ટ્રેનમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, સુરતથી ઉપડતી ટ્રેનોમાં ભીડના દ્રશ્યો ડરાવના લાગશે

Summer Vacation : સુરતમાં રિઝર્વેશન વિનાની અંત્યોદય ટ્રેન શરૂ થતાં ભારે ભીડ.... બારીમાંથી મુસાફરો ટ્રેનના કોચમાં પ્રવેશતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા... મુસાફરોનો ધસારો વધતાં ટ્રેનની અંદરથી ગેટ બંધ કરવામાં આવ્યા...
 

ટ્રેનમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, સુરતથી ઉપડતી ટ્રેનોમાં ભીડના દ્રશ્યો ડરાવના લાગશે

Surat News ચેતન પટેલ/સુરત : સુરતમાં રોજગારી અર્થે આવેલા યુપી-બિહારના લોકોને ઉનાળાના વેકેશનમાં પોતાના રાજ્યોમાં જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ લડતા-લડતા ગામ જવું પડે છે. ઉત્તર પ્રદેશ જતી અંત્યોદય ટ્રેનની હાલત જોઈને તમને પણ પરસેવો છૂટી જશે. તમામ અનરિઝર્વ્ડ કોચમાં પગ મુકવાની પણ જગ્યા નથી. 

અંત્યોદય ટ્રેનમાં તમામ 18 અનરિઝર્વ કોચ છે. અઠવાડિયામાં એકવાર આ ટ્રેન ઉત્તર પ્રદેશ જવા માટે ઉધના રેલવે સ્ટેશનથી ઉપડે છે. સીટ મેળવવા માટે લોકો કલાકો સુધી પ્લેટફોર્મ પર બેસી રહે છે અને ટ્રેન આવે તો તરત જ આંખના પલકારામાં ટ્રેન મુસાફરોથી ભરાઈ જાય છે. ટ્રેનની સીટો ત્રણ ઘણા મુસાફરો જોવા મળે છે. કોચના દરવાજામાં પણ લોકો તેમના બાળકો સાથે ઉભા હોય છે. ટ્રેનની તસવીરો પરથી ખ્યાલ આવે છે કે ટ્રેનના દરવાજામાં ઉભેલા મુસાફરો માટે આ મુસાફરી કેટલી જોખમી છે. મુસાફરોથી ભરેલી ટ્રેનમાં દરવાજા સુધી મુસાફરીથી ભરેલી જોવા મળશે. એક તરફ કાળઝાળ ગરમીમાં આ ભરચક ટ્રેનમાં મુસાફરોની હાલત કફોડી બની છે.જે ટ્રેનમાં એટલા બધા મુસાફરો હોય છે કે પગ મુકવાની પણ જગ્યા નથી. આવી ટ્રેનમાં લગભગ 24 કલાકની મુસાફરી મુસાફરો કેવી રીતે કરશે, આ સૌથી મોટી સમસ્યા છે. 

અન્ય ટ્રેનોમાં રિઝર્વેશન તેમને મળતી નથી. બીજી બાજુ આ ટ્રેન માટે પણ તેમને પ્લેટફોર્મ પરથી ટિકિટ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે.શાળાઓમાં 15મી એપ્રિલથી રજા શરૂ થઈ ગઈ છે અને હવે પોતપોતાના ગામોમાં જનારા લોકોની ભીડ વધવા લાગી છે. સુરતના અપડુ ઉદ્યોગમાં લાખોની સંખ્યામાં યુપી બિહારના શ્રમિકો રોજગારી માટે આવે છે અને જ્યારે પણ શાળાઓની રજા થાય તેવો પોતાના વતન જતા હોય છે પરંતુ ટ્રેનની અછતના કારણે દર વર્ષે તેમને હાલાકી નો સામનો કરવો પડતો હોય છે. 

રવિવારે, અનરિઝર્વ્ડ અંત્યોદય ટ્રેન ઉધના અને જયનગર વચ્ચે નીકળી હતી. જેને પકડવા માટે હજારો મુસાફરો એકઠા થયા હતા. ઉનાળાની રજાઓમાં તાપ્તી ગંગા સહિત અન્ય ટ્રેનોમાં ટિકિટ ઉપલબ્ધ ન હતી. જેના કારણે આ અનરિઝર્વ્ડ અંત્યોદય ટ્રેનમાં ભારે ભીડ જોવા મળી હતી.આ ટ્રેનની ક્ષમતા બે હજાર મુસાફરોને લઈ જવાની છે. આ માટે સવારના 5 વાગ્યાથી જ સ્ટેશન પર ભીડ એકઠી થવા લાગી હતી. લગભગ ત્રણ હજાર મુસાફરો ઉધના સ્ટેશને પહોંચ્યા હતા.

આ ટ્રેનમાં ભીડ એટલી હતી કે આખી ટ્રેન ખીચોખીચ ભરાઈ ગઈ હતી અને પ્રવેશવાની કોઈ જગ્યા નહોતી, જેના કારણે આ ટ્રેનમાં સવાર મુસાફરોએ ગેટ બંધ કરી દીધા હતા. જેથી કરીને અન્ય મુસાફરો બળજબરીથી પ્રવેશ ન કરે. આ દરમિયાન 400 થી 500 મુસાફરો હતા જેઓ આ ટ્રેનમાં મુસાફરી કરી શક્યા ન હતા અને પરત ફરવું પડ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news