GUJARAT CORONA UPDATE: કોરોના કેસમાં મોટો ઘટાડો, પરંતુ આજે ફફડાવી રહ્યો છે મોતનો આંકડો!

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 2942 એક્ટિવ કેસ છે. જે પૈકી 34 વેન્ટીલેટર પર છે જ્યારે 2908 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 12,08,013 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે.

GUJARAT CORONA UPDATE: કોરોના કેસમાં મોટો ઘટાડો, પરંતુ આજે ફફડાવી રહ્યો છે મોતનો આંકડો!

ઝી ન્યૂઝ/ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 293 કેસ નોંધાયા છે. તો બીજી તરપ 729 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,08, 013 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધીરને 98.87 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 1,15,002 રસીના ડોઝ અપાયા હતા. 

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 2942 એક્ટિવ કેસ છે. જે પૈકી 34 વેન્ટીલેટર પર છે જ્યારે 2908 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 12,08,013 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. આ ઉપરાંત કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10919 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે 8 નાગરિકોનાં મોત થયા હતા. જેમાં 2 વડોદરા કોર્પોરેશનમાં, વડોદરામાં 2, સુરત 1, ગાંધીનગર 1, તાપી 1, જામનગર 1 એમ કુલ 8 નાગરિકોના મોત થયા છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 24, 2022

રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 09 ને રસીનો પ્રથમ જ્યારે 48 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2721 ને પ્રથમ જ્યારે 5830 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 

18-45 વર્ષના નાગરિકો પૈકી 11105 ને રસીનો પ્રથમ 34506 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 4558 ને પ્રથમ અને 42023 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો ઉપરાંત 14202 વરિષ્ઠ નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,15,002 રસીના ડોઝ અપાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news