કોણે ડહોળી ગુજરાતના ત્રણ જિલ્લાની સ્થિતિ? 39 લોકો સામે નામજોગ ફરિયાદ, RAFનું પેટ્રોલિંગ, 144 લાગુ

સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે. જ્યારે ખંભાત અને દ્વારકામાં તંગદિલી ભર્યો માહોલ હોવાનું જાણવા મળે છે. આણંદના ખંભાતમાં જૂથ અથડામણમાં એકનું મોત થયું છે તો દ્વારકામાં વિધર્મી યુવકે ઝંડો સળગાવતાં તંગદિલી સર્જાઈ હતી.

કોણે ડહોળી ગુજરાતના ત્રણ જિલ્લાની સ્થિતિ? 39 લોકો સામે નામજોગ ફરિયાદ, RAFનું પેટ્રોલિંગ, 144 લાગુ

ઝી ન્યૂઝ/આણંદ: રાજ્યમાં રામનવમી નિમિતે રાજ્યના 3 જિલ્લામાં શાંતિ ડહોળવાનો અસામાજિક તત્વોએ પ્રયાસ કર્યો છે. સાબરકાંઠા, આણંદ અને દ્વારકા જિલ્લામાં પથ્થરમારાની ઘટના બાદ તંગદિલી મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી જરૂરી પગલાં ભરવાની સૂચના આપી છે. રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું છે કે હિંમતનગર અને ખંભાતમાં હાલમાં શાંતિપૂર્ણ માહોલ છે. જ્યારે હિંમતનગરના છાપરિયામાં પથ્થરમારાની ઘટના બાદ 144ની કલમ લગાવાઈ છે. સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાબરકાંઠામાં એસપી સહિત 10 પોલીસકર્મીને પથ્થરમારામાં ઈજા પહોંચી છે. બીજી તરફ, RAFની ટીમ હિંમતનગર પહોંચી ગઈ છે, જે શહેરમાં પેટ્રોલિંગ કરશે. હાલમાં શહેરમાં જે વિસ્તારોમાં 144ની કલમ લગાવવામાં આવી છે ત્યાં આ ફોર્સ પેટ્રોલિંગ કરશે. આ ઉપરાંત 39 લોકો સામે નામજોગ ફરિયાદ કરાઈ છે અને 700 લોકોનાં ટોળાં સામે સંપત્તિને નુકસાન પહોંચાડવાની ફરિયાદ દાખલ કરાઈ છે. હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે. જ્યારે ખંભાત અને દ્વારકામાં તંગદિલી ભર્યો માહોલ હોવાનું જાણવા મળે છે. આણંદના ખંભાતમાં જૂથ અથડામણમાં એકનું મોત થયું છે તો દ્વારકામાં વિધર્મી યુવકે ઝંડો સળગાવતાં તંગદિલી સર્જાઈ હતી.

કેન્દ્રીય ગૃહમંત્રાલય એક્શનમાં
ગુજરાતમાં થયેલી હિંસા મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રાલય એક્શનમાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના ત્રણેય જિલ્લાઓની વિગતો મેળવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, અમિત શાહે હિંમતનગર અને ખંભાતની હિંસાની વિગતો મેળવી છે, અને હિંસાગ્રસ્ત વિસ્તારોમાં વર્તમાન સ્થિતિ બાબતે સમિક્ષા કરી છે. સંવેદનશિલ અન્ય વિસ્તારોમાં સુરક્ષાની સમિક્ષા કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ આ વિશે ચર્ચા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોણે ડહોળ્યું વાતાવરણ! હિંમતનગરમાં અંજપાભરી સ્થિતિ વચ્ચે 13 એપ્રિલ સુધી કલમ 144 લાગૂ કરાઈ

હિંમતનગરની ઘટનામાં રાયોટીંગનો ગુનો દાખલ કરાયો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બનેલી ઘટનાઓના પગલે આશિષ ભાટિયા ડીજીપી ગૃહ રાજ્ય મંત્રી સાથે બેઠક કરી હતી. દિવસ દરમિયાન હિંમતનગર અને ખંભાતની પરીસ્થિતી અંગે રીવ્યુ કરાયો છે. બનાવ બાબતે સ્થાનિક અધિકારીઓ જોડાયા હતા. હિંમતનગરમાં રાયોટીંગનો ગુનો દાખલ કરી અમુક લોકોને રાઉંડ અપ કરાયા છે. હિંમતનગરમા બે આઇજી અને ચાર એસપી કક્ષાના અધિકારી છે. RAF ની બે કંપની પણ હિંમતનગર મોકલવામાં આવી છે. શહેરમાં રાયોટિંગની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હિંમતનગર A ડિવિઝન , B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 700થી વધુનાં ટોળાં સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે 3 અલગ અલગ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં 39 શખસ સામે નામજોગ અને 700થી વધુનાં ટોળાં સામે ફરિયાદ નોંધાઈ છે.

