આટલી સ્પીડે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તૌક્તે, સીએમએ કહ્યું, વાવાઝોડું બદલી શકે છે દિશા

વાવાઝોડું મુંબઈ (Mumbai) ની પશ્ચિમે 150 કિલોમીટર, દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વ દરિયાકાંઠાથી આશરે 220 કિલોમીટર, વેરાવળ બંદરના દક્ષિણપૂર્વ દિશાથી આશરે 260 કિલોમીટર તથા પાકિસ્તાનના કરાંચી બંદરના પૂર્વ-દક્ષિણપૂર્વ દિશાથી લગભગ 490 કિલોમીટરના અંતરે છે. 

આટલી સ્પીડે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તૌક્તે, સીએમએ કહ્યું, વાવાઝોડું બદલી શકે છે દિશા

ગાંધીનગર: ગુજરાત (Gujarat) માં તૌક્તે વાવાઝોડા અંતિમ તૈયારી સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ની અધ્યક્ષતામાં SEOC, ગાંધીનગર (Gandhinagar) ખાતે ઉચ્ચ કક્ષાની સમીક્ષા બેઠક શરૂ થઇ ગઇ છે. રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર્સ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાયા છે.

બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ, સનદી અધિકારી રાજકુમાર બેનિવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી (Cyclone Tauktae) તોફાન/વાવાઝોડું "તૌક્તે'' જે હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે. તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા 06 કલાકથી આશરે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે.

આ વાવાઝોડું મુંબઈ (Mumbai) ની પશ્ચિમે 150 કિલોમીટર, દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વ દરિયાકાંઠાથી આશરે 220 કિલોમીટર, વેરાવળ બંદરના દક્ષિણપૂર્વ દિશાથી આશરે 260 કિલોમીટર તથા પાકિસ્તાનના કરાંચી બંદરના પૂર્વ-દક્ષિણપૂર્વ દિશાથી લગભગ 490 કિલોમીટરના અંતરે છે. 

એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું (Cyclone) રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે તા.17 મૅ, 2021ના રોજ પોરબંદર અને ભાવનગર (Bhavnagar) ના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડા (Cyclone) ના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે.

Live Update:

- મુખ્ય સચિવ અને મુકીન અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર પણ તેમની સાથે જોવા મળ્યા હતા.
- હવામાન વિભાગની આગાહી સ્પષ્ટ છે સાંજે સાત વાગ્યા પછી વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે.
- તમામ સંભાવનાને ધ્યાનમાં રાખીને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
-  મોટાભાગના લોકોનું સ્થળાંતર 
- વરસાદ કે ભારે પવનને કારણે મુશ્કેલી થાય તો અંદર પણ કાચા મકાન અને નદીકિનારે તેમનું પણ સ્થળાંતર કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
- સવા લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
-  કડક રીતે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
- ઓક્સિજન અને હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
- સગર્ભા બહેનો ની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
- વીજ પુરવઠો અને પાણી પુરવઠો માટે ટીમો કાર્યરત છે.
- પસ્તાવો ક્લિયર કરવા માટે ફોરેસ્ટ અને માર્ગ-મકાનની ટીમો તૈયાર છે, તૈયારીઓ પૂર્ણતાને આરે છે.
- કલેકટરો સાથે રીવ્યુ કરવામાં આવી બધા લોકો પોઝિશનમાં છે.
-  પ્રજાને વિનંતી કરવામાં આવી કે દરિયાઈ પટ્ટી પરના વિસ્તારના લોકો ઘરની બહારના નીકળે, કાચા મકાનમાં હોય તે સ્થળાંતર કરી દે
-  આ વાવાઝોડામાં પવનની માત્રા વ્યાપક છે એટલા માટે કોઈપણ જાતનું જોખમ ન લેવું.
- સરકાર બધી રીતે સજ્જ છે જે કાંઈ સ્થિતિ બનશે બધા જ પ્રયત્નો કરવામાં આવ્યા છે.
- કંટ્રોલ રૂમ પણ ચોવીસ કલાક ચાલુ છે. અધિકારીઓ પણ ચોવીસ કલાક કામગીરી કરી રહ્યા છે.
-  સમાજસેવી સંસ્થાઓથી માંડીને બધા આગેવાનો સહિત નાના ગામમાં કલેક્ટરોને સહાય કરવાની વિનંતી છે.
- વીજ પુરવઠો માટે 661 આપણે કંપનીના વીજ કંપનીના કર્મચારીઓની ગોઠવવામાં આવી છે. 
-  પાવર બેકપ 1428 જગ્યાએ ઉભા કરવામાં આવ્યા છે.
-  ખેતર હોય ના હોય કે ગામમાં હોય એ કાચા મકાન વાલા બધાના સ્થળાંતર બંધ કરી દીધું છે, હજુ પણ બાકી રહી ગયા હોય એને બે કલાકમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
-  ઝીરો થી ૧૦ કિલોમીટરના વિસ્તારને સ્થળાંતર કરશે.
-  આ વખતે વિશિષ્ટ સંજોગો પેદા થયા છે એક તરફ કોરોનાની મહામારી છે અને બીજી તરફ વાવાઝોડું સ્થિતિ ઊભી થવાની છે. ત્યારે આરોગ્યની બધી ટીમો 744 કે કાર્ય કરી રહી છે.
-  દરરોજ જિલ્લામાં 1000 ઓક્સિજનનની જગ્યા છે તેની સામે તેની સામે 1700 ટન ઓક્સિજન મોકલવામાં આવ્યો છે.
- દીવ અને પોરબંદરની વચ્ચેથી આવશે અને મહુવામાં ટકરાશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે, તેમાં ફેરફાર પણ થઈ શકે છે, મહુવા ઉપર કેન્દ્રિત થઇ શકશે તેવી શક્યતા છે.
- રાત્રી કર્ફ્યુ સંદર્ભે આવતીકાલે મુદત પૂરી થઈ રહી છે ત્યારે આજે સાંજે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
- કેન્દ્ર સરકાર સતત ચિંતા કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહ તેમના માર્ગદર્શન નીચે કેન્દ્રની ટીમો પણ સતત સંપર્કમાં છે.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ મુખ્યમંત્રી કે અમને માર્ગદર્શન આપી રહ્યા છે.
- પહેલા એનડીઆરએફની ૨૪ ટીમો હતી એની જગ્યાએ હવે 44 ટીમો આવી છે.
- આર્મી એરફોર્સ અને નેવી સ્ટેટુ રહેવાની સૂચના આપવામાં આવી છે.
- પશુઓનો પણ વિનાશ ન થાય એટલા માટે પશુપાલન ખાતુ પણ સક્રિય છે અને પશુઓને પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે.
- મુખ્યમંત્રી વિજય રૂપાણી રાત્રે 08:00 થી સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમમાં બેસશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news