GUJARAT CORONA UPDATE: આજે ગુજરાતમાં મોતનો આંક બેકાબૂ, પણ કોરોના હાંફી ગયો! રિકવરી રેટ વધ્યો

હાલમાં રાજ્યમાં 75464 એક્ટિવ કેસ છે. જે પૈકી 229 વેન્ટિલેટર પર છે. જ્યારે 75235 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 1083022 ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10511 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.

GUJARAT CORONA UPDATE: આજે ગુજરાતમાં મોતનો આંક બેકાબૂ, પણ કોરોના હાંફી ગયો! રિકવરી રેટ વધ્યો

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ અચાનક ઘટવા લાગ્યા છે. ગુજરાતમાં આજે કોરોનાના 8338 કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીની તુલનાએ ખુબ જ ઓછા હતા. બીજી તરફ 16629 દર્દીઓ રિકવર પણ થયા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 10,83,022 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 92.65 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 4,49,165 નાગરિકોનું રસીકરણ કરાયું હતું. 

ગુજરાતમાં કોરોનાના નવા 8338 કેસની વાત કરીએ તો અમદાવાદમાં 2702 કેસ, 8 દર્દીના મોત થયા છે. વડોદરા 2196 કેસ, 3 દર્દીના મોત, રાજકોટમાં 635 કેસ, 6 દર્દીના મોત, સુરતમાં 394 કેસ, 5 દર્દીના મોત, ગાંધીનગરમાં 287 કેસ, 2 દર્દીના મોત, ભાવનગરમાં 92 કેસ, 5 દર્દીના મોત, જામનગરમાં 116 કેસ, 2 દર્દીના મોત, જૂનાગઢમાં 76, પાટણ 224, બનાસકાંઠામાં 212 કેસ, કચ્છમાં 210, ભરૂચમાં 145, મહેસાણા 130 કેસ મોરબીમાં 116, ખેડામાં 112, પંચમહાલમાં 98 કેસ, આણંદમાં 95, સાબરકાંઠામાં 84, વલસાડમાં 81 કેસ, અમરેલીમાં 61, નવસારીમાં 39, ગીરસોમનાથમાં 37 કેસ, સુરેન્દ્રનગરમાં 37, તાપીમાં 34, દાહોદમાં 33 કેસ, છોટાઉદેપુર - દ્વારકા - મહિસાગર 16 - 16 કેસ, ડાંગમાં 13, નર્મદામાં 11, અરવલ્લીમાં 10 કેસ, બોટાદ - પોરબંદરમાં 5 - 5 કેસ, પંચમહાલમાં 1, વલસાડમાં 1, અમરેલીમાં 1 મોત, નવસારીમાં 2, દ્વારકામાં 1, બોટાદમાં 1 મોત થયા છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) February 1, 2022

હાલમાં રાજ્યમાં 75464 એક્ટિવ કેસ છે. જે પૈકી 229 વેન્ટિલેટર પર છે. જ્યારે 75235 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 1083022 ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10511 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 38 નાગરિકોનાં મોત થયા હતા. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 3, રાજકોટ 2, સુરત 2, પંચમહાલ 1, જામનગર કોર્પોરેશન 1, વલસાડ 1, ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર 2, અમરેલી 1, નવસારી 2, જામનગર 1, દેવભૂમિ દ્વારકા 1, ભાવનગર 3, બોટાદ 1 એમ કુલ  38 લોકોના મોત થયા છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 39 ને પ્રથમ 1154 ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 7807 ને પ્રથમ અને 21030 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 30142 ને પ્રથમ 94186 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના 36643 ને પ્રથમ 205480 ને બીજો જ્યારે 52684 લોકોને પ્રીકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે આજના દિવસમાં કુલ 4,49,165 રસીના ડોઝ આજે અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,83,82,401 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news