ખંભાતમાં જૂથ અથડામણની ઘટનામાં મોટી કાર્યવાહી
આણંદના ખંભાતમાં જૂથ અથડામણની ઘટનામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તોફાનો મામલે ખંભાતના 3 મૌલવીની ધરપકડ કરાઈ છે. આ મૌલવીએ કેટલાક યુવાનોને પથ્થરમારો કરવા માટે ઉશ્કેર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે (રવિવાર) ખંભાતના શક્કરપુરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. શોભાયાત્રામાં પથ્થરમારો કરાતા 1 વ્યક્તિનું મોત થયું છે. રામનવમીના તહેવાર નિમિતે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા નીકળી તે સમયે પથ્થરમારો કરાયો હતો અને જે અથડામણમાં ઈજાગ્રસ્ત થયેલા આધેડને હોસ્પિટલમાં લઈ જવાતા તેમનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું. અસામાજિક તત્વોએ પથ્થરમારા ઉપરાંત દુકાનમાં આગ પણ લગાવી હતી. ઘટનાને પગલે ખંભાત પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતી કાબૂમાં લીધી હતી. જો કે હાલ ખંભાતના શક્કરપુરામાં શાંતિનો માહોલ છે.

દ્વારકામાં પણ વાતાવરણ તંગ
ગુજરાતને ચોક્કસ લોકો ટાર્ગેટ કરવા ઇચ્છતા હોય તેવા લોકો દ્વારા દ્વારકામાં પણ વાતાવરણ તંગ થાય તેવો માહોલ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દ્વારકામાં ભગવો ઝંડો સળગાવવામાં આવતા દ્વારકામાં વાતાવરણ તંગ બન્યું હતું. જો કે અહીં હિંદુત્વવાદી સંગઠનો દ્વારા તત્કાલ તે વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો. ભગવો ઝંડો સળગાવવાનું પરિણામ શું હોઇ શકે તે પણ સમજાવવામાં આવ્યું હતું. 

દ્વારકામાં સમગ્ર હિંદૂત્વની શાન એવા ભગવા ઝંડાને સળગાવવાનો વિધર્મી યુવક દ્વારા પ્રયાસ, લોકોએ લમધાર્યો અને...

સુન્ની મુસ્લિમ આમ જમાત દ્વારા મોટી માંગ કરાઈ
દ્વારકામાં કેસરી ઝંડો સળગાવનાર અસામાજિક તત્વોને કડક સજા થાય તેવી માંગ સુન્ની મુસ્લિમ આમ જમાત દ્વારા કરાઈ છે. તેમણે જણાવ્યું છે કે, હિન્દૂ મુસ્લિમ એકતા જળવાય રહે તે જરૂરી છે, જે વ્યક્તિએ ઝંડો સળગાવ્યો છે, તે તેનો વ્યક્તિગત મામલો હતો. સુન્ની મુસ્લિમ સમાજ ક્યાંય આ ઘટનામાં સંકળાયેલો નથી. સુન્ની મુસ્લિમ જમાતે ઘટનાને વખોડી આરોપીને યોગ્ય કાયદાકીય સજા મળે તેવી માંગ કરી છે. સમાજના લોકોએ સાથે મળી હિન્દૂ મુસ્લિમ સમાજની એકતા જળવાય રહે તે હેતુથી લેખિત જવાબ જાહેર કર્યો છે.    

ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું છે કે ખંભાતમા રાયોટીંગના બે ગુના દાખલ કરીએ છીએ. ત્યા પણ ડીઆઈજી કક્ષાના અધિકારી તૈનાત છે. આખા રાજ્યમા જરૂર પગલા લેવા સુચના અપાઈ છે. ખંભાતમા એક વ્યક્તિના મોત અંગે મર્ડરનો ગુનો નોધાશે. સોશિયલ મીડિયામા ખોટી માહિતી હશે તો તેને હટાવવાની કામગીરી કરીએ છીએ. આ મામલે ગુનો પણ દાખલ કરાશે. હવે સાયબર ક્રાઇમ આ મામલે નજર રાખી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news