્રિયાઓ આવી છે. જેના જવાબમાં તેણે લખ્યું છે કે જ્યાં સુધી ઘરના પાણીનું સ્તર 8 થી 10 ફૂટ ઓછું ન થાય ત્યાં સુધી તે પોતાની કારને બચાવી શકશે નહીં.

વરસાદના પાણીમાં ડુબી ગઈ 50 લાખની ચાર-ચાર બંગળીવાળી ગાડી! જાણો પછી આ ગુજરાતી શું બોલ્યો

Vadodara Flood News: ભારે વરસાદ અને પૂરને કારણે વડોદરામાં ભારે નુકસાન થયું છે. શહેરની પોશ સોસાયટીઓમાં મોંઘીદાટ કારોને પણ આઠ ફૂટ પાણીની અસર થઈ છે. પૂરના પાણીમાં ત્રણ કાર ડૂબી જવાથી રેડિટ પર એક વ્યક્તિએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. વ્યક્તિએ લખ્યું છે કે હવે જીવીને શું કરશે?

ગુજરાતના વડોદરામાં ભારે વરસાદ અને પૂરના કારણે લોકોને લાખોનું નુકસાન થયું છે. વડોદરામાં રહેતા એક વ્યક્તિની વિશ્વામિત્રી ઓવરફ્લો થતાં ઓડી સહિત ત્રણ કારો ડૂબી ગઈ છે. વડોદરામાં નદીના પૂરમાં કાર ખરાબ થયા બાદ એક વ્યક્તિની પીડા ઇન્ટરનેટ પર સામે આવી છે. તેણે લખ્યું છે કે તેની ઓડી સહિત ત્રણ કાર પાણી ભરાઈ જવાથી તબાહ થઈ ગઈ છે.

હવે જીવવા માટે કંઈ નથી બચ્યું...
કાર માલિકે લખ્યું છે કે જીવવા માટે તેની પાસે કંઈ બચ્યું નથી કારણ કે નદીમાં આવેલા પૂરમાં તેની ત્રણ કાર ખરાબ થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ પોસ્ટ મુજબ વડોદરામાં વરસાદ અને પૂરને કારણે તેની ત્રણ કારને નુકસાન થયું છે. જેમાં Audi A6 જેની કિંમત રૂ. 50 લાખથી વધુ છે, ફોર્ડ ઇકો સ્પોર્ટ્સ અને મારુતિ સુઝુકી સિઆઝનો સમાવેશ થાય છે. પોતાનું દર્દ શેર કરતા વ્યક્તિએ લખ્યું છે કે તેની સાથે આવું ત્રીજી વખત બન્યું છે. જ્યારે તેને આ સ્થિતિનો સામનો કરવો પડે છે.

બંગલાની અંદર પાર્ક હતી કારો-
વડોદરાના વ્યક્તિની પોસ્ટ પર પણ ઘણી પ્રતિક્રિયાઓ આવી છે. જેના જવાબમાં તેણે લખ્યું છે કે જ્યાં સુધી ઘરના પાણીનું સ્તર 8 થી 10 ફૂટ ઓછું ન થાય ત્યાં સુધી તે પોતાની કારને બચાવી શકશે નહીં. વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેની કાર ઘરની અંદર પાર્ક કરવામાં આવી હતી. તે રસ્તા પર ન હતી. વડોદરાની પોશ 5 BHK સોસાયટીમાં રહેતા વ્યક્તિએ પોતાનું દર્દ જણાવતા કહ્યું કે હું 85 ઘરોની સોસાયટીમાં 5 BHK બંગલામાં રહું છું. ઘરમાં ત્રણ કાર પાર્કિંગ છે. 7 ઈંચ પાણી ઘરમાં ઘૂસી ગયું છે અને મારા ઘરની બહાર લગભગ 4 ફૂટ પાણી છે.

આ સ્થિતિમાં હું શું કરી શકું...
આખા શહેરને અસર થઈ છે. વડોદરામાં ભારે વરસાદ બાદ આજવા ડેમ પણ ઓવરફ્લો થયો અને વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ પછી શહેરમાં સ્થિતિ વણસી હતી. વડોદરામાં પૂરથી પ્રભાવિત લોકોને મદદ પહોંચાડવા માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે. બુધવારે સેનાના હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટો મોકલાયા હતા. આ સાથે બચાવ કાર્ય માટે સેનાને તૈનાત કરવામાં આવી છે. વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થવાને કારણે હજારો કાર અને વાહનો પાણીમાં ડૂબી ગયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news