વડોદરા: કોરોના મહામારીના પગલે સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી રદ્દ

કોરોના મહામારીને પગલે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી રદ્દ કરવામાં આવી છે. દર વર્ષે જેલમાં કેદીઓને તેમની બહેનો રાખડી બાંધવા માટે આવતી હતી. જેનું જેલ પ્રશાસન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ વર્ષે કોરોનાને કારણે રક્ષાબંધનની ઉજવણી રદ્દ કરવામાં આવી છે. 
વડોદરા: કોરોના મહામારીના પગલે સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી રદ્દ

વડોદરા : કોરોના મહામારીને પગલે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી રદ્દ કરવામાં આવી છે. દર વર્ષે જેલમાં કેદીઓને તેમની બહેનો રાખડી બાંધવા માટે આવતી હતી. જેનું જેલ પ્રશાસન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ વર્ષે કોરોનાને કારણે રક્ષાબંધનની ઉજવણી રદ્દ કરવામાં આવી છે. 

વડોદરા સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોના મહામારીને પગલે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી રદ્દ કરવામાં આવી છે. જેથી જેલના કેદીઓ બહેનની રાખડીથી વંચિત રહેશે. વડોદરા સેન્ટ્રલ જેલમાં 61 જેટલા કાચા, પાકા કામના કેદી કોરોના સંક્રમિત થયા છે. જેલના કોરોના કેસો વધતા તંત્ર દ્વારા જેલમાં 80 બેડની સુવિધા ઉભી કરવાની કાર્યવાહી ચાલી રહી છે. 

જેના કારણે રક્ષાબંધનની ઉજવણી રદ્દ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે જેલ તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોના જેલમાં ન ફેલાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો જેલમાં ફેલાય જાય તો તંત્ર માટે મુશ્કેલી થઇ પડે તેવી સ્થિતીના પગલે ખુબ જ તકેદારી રાખવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news