સુરતમાં મૃત પિતા 18 વર્ષ બાદ Facebook પર જીવતા મળ્યા, મૃત્યુની અફવા ફેલાવી બીજી યુવતી સાથે સંસાર માંડ્યો

સુરતમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. મૃત પિતા 18 વર્ષ બાદ ફેસબુક પર જીવિત મળ્યા છે. ડીંડોલીમાં રહેતાં ૨૩ વર્ષીય યુવકે ૧૮ વર્ષે મૃત મનાતાના પિતાને ફેસબુક ઉપરથી જીવિત શોધી કાઢ્યા હતા. વર્ષ 2005 માં પોતાનાં મૃત્યુની અફવા ફેલાવી પત્ની અને ચાર સંતાનોને નોંધારા છોડી પિતાએ ડાકોરમાં બીજી યુવતી સાથે સંસાર માંડી રહેતા હોવાનું બહાર આવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ફિલ્મી પટકથાને પણ ટક્કર મારે તેવી પોલીસ ચોપડે ચડેલી આ ઘટનામાં 18 વર્ષે મૃત વ્યક્તિ જીવિત મળ્યો છે. 

સુરતમાં મૃત પિતા 18 વર્ષ બાદ Facebook પર જીવતા મળ્યા, મૃત્યુની અફવા ફેલાવી બીજી યુવતી સાથે સંસાર માંડ્યો

Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. મૃત પિતા 18 વર્ષ બાદ ફેસબુક પર જીવિત મળ્યા છે. ડીંડોલીમાં રહેતાં ૨૩ વર્ષીય યુવકે ૧૮ વર્ષે મૃત મનાતાના પિતાને ફેસબુક ઉપરથી જીવિત શોધી કાઢ્યા હતા. વર્ષ 2005 માં પોતાનાં મૃત્યુની અફવા ફેલાવી પત્ની અને ચાર સંતાનોને નોંધારા છોડી પિતાએ ડાકોરમાં બીજી યુવતી સાથે સંસાર માંડી રહેતા હોવાનું બહાર આવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ફિલ્મી પટકથાને પણ ટક્કર મારે તેવી પોલીસ ચોપડે ચડેલી આ ઘટનામાં 18 વર્ષે મૃત વ્યક્તિ જીવિત મળ્યો છે. 

આઠેક મહિના પહેલાં તે ફેસબુક સર્ફિંગ કરતો હતો

સુરતનાં સણિયા-કણદે ગાંજરીયા ટેકરો વિસ્તારમાં રહેતાં ૨૩ વર્ષીય મહાવીર નાના ભાઇ બહેન કંચનબેન, ગાયત્રીબેન અને ભૂમિકા, તથા માતા રમીલાબેન સાથે રહે છે. તે જ્યારે પાંચ વર્ષનો હતો અને તેનો પરિવાર ડીંડોલી શ્રધ્ધા સોસાયટીમાં રહેતો હતો, ત્યારે જ પિતા મહેન્દ્રસિંહ ઉર્ફે રોહિત હરૂભા ચુડાસમા કામધંધો શોધવા બહારગામ ગયા બાદ કદીયે પરત ફર્યા ન હતા. તેમના પરિજનો તથા મિત્ર વર્તુળે મૃત્યુ પામ્યાનું જણાવ્યું હતું. આઠેક મહિના પહેલાં તે ફેસબુક સર્ફિંગ કરતો હતો, ત્યારે અમસ્તા જ પિતા મહેન્દ્રસિંહ ચુડાસમા નાંખીને સર્ચ કરતાં તે આશ્ચર્યા અને આઘાતથી ચીસ પાડી ઉઠયો હતો. પિતાના નામથી ફેસબુક પ્રોફાઇલ બની હતી અને તેમાં એક ફોટો પણ હતો. માતા રમીલાબેનને બતાવતાં તે પણ ઉછળી પડી હતી. ફેસબુકમાં તેમનો પતિ જીવિત અને સાજોસમો હતો.

ફેસબુક પર પિતાની પ્રોફાઈલમાં નંબર પણ આપવામાં આવ્યો હોવાથી માતા-પુત્રએ ફોન કરતાં સામી વ્યક્તિએ પહેલાં પોતે જુઠ્ઠાણું ચલાવ્યું હતું. પરંતુ બાદમાં પોતે મહેન્દ્રસિંહ હોવાનું સ્વીકારી લીધું. 18 વર્ષથી પોતાને નિરાધાર માનતો આ પરિવાર મહેન્દ્રસિંહને જોતાં દ્રવી ઉઠયો હતો. પરિવારનો ભેટો થતાં તમામ વ્યક્તિઓ ચોધાર આંસુએ રડ્યા હતા. મહેન્દ્રસિંહ બધા માટે અવનવી ગિફ્ટ લાવ્યા હતા. 

બીજા લગ્ન કરી લીધા હતા

સુરતમાં પણ પત્ની અને સંતાનોને નાની મોટી ગિફ્ટ અને દાગીના અપાવ્યા અને બાદમાં પરત જતો રહ્યો હતો. દર ત્રીજા ચોથા દિવસે અવરજવરનો સિલસિલો થોડાક મહિના સુધી ચાલ્યો હતો. પોતે અમદાવાદ રહેતો હોવાનું જણાવતો મહેન્દ્રસિંહ પત્ની અને સંતાનોને હરવા ફરવા પણ લઈ જતો હતો, પરંતુ મામલો ત્યારે બગડયો હતો જ્યારે પરિવારે સાથે લઇ જવાની જીદ્ કરી હતી. પોતે બીજા લગ્ન કરી લીધા હોવાનું જણાવી ભાગી ગયો. 

રમીલાબેન ૧૯૯૯માં માતા મંજુબેન સાથે રાજીવનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. માતા ઘરે જમવાનું બનાવતી હોવાથી મહેન્દ્રસિંહ જમવા આવતો ત્યારે રમીલાબેન સાથે આંખો મળી જતાં બંનેએ લગ્ન કરી લીધા હતા. પંરતું પિતાને લગ્ન મંજૂર નહિ હોવાનું જણાવી તે ઘરે રહેતો ન હતો. ૨૦૦૧માં કોઇ ગુનામાં પોલીસે પકડતાં સસરા સુરત આવ્યા હતા અને પુત્રવધુ રમીલા સાથે રહેશે તો જ જેલમાંથી મુક્ત કરાવ્યો હતો. બંને ડિંડોલીમાં મકાન રાખી સાથે રહેવા લાગ્યા હતા અને ચાર સંતાનો પણ થયા હતા.

ડાકોરમાં ચલાવતો હતો દુકાન

ડાકોરમાં પત્ની અને સંતાનો વિરૂદ્ધ બ્લેકમેઇલની અરજી કરી ૧૮ વર્ષે ફેસબુકથી મળેલા પતિએ બીજાં લગ્નની વાત છુપાવી હતી, પરંતુ રમીલાબેન અને પરિવારે સાથે લઇ જવાની જીદ્દ કરતાં બીજા લગ્ન કરી લીધા હોવાનું અને બીજી લગ્ન થકી જન્મેલી પુત્રીના નામે ન્યુ રિદ્ધિ સિધ્ધિ જીન્સ ક્લોથના નામે દુકાન ચલાવતો હોવાનું જણાવ્યું હતું. અચાનક મળવાનું બંધ કરી દેતા આ પરિવારે ફરીથી ન્યુ રિદ્ધિ સિદ્ધિ ક્લોથના નામે ઓનલાઇન સર્ચ કરતાં તે ડાકોરમાં હોવાનું અને તેમાં પિતાનો જ મોબાઇલ નંબર લખ્યો હોઇ પરિવાર ત્યાં પહોંચી ગયો હતો. તે વખતે તેની બીજી પત્ની જયશ્રીબેનને મળ્યા હતા. પોતાનો ભાંડો ફૂટી જતાં પરિવારને ત્યાંથી ધક્કા મારી કાઢી નાંખવાની સાથે ડાકોર પોલીસ મથકે બ્લેઇમેઇલિંગની અરજી કરતાં પત્ની રમીલાબેને પણ ડીંડોલી પોલીસ મથકનું શરણું લીધું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news